________________
ત્રીજુ કાંડ
साधुत्व' न विभक्त्यर्थमात्रे वृत्तस्य दृश्यते ।
कृत्स्नार्थवृत्तेः साधुत्वमित्यर्थग्रहणं कृतम् ॥२२६॥ માત્ર વિભકત્યર્થના અભિધાનથી (બહુવ્રીહિ) સમાસને સાધુત્વ પ્રાપ્ત થતું નથી. અન્ય પદના સંપૂર્ણ અર્થનું અભિધાન કરનાર (બહુવ્રીહિ) સમાસનું જ સાધુત્વ છે. એટલા માટે (અને મુખ્યપાર્થે ૨.૨.૨૪ સૂત્રમાં) અથ (શબ્દ)નું ગ્રહણ કરવામાં આવ્યું છે. (૨૨૬)
વ્યાકરણશાસ્ત્ર હમેશાં પ્રગમાં પ્રાપ્ત થતા શબ્દોનું અન્વાખ્યાન કરે છે. દ્રવ્યનું અભિધાન ન કરનારા અને માત્ર પથથ સાથેના સંબંધનો બધ કરાવનારા એકાથીભાવવાળા બહબ્રીહિ સમાસનો પ્રયોગ પ્રાપ્ત થતો નથી, કારણ કે અન્ય પદાર્થને બાધ કરાવનારા અને દ્રવ્યરૂપ પ્રધાન અર્થને જણાવનારા બહુવ્રીહિની પ્રાપિત હમેશાં થાય છે. તેથી સૂત્રકારે ક્રમ વરાળે 1 (૨.૨.૨૪) સૂત્રમાં સમર્થ શબ્દને પ્રયોગ કર્યો છે. આ સૂત્ર ઉપરના ભાગ્યમાં પણ કહ્યું છે કે દિન: વાર્થો યથા વિજ્ઞાયતે સભ્યઃ સત્ર: સરંથશ્વા અહીં દ્રથ: શબ્દથી દ્રવ્યને જ મુખ્ય સમજવામાં આવ્યું છે. ૧ઢ શબ્દથી વિભકયર્થની પ્રતીતિ થાય છે.
सोऽयमित्यभिसंबन्धाद् द्रव्यवृत्तिरय यदा ।
सलिङ्गस्य ससंख्यस्य तदा साधुत्वमुच्यते ॥२२७॥ આ તે છે એવા અભેદ સંબંધને કારણે જયારે તે (બહુવહિ) દ્રવ્યનું અભિધાન કરે છે ત્યારે લિંગ સહિત અને સંખ્યા સહિત એવા તેનું સાધુત્વ જણાવાય છે. (૨૭)
બહુત્રીહિ વિભકર્થને જણાવે છે એ પક્ષમાં બત્રી હિમાં ષષ્ઠયર્થ વડે જણાવાતો સંબંધ દ્રવ્યસામાન્યનું અભિધાન કરનારા સંબંધી સાથે અભેદ સંબંધમાં હોવા છતાં દ્રવ્યવિશેષના લિંગ અને સંખ્યાને જણાવવા માટે વિશેષળાનાં વાગાલેઃ (૧ ૨.પર) સૂત્રને રજૂ કરવામાં આવ્યું છે. પદાર્થ ધાન પક્ષમાં દ્રવ્યનાં લિંગ અને સંખ્યાની સ્વાભાવિક સિદ્ધિ થાય છે.
अन्तर्भूतविभक्त्यर्थे षष्ठी न श्रूयते यथा ।
तथाश्रुतिः प्रसज्येत लिङ्गसंख्याभिधायिनाम् ।।२२८॥ (ષષ્ઠી) વિભક્તિના અથ (રૂપી સંબંધ)નો સમાવેશ હોવાથી (બહુવ્રીહિ સમાસમાં જેમ ષડીનો પ્રયોગ થતો નથી તેમ લિંગ અને સંખ્યાનું અભિધાન કરનારા પ્રત્યેનો પ્રયોગ પણ થશે નહિ. (૨૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org