________________
૫૪૮
વાષપદીય
सोऽयमित्यभिसंबन्धाद् विशिष्टाश्रयवाचिनाम् ।
शुक्लादिवल्लिङ्गसंख्ये शास्त्रारम्भाद् भविष्यतः ॥२२४॥ આ તે છે એવા (અભેદ) સંબધને કારણે વિશિષ્ટ આશ્રયનાં વાચક (બહુવહિ) પદનાં લિંગ અને સંખ્યા, (વિશેષાનાં વાકાતેઃ એવા) શાસ્ત્રનિયમને કારણે કુવર વગેરે શબ્દોની જેમ પ્રાપ્ત થશે. (૨૨૪)
1 જાતિ શબ્દો વડે જાતિસ્વરૂપ સાથે જોડાયેલા આશ્રયીનું અભિધાન થાય છે. તેથી તેને ક્રિયા સાથે સંબંધ ક૯પી શકાશે. બહુત્રી હિમાં સંબંધ મુખ્ય હેવાથી ક્રિયા સાથે તેને સંબંધ કેવી રીતે થઈ શકે એવી શંકાના જવાબમાં આ કારિકાનો વિચાર જણાવવામાં આવ્યો છે.
* સંબંધી અને સંબંધ વચ્ચે અભેદ સંબંધ હોય છે. તેથી વિભકયર્થરૂપ સંબંધના અર્થમાં બહુત્રીહિનું વિધાન થતું હોય તો પણ શબ્દશક્તિની સ્વાભાવિક્તાને કારણે બહુવીહિ સમાસ આશ્રયીને બોધ કરાવશે. અને વિરોષળાનાં વાંકાતે : (૧.૨ ૫૨) મૂત્રનિયમને કારણે સ બંધીનાં લિંગ અને સંખ્યા તેને પ્રાપ્ત થશે.
भेदेन तु विवक्षायां सामान्ये वा विवक्षिते ।
सलिङ्गस्य ससंख्यस्य पदार्थस्यागतिर्भवेत् ।।२२५।। સંબંધને સંબંધી સાથે ભેદ જણાવવામાં આવતા હોય અથવા (સંબંધી) સામાન્યનું (જ માત્ર) અભિધાન થતું હોય ત્યારે લિંગ સાથેના અને સંખ્યા સાથેના (સંપૂણ) પદાર્થનું જ્ઞાન થશે નહિ. (૨૫)
સંબંધી અને સંબંધ વચ્ચે અભેદ સંબંધ માનવામાં આવે અને બહુવ્રીહિ સમાસ વિભકયર્થનું અભિધાન કરે છે એમ સ્વીકારીએ તે ભાષ્યવચન “ઢિ તહિં વિમરૂચ ऽभिधीयते कृत्स्नः पदार्थः कथमभिहितो भवति सद्रव्यः सलिङ्ग : ससंरव्यश्च । - બહુત્રીહિ વડે જણાવતા સંબધને સંબંધીથી ભિન્ન સમાજવામાં આવતાં, સંબંધ અને દ્રવ્ય રૂ૫ સંબંધી વચ્ચે સામાનાધિકરણ્યની પ્રાપ્તિ થશે નહિ. તેથી દ્રવ્યને લિંગ અને સંખ્યા સાથે સબંધ ન થવાથી લિંગ સહિત અને સંખ્યા સહિત સંપૂર્ણ પદાર્થનું જ્ઞાન થશે નહિ.
સંબંધ અને સંબંધી વચ્ચે તાદામ્ય સંબંધ માનીએ તે પણ સંબંધીવિશેષનું નહિ પરંતુ સંબંધી સામાન્યનું જ અભિધાન થાય છે. આમ થતાં સામાન્ય લિંગ અને સામાન્ય સંખ્યા જ જણાવાશે. તેથી સમાસને નપુંસક એકવચન પ્રાપ્ત થશે. આ રીતે પણ સંપૂર્ણ પદાર્થનું જ્ઞાન થશે નહિ. તેથી બહુત્રીહિ વિભકત્યર્થનું અભિધાન કરે છે એ પક્ષને ત્યાગ કરીને તે દ્રવ્યનું અભિધાન કરે છે એવો પણ સ્વીકાર જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org