________________
૫૯
૪૪ત્ર વગેરે શબ્દો સ્ત્રીલિંગમાં વપરાતા નથી. આ પ્રાણવિરોધ આવતો હોવાથી નરજાતિ કે નારિજાતિનાં લક્ષણો ઉપરથી નક્કી કરેલું લિંગ યોગ્ય બનશે નહિ. વૈવાકર ગોએ લૌકિક લિંગના મતને બાજુએ મૂકીને લિંગ અંગે પિતાનો સિદ્ધાત સ્વીકાર જોઈએ.
सामान्यमाकृतिर्भावो जातिरित्यत्र लौकिकम् ।
लिङ्ग न संभवत्येव तेनान्यत् परिगृह्यते ॥३२१।। સામાન્ય, આકૃતિ, ભાવ, જાતિ (એવો અર્થ દર્શાવતા) શબ્દ અંગે લોકિક લિંગ બંધ બેસતું નથી, તેથી બીજા (શાસ્ત્રીય) લિંગને સ્વીકારવામાં આવે છે. (૩૩૧)
- સામાન્ય, આકૃતિ, ભાવ, જાતિ વગેરે જુદા લિંગવાળા શબ્દો એક જ પદાર્થ દર્શાવે છે. તેમને માટે લૌકિક લિંગ બંધબેસતું થશે નહિ. તેથી બીજા વ્યાપક અને શાસ્ત્રીય લિંગની કલ્પના કરવામા આવે છે.
प्रवृत्तिरिति सामान्य लक्षणं तस्य कथ्यते ।
आविर्भावस्तिरोभावः स्थितिश्चेत्यथ भिद्यते ॥३२२॥ તે લિંગનું સામાન્ય લક્ષણ પ્રવૃત્તિ છે એમ કહેવાય છે. તે આવિર્ભાવ, તિરભાવ અને સ્થિતિ એમ (ત્રણ પ્રકારે) જુદી સમજાય છે. (૩૨૨) - કારિકા ૩૨૦ થી ૩૨૯માં પ્રાપ્ત થતા વિચારોની ચર્ચા લિંગસમુદેશમાં કરવામાં આવી છે. ત્યાં એ ચર્ચાના અનુસંધાનમાં આવશયક ટિપણે આપવામાં આવ્યાં છે. તેથી અહીં તેની પુનરુક્તિ કરવામાં આવી નથી.
प्रवृत्तिमन्तः सर्वेऽर्थास्तिसृभिश्च प्रवृत्तिभिः ।
सततं न वियुज्यन्ते वाचश्चैवात्र संभवः ॥३२३॥ બધા પદાર્થો પ્રવૃત્તિવાળા હોય છે. (આવિર્ભાવ વગેરે) ત્રણ પ્રકારની ક્રિયાઓ વિનાના તે કદાપિ હોતા નથી. તેવા (પદાર્થો) શબ્દો વડે જણાવાય છે. (૩૨૩)
ભાધ્યકારે જણાવ્યું છે કે બધા પદાર્થો આવિર્ભાવ અને તિરોભાવ રૂપી ગુણોવાળા છે અને આવા પદાર્થો માટે જ શબ્દનો પ્રયોગ થાય છે. (સર્વાથ પુનર્મૂતય પ્રવામિw: સંદયાનgષવાળા: I –ત્રિયામ ! ૪.૧ ૩ ઉપરનું ભાષ્ય) -
यश्चाप्रवृत्तिधमार्थश्चितिरूपेण गृह्यते ।
अनुयातीव सोऽन्येषां प्रवृत्तिर्विश्वगाश्रयाः ॥३२४॥ પરંતુ પ્રવૃત્તિ વિનાના રૌતન્ય રૂપ અર્થ તરીકે જેને સમજવામાં આવે છે તે જાણે કે બીજા (પદાર્થો)ની સર્વવ્યાપી પ્રવૃત્તિઓને અનુસરે છે. (૩૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org