________________
ત્રીજુ કાંઠ
૫૫૫ અગાઉની કારિકાના ટિપ્પણમાં જણાવવામાં આવ્યું કે સ્વામિત્વ દર્શક મસુન્ પ્રત્યય લાગીને તૈયાર થયેલા શબદરૂપ જેવો બહુત્રીહિ સમાસ છે. આવી સ્થિતિ પદાર્થોભિધાન પક્ષમાં પ્રાપ્ત થાય છે.
આ અંગે એક માસ્તર જણાવવામાં આવે છે. શબ્દ તેના સંબંધી સાથે સંયોગ સંબંધથી જોડાયેલો છે. એવી રીતે વિષાણ શબ્દ તેના સંબંધી સાથે સમવાય સંબંધથી જોડાયેલો છે. આ શબ્દોને તલ્લાન-તેની પાસે (તે) છે એ અર્થમાં સ્વામિત્વદર્શક હેન, ટન અને મલુ પ્રયામાંથી ઘન પ્રત્યય લાગે છે અને તેથી વનિ અને વિજ્ઞાનિસ્ શબ્દો બને છે. આ પ્રત્યયો તેને તુર્થ મિયા વેઢ atતઃ | (૫.૧.૧૧૫, તેની ક્રિયા જેવા કિયા જેની છે એવા અર્થમાં પ્રાતિ પદિકને વત્ પ્રત્યય લાગે છે) સૂત્રથી પ્રાપ્ત થાય છે.
આવી રીતે અન્ય પદના અર્થ સાથે જોડાયેલા અને સંબંધીરૂપે સમજવામાં આવેલાં બહુવીહિ પદો, બહુવીહિનું નિમિત્ત બને છે.
भिन्नं संबन्धिभेदेन संबन्धमपरे विदुः । __निमित्त स विभक्त्यर्थः समासेनाभिधीयते ॥२३५॥
પરંતુ બીજા આચાર્યો સમજે છે કે જુદા જુદા સંબંધીઓ સાથે જુદે જુદે (સમજાતે) સંબંધ (મત્વથી શબ્દરૂપનું) નિમિત્ત બને છે. તે (સંબંધરૂપ) વિભત્યર્થ, સમાસ વડે અભિધાન પામે છે. (૨૩૫)
મતુબન્ત શબ્દમાં રહેલા સંબંધવિશેષનો આશ્રય કઈક ચોકકસ સંબંધી હોય છે. આ સંબંધ મત્વથીય પ્રત્યયની ઉત્પત્તિનું કારણ બને છે. વળી, વિશાળી વગેરે પ્રયોગમાં સંબંધોમાં રહેલ પ્રત્યય અને સંબંધ એમ બને હોવાથી મનુબખ્ત શબ્દરૂપમાં સંબંધીનું તેમજ સંબંધનું એમ બંનેનું નિમિત્તત્વ સ્પષ્ટ થાય છે. ઇદી, વિકાળ એવું મતબક્ત પદ અખંડ છે છતાં તેમાં આ પ્રકૃતિ, આ પ્રત્યય, આ પ્રકૃત્યર્થ, આ પ્રત્યાર્થ એવા પ્રકિયાભેદ પ્રાપ્ત થાય છે.
प्रधानमन्यार्थतया भिन्न स्वरुपसर्जनैः ।
निमित्तमभिधेय वा सर्वपश्चादपेक्ष्यते ॥२३६।। સમાસમાં ગૌણુભાવે રહેલાં પરૂપી સંબંધીઓથી સીમિત બનેલ અને અન્ય પદને અથ હોવાને કારણે મુખ્ય (સમજાતો) સંબંધ (બહુવ્રીહિ સમાસની પ્રવૃત્તિનું નિમિત્ત છે. અથવા વિગ્રહવાકયને અંતે તે પ્રાપ્ત થતો હોવાથી સમાસ વડે તે વાચ્ય બને છે. (૨૩૬)
બહુત્રીહિ અભ્યપદના અર્થમાં પ્રાપ્ત થાય છે એવો પ્રથમ પક્ષ છે. અન્ય પદાર્થ રૂપ આ સંબંધ, સંબંધના ગૌણ ભાવે રહેલાં સમાસનાં પરૂપી સંબંધીઓથી સીમિત બને વા-૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org