SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ પહ૩ શબ્દના ભાવાત્મક અને અભાવાત્મક એવા બે અર્થી સંભવે છે. બ્રાહ્મળ: પદમાં બ્રાહ્મણ શબ્દના બે અર્થો હોવા છતાં તેને બ્રાહ્મણ એ મુખ્ય અર્થ જ સમજવામાં આવે છે. સ્થા ધાતુમાં ગમનને અર્થ છે છતાં 9 શબ્દ તેની આગળ મૂકયા વિના પ્રસ્થાન અર્થાત્ ગમનને અર્થ પ્રાપ્ત થતું નથી. તે પ્રમાણે બ્રાહ્મણ શબ્દમાંથી ક્ષત્રિય એવો અર્થ પ્રાપ્ત થતા હેવા છતાં ન.ના પ્રયોગ વિના ક્ષત્રિય અર્થ દર્શાવી શકાતો નથી. किमर्थमतथाभूते सति मुख्यार्थसंभवे । भेदे ब्राह्मणशब्दस्य वृत्तिरभ्युपगम्यते ॥२७८।। જે (બ્રાહ્મણ એવો) મુખ્ય અર્થ પ્રાપ્ત થતું હોય તો તેવા અર્થના અભાવવાળા અને તેનાથી જુદા (ક્ષત્રિય) અર્થમાં બ્રાહ્મણ શબ્દ શા માટે વાપરવામાં આવે છે? (૨૭૮) अयं पदार्थ एतस्मिन् क्षत्रियादौ न विद्यते । इति तद्वचनः शब्दः प्रत्ययाय प्रयुज्यते ॥२७९।। બ્રાહ્મણ શબ્દનો આ અર્થ આ ક્ષત્રિય વગેરેમાં પ્રાપ્ત થતો નથી એવી સમજણને માટે તેને વાચક (બ્રાહ્મણ) શબ્દ પ્રયોજવામાં આવે છે.(૨૭૯) અજ્ઞાનને કારણે અથવા બેટા ઉપદેશને લીધે બ્રાહ્મણ શબ્દ ક્ષત્રિય માટે વાપરવામાં આવે છે. પવિત્ર આહારવાળા, ગૌર વર્ણવાળા, પિંગલ કેશ પુરુષને જોઈને આ બ્રાહ્મણ છે એમ આપણે જાણીએ છીએ. પાછળથી જ્ઞાન થાય છે કે તે બ્રાહ્મણ નથી. પરંતુ અબ્રાહ્મણ છે. આવી રીતે બ્રાતિને કારણે આ બ્રાહ્મણ છે એમ જાહેર કરવામાં આવે છે. बुद्धेविषयतां प्राप्ते शब्दादर्थे प्रतीयते । प्रवृत्तिर्वा निवृत्तिर्वा श्रुत्या ह्यथोऽनुषज्यते ॥२८०॥ અર્થ જ્યારે બુદ્ધિને વિષય બને છે ત્યારે શબ્દમાંથી જ (ભાવરૂપ) પ્રવૃત્તિ અને (અભાવરૂપ) નિવૃત્તિ સમજવામાં આવે છે, કારણ કે શબ્દ સાથે જ અર્થ જોડાય છે. (૨૮) | શબ્દમાંથી ભાવરૂપ કે અભાવરૂપ અર્થ અને તેને કારણે તેવા અર્થની પ્રવૃત્તિ કે નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. નોરામાં ભાવરૂપ અર્થ છે. માહ્મળામાં અભાવરૂપ અર્થ છે. આમ શબ્દ પ્રવૃત્તિરૂપ અથવા નિવૃત્તિરૂપ અને વિશેષક બને છે. अ सम्यगुपदेशाद् वा निमित्तात् संशयस्य वा । शब्दप्रवृत्तिने त्वस्ति लोष्टादिषु विपर्ययात् ।।२८१।। અયોગ્ય ઉપદેશને કારણે અથવા શંકાના કેઈ કારણને લીધે શબ્દની બેટા, અર્થમાં પ્રવૃત્તિ થાય છે. માટીના ઢેફા વગેરેમાં વિરુદ્ધ સ્થિતિ હોવાથી આવી અર્થપ્રવૃત્તિ થતી નથી. (૨૮૧) Jain Education International For Private & Rersonal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy