SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ થીજુ કાંઠ ब्राह्मणादिस्थया वाक्येष्वाख्यातपदवाच्यया । क्रियया यस्य संबन्धो वृत्तिस्तस्य न विद्यते ॥२५२॥ બ્રાહ્મણ વગેરે (કર્તાઓ)માં રહેલી અને વાકયમાં ક્રિયારૂપ વડે જણાવાતી ક્રિયા સાથે જે સંબંધ છે તેવા (નવું) ને સમાસ થઈ શકે નહિ. (૨પર) અગાઉની કારિકામાં જણાવવામાં આવ્યું કે નત્રને પિતાનો અર્થ નથી, તે હમેશાં પદાર્થનિષ્ઠ છે. તો પછી ભાષકારે જણાવેલા ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પ્રમાણે તે, સમાસમાં પૂર્વપદ તરીકે મુખ્ય અર્થ કેવી રીતે જણાવી શકશે ? હવે જે એમ માનીએ કે નને પોતાનો અર્થ છે અને તે ઉત્તર પદના અર્થ સાથે જોડાય છે, તો ઉતરપદ પિતાનો સ્વતંત્ર અર્થ ગુમાવશે અને ઉત્તરપદને અથ પ્રધાન છે એવો બીજો વિકલ્પ પણ યોગ્ય બનશે નહિ. (તિ તમિનિમાયામના તેના વિશેષમાળ ૩ત્તરપાર્થ દવમયાત્ પ્રભુત: મારવાત્ ત્રાધાન્ચે તિવત –હેલારાજ) ત્રીજા પક્ષા અંગે પણ આવી જ મુશ્કેલી છે. સમાસનાં બે પદોના અર્થો વચ્ચે સંબંધ હોતો નથી એમ માનીએ તો પછી, આવાં બે પદોના અર્થો વડે દર્શાવાતા અન્ય પદનો અર્થ પણ પ્રાપ્ત થશે નહિ આમ ભાષ્યકારે જણાવેલા ત્રણ પક્ષે અંગે મુશ્કેલીઓ પ્રાપ્ત થશે. નમ્ વડે દર્શાવાતી નિષેધ ક્રિયા અંગે વિચારતાં એમ લાગે છે કે જે નગ્ન ઉતરપદના અર્થની ક્રિયાના નિષેધ કરતો હોય તે મદ્રાક્ષ: પદમાં નગ્ન ને ઉત્તરપદ સાથે સંબંધ પ્રાપ્ત થશે નહિ. તેથી સામર્થના અભાવમાં સમાસની પ્રાપ્તિ જ નહિ થાય. પ્રતિષેધ પામતી ક્રિયા વાકય દ્વારા જણાવવામાં આવે છે. પહેલા વિકલ્પ પ્રમાણે ત્રાટાળો ન મરાતે I (બ્રાહ્મણ ખાતો નથી), ત્રાળ; ન મધરો ! (બ્રાહ્મણ અભ્યાસ કરતો નથી) વગેરે વાકામાં ત્રાળ: એવા કારક પદ સાથે જોડાયેલી ક્રિયા સાથે જે ન નો સંબંધ છે તે નક્કનું ઉતરપદ સાથે સામ ન હોવાથી આવાં વાકયોને સમાસ બનશે નહિ. પરિણામે જ્યારે સમાસની જ પ્રાપ્તિ થતી ન હોય ત્યારે અમુક પદને અર્થ મુખ્ય અને અમુકનો અર્થ ગૌણ એવા વિક િનગ્ન સમાસ અંગે સમજાશે નહિ. આવી સ્થિતિ અસ્તિક્રિયા અંગે નથી. બ્રાહ્મળ: નાહિત એવા વાક્યને મત્રાહ્મણ એ સમાસ બની શકશે કારણ કે અસ્તિક્રિયા પદાર્થોની સાથે સ્વાભાવિકપણે જોડાયેલી છે. पाचकादिपदस्था चेन्नना संबध्यते क्रिया । तत्र सत्तानुपादानात् त्रिपक्षी नोपपद्यते ॥२५३॥ પાવ: જેવા શબ્દો વડે જણાવાતી ક્રિયા ન સાથે સંબંધ પામતી હોય તે ત્યાં અસ્તિત્વની પ્રાપ્તિ થતી ન હોવાથી, ત્રણ વિક એગ્ય બનશે નહિ. (૨૫૩) કારિકા ૨૫રના વિચારને સ્વીકારવામાં આવતાં વાવ ને મારા એ સમાસ બનશે. અહીં અને ઉતરપદ વડે દર્શાવાતી ક્રિયા વચ્ચે સંબંધ પ્રાપ્ત થાય છે, વા-૭૧ Jain Education International For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy