SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ વાકયપદીય નિવૃત્તિ થાય છે.) સુત્રનું ભાષ્યકાર ખંડન કર્યું છે કારણ કે શબ્દોનો અર્થ જતિ સમજવામાં આવ્યો છે. શબ્દ શક્તિની સ્વાભાવિકતાને કારણે લિંગ અંગે નિશ્ચિત સ્થિતિ સમજવામાં આવે છે. જાતિવાચક શબ્દને તેનું ચોક્કસ લિંગ હોય છે, જેમકે પશુઓના સમૂહમાં કેટલાંક નર પશુઓ હોય અને કેટલીક માદાઓ હોય તે પણ જાવ: માઃ એવો પ્રયોગ થાય છે, વાછરડાંઓના સમૂહમાં વાછરડએ હેવા છતાં વત્તા ફુલે પ્રોગ થાય છે. ઉજાશવાળાં હિ ર સા નિચોવ સુથા तथा च युक्तवद्भावे प्रतिषेधो निरर्थकः ॥३१९।। તે જાતિ તેના આશ્રયેના નિશ્ચિત લિંગ સાથે જોડાય છે. તેથી યુક્તવત્ ભાવના સંબંધમાં જાતિનું પ્રતિષેધ નિરર્થક છે. (૧૯) જાતિનો જુદાં જુદાં લિંગ સાથે સંબંધ થતો હોય તો તેને નિશ્ચિત લિંગવાળી કેવી રીતે કહી શકાય એવી શંકાને ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યો છે. જતિ તેના આશ્રયોનાં લિંગ સાથે જોડાય છે. આ આશ્રયો નિયત લિંગવાળા હોવાથી જાતિને પણ નિયત લિંગવાળી કહી શકાય છે. વૃક્ષ, તહા, વાઢવ: એ ત્રણ શબ્દ વૃક્ષનો અર્થ દર્શાવે છે. એ ત્રણેય શબ્દો પુલિંગમાં વપરાય છે પરંતુ વૃક્ષવિરોધ અર્થ દર્શાવાતો શબ્દ શિંઝવા સ્ત્રીલિંગમાં જ વપરાય છે. ઘનસત્ શબ્દ નપુંસકમાં વપરાય છે. તટ શબદ ત્રણ લિંગમાં વપરાય છે. આમ આશ્રયોનાં નિયત લિંગ ઉપરથી જાતિના લિંગનો નિશ્ચય થાય છે. આને આવિટલિંગતા કહે છે. યુક્તવદભાવ એટલે પ્રકૃતિ પ્રમાણેનું આચરણ હોવું, અર્થાત જેને તદ્ધિત પ્રત્યય લાગ્યા પછી તે તદ્ધિત પ્રત્યાયને મૂત્રનિયમ પ્રમાણે લુપ થાય એવા પ્રકૃતિશદ પ્રમાણે લિંગ અને વચનની પ્રાપ્તિ થવી. યુક્તવદૂભાવનું સૂત્ર છે સુપિ યુરતવષ્યશિવને (૧ ૨.૫૧) આ સૂત્રનિયમમાં પ્રાપ્ત થતા યુક્તવભાવને વિશેષાનાં વાગાતે: (૧.૨.૫૮) સૂત્રનિયમથી પ્રતિષેધ કરવામાં આવ્યો છે. આ પ્રતિષેધ કરવાની જરૂર નથી. કારણ કે જાતિ શબ્દ પિતાના શબ્દશક્તિરૂપ સામર્થ્ય પ્રમાણે લિંગનું અભિધાન કરે છે, તે યુક્ત અર્થાત લુપ્ત પ્રત્યયવાળી પ્રકૃતિરૂપ પ્રાતિપદિકનાં લિંગને અનુસરતા નથી. सर्वत्राविष्टलिङ्गत्वं लोकलिङ्गपरिग्रहे । विरोधित्वात्प्रसज्येत नाश्रितं तच्च लौकिकम् ॥३२०॥ " (શબ્દોનાં) લોકિક લિંગને સ્વીકારવામાં આવતાં બધે એકસરખા નિશ્ચિત લિંગની પ્રાપ્તિ થશે, પરંતુ (શબ્દોના પ્રગોમાં વિરોધ પ્રાપ્ત થતો હોવાથી લૌકિક લિંગને આશ્રય કરવામાં આવતો નથી. (૨૦) શબ્દોના લૌકિક વ્યવહારમાં રૂઢ થયેલા લિંગને સ્વીકારવામાં આવતાં સ્તન, કેશ વગેરે ચિહ્નોને કારણે યોવિત શબ્દ સ્ત્રીલિંગમાં વપરાય છે. પરંતુ સ્ત્રીત્વના વાચક વાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy