SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ જુ કાંડ પપ૭ શબ્દ મહત્ત્વનો છે અને નિમિત્તે તેને અનુસરે છે. તf વનાનિ (અલતિક નામની ટેકરીવાળાં વન) પ્રયોગમાં એકત્વરૂપ ધર્મવાળા નિમિત્ત વરિ શબ્દનું અનુસરણ નિમિત્તી એ વનનિ શબ્દ કરે છે. विभक्त्यर्थेन चाविष्टं शुद्ध चेति द्विधा स्थितम् । द्रब्य शुद्धस्य यो धर्मः स न स्यादन्यधर्मणः ॥२४॥ વિભકત્યર્થ રૂપી સંબંધ સાથે જોડાયેલું અને (શુદ્ધ) (સ્વરૂપવાળું) એમ બે પ્રકારે દ્રવ્યની પ્રવૃત્તિ સમજવામાં આવી છે. શુદ્ધ (દ્રવ્ય)નો જે લિંગસંખ્યા રૂપ) ધર્મ છે તે બીજા દ્રવ્યના ધર્મથી અસર પામતાં પ્રાપ્ત થશે નહિ (૨૪૪) વિભકર્યાભિધાન પક્ષમાં પડી વિભક્તિ વડે વાસ્થ સંબંધ સાથે અભેદ સબંધથી જોડાયેલા દ્રવ્યને સમાસાર્થે સમજવામાં આવે છે. પદાર્થોભિધાન પક્ષમાં બીજા કોઈ વડે મર્યાદિત ન બનેલા શુદ્ધ દ્રથને વાચાર્ય સમજવામાં આવે છે. આમ બે પક્ષમાં દ્રવ્યને બે પ્રકારે સમજવામાં આવ્યું છે. શુદ્ધ કર્યું જે સંબંધ વડે મર્યાદિત બનતું હોય તે દ્રવ્યના લિંગ અને સંખ્યા રૂપ ધર્મો પ્રાપ્ત થશે નહિ. તે વી વિરોષણાનાં વાકાતે: (૧.૨.૫૨) સૂત્રનિયમ પ્રમાણે લિંગ અને સંખ્યાનો અતિદેશ સફળ થશે. द्रव्यमात्रस्य निर्देशे भेदोऽयमविवक्षितः । अन्थे पूर्वत्र भेदस्तु द्वितीयेऽनुप्रदर्शितः ॥२४५॥ (મહાભાષ્ય ગ્રંથમાં શરૂઆતમાં, જયાં માત્ર શુદ્ધ દ્રવ્યનો નિર્દેશ છે ત્યાં, (વિભકત્ય સાથે સંબંધવાળું) એવી વિશેષતા જણાવવાનું યંગ્ય માન્યું નથી. આવી વિશેષતા (પછીના) બીજા (ભાગ)માં સ્પષ્ટ કરવામાં આવી છે. (૨૪૫) બહુત્રીહિ અંગે બે પક્ષ, નેપચવાળું . (૨.૨.૨૪) ઉપરના ભાગ્યમાં ચર્ચવામાં આવ્યા છે. શરૂઆતમાં અર્થાત વાર્તિક ૪, ૫, અને ૬ ઉપરની ચર્ચામાં બહુવ્રીહિ શુદ્ધ દ્રવ્યરૂપ અન્ય પદાર્થને વાચક બને છે એ બાબત ચર્ચવામાં આવી છે. આ પક્ષમાં અનુપ્રયેળની પ્રાપ્તિ થશે એવી મુશ્કેલી દર્શાવી, તેને તે વી મનમિદિતસ્વાન્ ! એવા વાર્તિક દ્વારા દૂર કરવામાં આવી છે. આ ચર્ચામાં વિભકાર્યાભિધાન પક્ષનો નિર્દેશ કે ચર્ચા કરવાનું યોગ્ય માનવામાં આવ્યું નથી. ત્યારબાદ વાતિક ૭, ૮ અને ૯ ઉપરના ભાષ્યમાં બહુવીહિ ષષ્ઠયર્થને વાચક બને છે એ પક્ષની અર્થાત વિભકર્યાભિધાન પક્ષની ચર્ચા કરવામાં આવી છે. આ બીજા પક્ષમાં પણ વિભકત્યર્થ રૂપી સંબંધથી મર્યાદિત એવા દ્રવ્યને જ વાય માનવામાં આવ્યું છે. દ્રવ્યને જે વાસ્થ માનવામાં ન આવે તે અસત્વભૂત એવા સંબંધમાં લિંગ અને સંખ્યા કેવી રીતે પ્રાપ્ત થશે અને તેથી અતિદેશનો સંદર્ભ જ પ્રાપ્ત નહિ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy