________________
૧૮*
ત્રીજુ કાંઠે
असास्नो गौरिति यथा गवयो व्यपदिश्यते । .
जात्यन्तर न गोरेव सास्नाभावः प्रतीयते ॥२९९।। જેમ, ગોદડી વિનાની ગાયથી જુદી જ જાતિના ગવયને ઉલલેખ થાય છે, ગાયની ગોદડીના અભાવનો ખ્યાલ આવતું નથી. (૨૯૯)
; (:) એવા ન- સમાસથી, જેને (કદી) ગોદડી હોતી નથી એવા ગવયની પ્રતીતિ થાય છે. આ ગાયને ગોદડી હોતી નથી તે ખરું છે પરંતુ તે બીજી જ જાતિનું પ્રાણી છે. એ પ્રમાણે મધ્યાહ્નનશબ્દમાં બ્રાહ્મણ જાતિના પ્રતિષધથી બીજી જાતિ અર્થાત ક્ષત્રિયને બંધ થાય છે.
तुल्यरूपं यथाख्यात कण्टकैभेदहेतुभिः ।
खदिरं जातिभेदेन खजूरात प्रतिपद्यते ॥३०॥ જેમ સરખા દેખાવવાળા સમજવામાં આવેલા ખદિરને, તેના ભેદ દર્શાવનાર કાંટાઓ વડે ખજૂરીથી જુદી જાતિનું (ઝાડ) સમજવામાં આવે છે. (૩૦૦)
બેરના વૃક્ષને અને ખજુરીના વૃક્ષને સફેદ દાંડીઓ અને ઝીણાં પાંદડાં હોય છે, તેથી તે બને સરખાં છે એમ સમજવામાં આવે છે. ત્યારબાદ બને જુદો સમજવાનું કારણ એ છે કે ખેરના કાંટા ખજુરીમાં હોતા નથી. આ પ્રમાણે ત્રાળ: સમાસમાં બ્રાહ્મણોનાં લક્ષણ જેવાં લક્ષણો ક્ષત્રિયમાં જોઈને બ્રાહ્મણત્વ સમજાય છે અને ત્યાર પછી ન વડે તેને નિષેધ કરવામાં આવે છે. અહીં માત્ર જાતિ જ જુદો છે, તપ, વ્યુત વગેરે ગુણે સરખા છે.
अविद्यमानब्राह्मण्यो याहशो ब्राह्मणो भवेत् ।
अङ्गीकृतोपमानेन तथान्याथा ऽभिधीयते ॥३०१॥ તેમ બ્રાહ્મણ વિનાના બ્રાહ્મણ જેવો બાહ્ય (ક્ષત્રિય રૂ૫) અર્થ સદશ્યને સમાવનારા (મશ્રા) શબ્દ વડે દર્શાવાય છે. (૩૦૧)
ઉપરની કારિકાઓમાં શાસ્ત્રી શ્યામા, મસા, અને વટવાન એવા ત્રણ સમાસે રજૂ કરવામાં આવ્યા. આ ઉદાહરણે દ્વારા પ્રાપ્ત થતો સિદ્ધાન્ત આ કારિકામાં રજુ કરવામાં આવ્યો છે. સદશ્યને કારણે આ ત્રણેય ઉદાહરણોમાં બાહ્ય પદાર્થ કન્યા, ગવય અને ખદિર સમજવામાં આવે છે. એ પ્રમાણે બ્રાહ્મણત્વ સાથે સંકળાયેલા ગુણેની સરખામણી અથવા સાદશ્ય જેમાં પ્રાપ્ત થાય છે તે મહ્મળ: સમાસ બાહ્ય ક્ષત્રિય અર્થ દર્શાવે છે.
अवृष्टयो यथावर्षा नीहाराभ्रसमावृताः ।
तद्रूपत्वात्स हेमन्त इत्यभिन्नः प्रतीयते ॥३०२।। વરસાદ વિનાના પરંતુ ધુમ્મસ અને વાદળાવાળા દિવસેને વૃષ્ટિહીન કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org