SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું કાંડ અહીં એવી શંકા થાય કે અસત્ અને કટ્ટરવામાં મન અને દવા જેમને ભાવાત્મક અર્થ છે તેમને નિષેધ કેવી રીતે થશે ? આના જવાબમાં એમ કહી શકાય કે ન સ્વભાવથી જ નિષેધરૂપ અર્થનું ઘોતન કરે છે. તેથી વાક્યમાં તેમજ સમાસમાં પણ તેને પ્રયોગ થાય છે. આ અંગે બે પક્ષો સંભવે છે. ક્રિયા સાથે સંબંધ વિનાને કોઈ પદાર્થ ક૯પી શકાતો નથી. તેથી કાં તો ન., ક્રિયાવિશેષ સાથે સંબંધવાળા પદાર્થના નિષેધનો ઘાતક બનશે, અથવા ક્રિયા સામાન્યના નિષેધનો ઘાતક બનશે. પહેલા વિકપમાં સામર્થ્યને અભાવે સમાસ થઈ શકશે નહિ. સામર્થ્યને સ્વીકારવામાં આવે તે પણ ન... સમાસનાં પદને ગૌણ મુખ્યાથે અંગેના ત્રણ પક્ષે યોગ્ય કરશે નહિ. બીજા વિક૯પમાં અસ્તિત્વસામાન્યના ઘાતક એવા નગ્નનો ઉત્તરપદ વડે દર્શાવાતા ક્રિયા સામાન્ય સાથે સંબંધ થશે અને એ પ્રમાણે અનવસ્થા પ્રાપ્ત થશે. આ બધામાંથી માર્ગ કાઢવા માટે ન ને નિષેધનો ઘાતક નહિ પરંતુ વાચક માન. વાચક માનતાં તેને સ્વતંત્ર અર્થે પ્રાપ્ત થશે અને આ અર્થને પ્રધાન અથવા ગૌણ કહી શકાશે. પરિણામે ભાષ્યકારે જણાવેલા ત્રણ વિકલ્પ ચોગ્ય કરશે. क्रियायाः साधनाधारसामान्ये ना व्यवस्थितः । ततो विशिष्टैराधारैर्युज्यते ब्राह्मणादिभिः ॥२५६॥ (સત્તારૂ૫) ક્રિયાના કર્તાના આશ્રયસામાન્ય સાથે ન.. સંબંધને પામે છે; અને તેથી બ્રાહ્મણ વગેરે વિશેષ આ સાથે તે જોડાય છે. (૨૫૬) નમ ને નિષેધને વાયક માનવામાં આવે છે. આ નિષેધ અસ્તિત્વરૂપી ક્રિયાને નિષેધ છે. આ પક્ષમાં મસન્ પ્રયોગમાં બીજી સત્તાની કલ્પના થઈ શકતી નથી. મશરવા, અ#ર્તન વગેરે પ્રયોગમાં ૐ ધાતુ સાથે નબૅનો સંબંધ પ્રાપ્ત થાય છે. આ બન્ને બાબતે સિદ્ધ કરવા માટે આ કારિકાને વિચાર રજૂ કરવામાં આવ્યો છે. અસ્તિત્વરૂપ ક્રિયા અકર્મક હેવાથી તેના આધારરૂપે તેની કતું શક્તિ છે. ન આ આધાર અર્થાત્ આશ્રયસામાન્ય વાચક બને છે. બીજા શબ્દોમાં કહીએ તો ન સમાસમાં નનું અસ્તિત્વરૂપ ક્રિયાના નિષેધના આશ્રયસામાન્ય વાચક બને છે. પરિણામે ન અર્થ નાસ્તિ એવો થશે. બત્રાહ્મણ સમાસ અંગે વિચારતાં એમ કહી શકાય કે નગ્ન, અસ્તિત્વના નિષેધરૂપી યિાસામાન્યના આધારવિશેષને વાચક બને છે. આમ એક પદ નિષેધસામાન્ય દર્શાવે છે અને બીજું પદ આધારવિશેષ દર્શાવે છે. બન્ને વચ્ચે સામાન્ય—વિશેષભાવ થતાં વિશેષણવિશેષ્યભાવ પ્રાપ્ત થશે. (તથા ૧ તતઃ સામાન્યાવયાના ક્ષેતો विलक्षणः सत्ता विशेषसाधनाधारविशेषवचनर्ब्राह्मणादिशब्द: संबध्यते नभिति तदर्थ यो: सामान्यવિવિમાન વિરવળવિશેષ્યમાચોવતિઃ !–હેલારાજ) હવે આ સામાન્ય અને વિશેષ એવા બે પ્રકારના અર્થોમાંથી વિશેષણ કર્યું અને વિશેષ્ય કર્યું એ વિવક્ષાને આધારે નક્કી થશે. જ્યારે નિષેધને વિશેષ્ય સમજવામાં આવે અને alહ્મગને વિશેષણ સમજવામાં આવે ત્યારે નિષેધ અર્થાત્ તેના વાચક પૂર્વપદ નઅને અર્થ મુખ્ય થશે. સન ત્રાહ્મળ: માં ઉત્તરપદને અર્થ વિશેષ્ય બનશે અને પૂર્વ પદનો અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy