________________
૫૫૨
વાયની
આમ હોવા છતાં ભાષ્યકારને મત અન્ય પદાર્થોભિધાનપક્ષને સ્વીકારવાનો હેય એમ લાગે છે. આ પક્ષને કદાચ પાણિનિને ટેકો હોય એમ અમરપાળે (૨.૨.૨૪) મૂત્રમાં અર્થ શબ્દના ઉલ્લેખ ઉપરથી સૂચવાય છે, એમ ભાગ્યકારનું માનવું છે. આ પક્ષમાં સમાસને લિંગ અને સંખ્યા સાથે વેગ સ્વાભાવિકપણે પ્રાપ્ત થાય છે. વિબકર્થીભિધાનપક્ષમાં વિરોઘળાંનાં વાગાતે: ( એવા સૂત્રનિયમ (૧.૨.૫ર)થી લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ થશે.
આ બધી ચર્ચા ઉપરથી નિષ્કર્ષ તારવી શકાય કે પાણિનિને અન્ય પદાર્થપક્ષ માન્ય હશે કાત્યાયન અન્યવિભકત્યર્થ પક્ષની તરફેણ કરે છે એમ લાગે છે.
તસ્થાતિ મિન્નિતિ મનુન્ ! (૫.૨.૯૪, તે છે એનું એવા અર્થમાં અથવા તો તે છે જેને બદલે એવા અર્થમાં મલુન્ પ્રત્યય લાગે છે) પ્રમાણ સ્વામિત્વના અર્થમાં મધુર લાગે છે. આના ઉદાહરણ જાણવાનું વર્ણન (રાફડે કાળા સાપવાળા છે)માં સમાસનાં પદે પ્રતિપાદિકાર્ય દર્શાવે છે અને મનુ અવિભકત્યર્થ અર્થાત્ મિન્ નો અર્થ દર્શાવે છે,
આ સમાસ વિભકત્યર્થ ચહ્ય દર્શાવે છે. ' ' આ બધા ઉપરથી એમ માની શકાય કે અન્ય પદાર્થ અને વિભકત્યથ એવા બને પક્ષો સ્વીકારાé છે. ભર્તુહરિએ પણ આ સ્થિતિને સ્વીકારી છે,
संबन्धिभिर्विशिष्टाना संबन्धानां निमित्तता ।
संबन्धैर्वा विशिष्टानां तद्वतां स्यान्निमित्तता ॥२३३॥ બહુવહિનાં પદે વડે મર્યાદિત સંબંધીઓથી યુકત સંબધે (બહુવાહિની પ્રવૃત્તિમાં) નિમિત્તરૂપ બને છે અથવા સંબંધથી સીમિત એવા સંબંધીઓ નિમિત્તરૂપ બને છે. (૨૩૩)
વિભકત્યથભિધાન પક્ષમાં બહુત્રીહિનાં પદો વડે વાય એવા સંબંધીઓ વડે મર્યાદિત સંબંધ બહુવતિના કાર્યમાં નિમિત્તરૂપ બને છે. બીજી બાજુ પદાથભિધાન પક્ષમાં સંબંધે વડે મર્યાદિત સંબંધીઓ નિમિત્ત બને છે.
केचित्संयोगिनो दण्डाद् विषाणात्समवायिनः ।
तद्वति प्रत्ययानाहुबहुव्रीहिं तथैव च ॥२३४।। કેટલાક (આચાર્યો) જણાવે છે કે સંબંધી સાથે) સંગ સંબંધથી જોડાયેલા દંડ પછી અને (સંબંધી સાથે) સમવાય સંબંધથી જોડાયેલ “વિષાણુ” પછી, તેની પાસે તે છે એવા અર્થમાં સ્વામિત્વ દર્શાવનારા પ્રત્યય લાગે છે. બહુવીહિમાં પણ તેમજ બને છે. (૨૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org