________________
૫૬૮
વા૫દીય
અભાવ એવા નિષેધને જાહેર કરવા માટે, બાહ્ય પદાર્થને અભાવ હોવા છતાં બુદ્ધિ વડે જણાવાતા ભાવરૂ પર્વને આધારે ભાવ શબ્દ વાપરવામાં આવે છે. ભાવ અને અભાવ એવા બે શબ્દો લગભગ સરખા જણાય છે, એટલા માત્રથી ભાવ ઉપરથી અભાવત્વ સમજાતું નથી. તેથી અભાવ એ ન- પ્રવેગ પ્રાપ્ત થાય છે. અસદરૂ૫ અય અર્થાત અભાવરૂ ૫ પદાર્થમાં જાતિને કારણે ભાવતત્વને આ૫ થતાં બ્રાન્તિ દૂર કરવા અભાવ એ ન પ્રવેગ પ્રાપ્ત થાય છે.
अनेकधर्मवचनाः शब्दाः सङ्घाभिधायिनः ।
एकदेशेषु वर्तन्ते तुल्यरूपाः स्वभावतः ॥२६५।। અનેક ગુણેના વાચક અને તે (ગુણે)નો સમહ દર્શાવતા શબ્દો સરખા રૂપવાળા હાઈ, તેમના અવયમાં (પણ) સ્વાભાવિકપણે પ્રાપ્ત થાય છે. (૨૬૫)
નમ્ (૨.૨.૬) સૂવ ઉપરના ભાગમાંના સથવા સર્વે ને શા: ગુણસમાચે વર્તે? બ્રહ્મા: ક્ષત્રિયો વૈશ્ય શુઢ રૂતિ ' માં પ્રાપ્ત થતા વિચારને આ કારિકામાં રજૂ કરવામાં આ છે.
ગુણસમુદાય એટલે જાતિ, ગુણ, ક્રિયા, વગેરરૂપ ધર્મો અને તેમના સમૂહ. ત., અત', યોનિ. એવા બધા ગુણોનો સમૂહ દર્શાવતો ગ્રાહ્મળ શબ્દ તપ અને શ્રુત વિનાના પરંતુ બ્રાહ્મણ નિમાં જન્મેલાને અર્થાત ગુણોના સમૂહમાંથી એક ગુણ ધરાવનાર વ્યક્તિને પણ લાગુ પડે છે. એ પ્રમાણે બ્રાહ્મણ જાતિમાં જન્મ નહિ પામેલ પરંતુ, વિદ્યા, વિનય વગેરે ગુણેના સમુદાયમાંથી કેટલાક ગુણવાળા ક્ષત્રિયને માટે બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઉત્રાણા: શબ્દમાંના બ્રાહ્મણ શબ્દ બ્રાહ્મણત્વના અમુક ગુણે દર્શાવે છે. ના જણાવે છે કે બ્રાહ્મણત્વના બીજા ગુણોને તેમાં અભાવ છે.
यथैकदेशकरणात् कृत इत्यभिधीयते ।
अकृतश्चेति सङ्घातः स एवाब्राह्मणे क्रमः ॥२६६॥ જેમ કોઈ કાર્યના એક ભાગને કરવામાં આવતાં કરેલું, એમ (કરેલું અને નહિ કરેલું એ) શબ્દસમૂહ વપરાય છે તેમ ત્રાધાળ શબ્દની પણ એવી સ્થિતિ છે. (૨૬૬)
- જેમ તાત: માં કોઈ કાર્યનો ઘણે ભાગ પૂર્ણ કર્યો હોય અને કઈક બાકી હોય તે પણ તે વપરાય છે અને કોઈક કાર્યનો ઘણે ભાગ પર ન થયો હોય તો પણ મગૃત વપરાય છે તેમ તા:, શ્રત', યોનિઃ વગેરે ગુણસમુદાયમાંથી કેટલાક ગુણે સરખા હોય તો શ્રાવાળ: શબ્દ ક્ષત્રિય માટે વપરાય છે. આમ બ્રાહ્મણત્વને ક્ષત્રિય ઉપર આરોપ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org