________________
બીજુ કાંઠ
૫૬૭
ઉચ્ચરિત શબ્દ સામાન્ય રીતે, સદ્દરૂપ અને અસરૂપ એમ બે પ્રકારનો અર્થ દર્શાવે છે. પરંતુ બાહ્ય પદાર્થ આ હેતો નથી. કારણ કે તે માત્ર ભાવનિષ્ઠ અર્થાત સનિષ્ઠ હોય છે તેથી સન્ ગ્રાળ: / એવા પ્રયોગમાં સન નો વપરાશ આવશ્યક છે, પરંતુ આવો પ્રાગ વ્યવહારમાં થાય છે ખરો, કારણ કે ત્રાળ: શબ્દથી ભાવરૂ૫ અને અભાવરૂપ એવો બે પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. આ બે પ્રકારનો અથ ઉપચાર સત્તાથી પ્રાપ્ત થતા અર્થ છે. મુખ્ય સત્તા પ્રાપ્ત અર્થ માત્ર ભાવરૂપ અર્થ દર્શાવે છે. તેથી પ્રસન્ન ગ્રહ્મા; એવા પ્રયોગમાં ન...ને પ્રયોગ સમજી શકાશે.
હેલા રાજ જણાવે છે કે કરવમ્ શબ્દનો માત્ર કમળ એ અર્થ થતો નથી. પરંતુ એનો રંગવિશેષ “નીલ” એવો અર્થ પણ બુદ્ધિમાં હમેશાં પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ત્રાહ્મળ:માં પણ નિર્વિષય નિષેધ પ્રાપ્ત થતો ન હોવાથી સત્તાને નિષેધ ઉપચારસત્તારૂપ અર્થ તરીકે થશે. પરિણામે સમગ્રાહ્મણ કે સન ત્રાહ્મળ: માં પૂર્વોત્તર પદો વચ્ચે વિશેષણવિશેષભાવ પ્રાપ્ત થઈ શકશે.
क्षत्रियादौ पदं कृत्वा बुद्धिः सत्तान्तराश्रया ।
जात्या भिन्नां ततः सत्तां प्रसक्तामपकर्षति ॥२६३॥ (બ્રાહ્મણસત્તારૂપી) બીજી સત્તાથી જુદા આશ્રયવાળી બુદ્ધિ (પહેલાં) ક્ષત્રિય વગેરેને દર્શાવીને ત્યાર પછી, (ક્ષત્રિય) જાતિ(રૂપ સત્તા) થી જુદી પ્રસ્તુત (બ્રાહ્મણ સત્તાની નિવૃત્તિ કરે છે. (૨૬૩)
નિષેધને પ્રાપ્ત થયેલા પદાર્થના જેવા પદાર્થનું જ્ઞાન ન સમાસમાં કેરી રીતે થાય છે તે આ કારિકામાં દર્શાવવામાં આવ્યું છે.
કોઈક બાબત ભૂલથી ટી સમજાવાને કારણે, અર્થાત નિત્ય નૈમિત્તિક કાર્યો કરવાં, સંસ્કાર પૂર્ણ આચાર હોવો, શુભ ગૌર વર્ણ હા, આવી સ્થિતિ જ્યારે ક્ષત્રિયમાં પ્રાપ્ત થાય છે ત્યારે તેને માટે ભૂલથી ત્રાહ્મળ: શબ્દ વપરાય છે. હવે જ્યારે ભૂલ સમજાય અને આ અબ્રાહ્મણ ક્ષત્રિય છે એમ ખાતરી થાય ત્યારે સત્ર: એવો ના પ્રયોગ થાટ છે.
૩મત્રાહ્મળોષચં ક્ષત્રિય ! એ પ્રમાણે સમજાતાં ક્ષત્રિયમાં અબ્રાહ્મણત્વનું જ્ઞાન થાય છે. આમ ત્રાહ્મળ એવો નમ્ન પ્રયોગ, જેમાંથી ક્ષત્રિયબુદ્ધિ પ્રાપ્ત થાય છે, તે ક્ષત્રિય માટે ગ્રાહ્મળ: શબ્દના પ્રયોગથી, પ્રસ્તુત એવી રૂપ સત્તાની, ક્ષત્રિયબુદ્ધિથી નિવૃત્તિ કરે છે અર્થાત્ બ્રાહ્મણરૂપ બુદ્ધિને દૂર કરે છે.
अभाव इति भावस्य प्रतिषेधे विवक्षिते ।
सोपाख्यत्वमनाश्रित्य प्रतिषेधो न कल्पते ॥२६४॥ સમાસમાં જ્યારે અભાવમાં ભાવના નિષેધને સમજવામાં આવે છે ત્યારે ભાવપણાને આ વ્યય કર્યા વિના નિધની કલ્પના થઈ શકતી નથી. (૨૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org