________________
પ્રથમ કાંડ
यत्र वाचो निमित्तानि चिह्नानीवाक्षरस्मृतेः । शब्दपूर्वेण योगेन भासन्ते प्रतिबिम्बवत् ||२०|| अथर्वणामङ्गिरसां साम्नामृग्यजुषस्य च । यस्मिन्नुच्चावचा वर्णाः पृथकूस्थितिपरिग्रहाः ||२१|| यदेकं प्रक्रियाभेदेर्बहुधा प्रविभज्यते । तद्व्याकरणमागम्य परं ब्रह्माधिगम्यते ॥ २२ ॥ *
Jain Education International
જ્ઞાનીઓએ વ્યાકરણને તે (શબ્દ)પ્રશ્ન માટે સાક્ષાત્ ઉપકારક', (બધાં) તપમાં ઉત્તમ તપરૂપ અને વેદનુ પહેલું અંગ કહ્યું છે. (વણ, પદ્મ, વાકય એવા) રૂપવિભાગ પ્રાપ્ત' કરનારી વાણીના જે ઉત્તમ સાર૪ છે અને જે ચૈાતિઓમાં પવિત્રતમ જ્ગ્યાતિ છે, તેને (પહાંચવા) માટેને આ સરળ ઉપાયપ છે. અના વ્યવહારના નિમિત્ત બનેલ પદાર્થાને વ્યક્ત કરવાનું સાધન શબ્દો જ છે, શબ્દોના તત્ત્વનું યથાર્થ જ્ઞાન વ્યાકરણ સિવાય થતું નથી. તે મેાક્ષ(પ્રાપ્ત કરવા )ને ઉપાય છે અને વાણીની અશુદ્ધિએ માટે ઉપચાર છે. સવ વિદ્યાએને પાવન કરનાર તે દરેક વિદ્યામાં પ્રકાશે છે. જેમ (ઘટ, પટ વગેરે) બધી અજાતિએ (તેમના અધ માટે) શબ્દજાતિ ઉપર આધાર રાખે છે તેમ જગમાં આ (વ્યાકરણ) નિદ્યા બધી વિદ્યાઓને આશ્રય છે. મેક્ષ પ્રાપ્ત કરનાર નિસરણીનું આ પહેલુ પગથિયું છે. મુક્તિને ઝંખનારાઓ માટે આ સીધે રાજમાગ છે, અહીં ભ્રમમુક્તઃ વેદાભ્યાસી (વ્યક્તિ) વેદોના મૂળ કારણરૂપ અને વેદમય શરીરવાળા (વાણીના) શુદ્ધ રૂપને નિહાળે છે. વિલીન થયેલા ભેદવાળી વાણીનુ જે ઉત્તમરૂપ છે, જે આ (પ્રકાશના પ્રતિબધક) અંધકારમાં શુદ્ધ જયેતિરૂપે પરિણમે છે; પદાર્થો અને ક્રિયાઓના વિકારરૂપ અનુભવને ઉલ્લંઘી ગયેલા(યેગીએ) વિદ્યા અને અવિદ્યાથી અગોચર ૧૧ - એવા જે પ્રકાશને ઉપાસે છે; (સાધુ) શબ્દોના (જ્ઞાનપૂવક) વપરાશને કારણે જ્યાં અક્ષર સમાસ્નાયનાં ચિહ્ના જેવાં૧૨ વાણીની અભિવ્યક્તિનાં સાધને (= ક, ખ વગેરે વર્ણો) પ્રતિબિંબરૂપે ભાસે છે; જે (બ્રહ્મ)માં અથવવેદ, ઋગ્વેદ અને યજુવેદના (ઉદાત્ત, અનુદાત્ત વગેરે) જુદા જુદા સ્વરા જુદું જુદું' અસ્તિત્વ ધારણ કરીને રહ્યા છે; અને દનપર પરાઓની ભિન્નતાને કારણે જે ભિન્ન ભિન્ન રીતે વ્યવસ્થિત થયું છે તે શબ્દબ્રહ્મના સાક્ષાત્કાર વ્યાકરણનું જ્ઞાન થવાથી થાય છે. (૧૧-૨૨)
0
વા-૨
k
For Private & Personal Use Only
www.jainelibrary.org