________________
ત્રીજું કાંડ
* ૫૪૧ यस्य नास्ति क्रियायोगः स्वतन्त्रोऽसौ न विद्यते ।
अर्थों द्वन्द्वस्य तत्र स्यादुपादानमनर्थकम् ॥२०६।। જેને ક્રિયા સાથે સંબંધ ન હોય એવા સ્વતંત્ર અર્થે હેત નથી. ધન્ડ (સમાસ)નો અર્થ જે તે હોય તે શાસ્ત્ર વડે તેનું વિધાન નકામું છે. (૨૦)
વાક્યપદીમાં જણાવવામાં અાવ્યું છે કે ક્રિયા સાથેના સંબંધ વિનાના પદાર્થને બોધ થઈ શકતા નથી (ઝિયાનવા વિના ન ઘવાર્થ પ્રતીયસે ૨.૪૨૫). સ્વનિષ્ઠ સ્વતંત્ર અને ક્રિયા સાથેના સંબંધ વિનાને પદાર્થ હોતો નથી. જે દ્વન્દ સમાસમાં ક્રિયા સાથેનો આવો સંબંધ સમજવામાં ન આવે તો તેને વાચક તરીકે સ્વીકારી શકાય નહિ અને શાસ્ત્રમાં તેને વિશે નિયમવિધાન કરવાને કશે અર્થ નથી.
समुच्चयवतोऽर्थस्य वाचको नानुवर्तते ।
निमित्तमपि चास्यार्थः स्वधमैयुज्यते ततः ॥२०७॥ પરંતુ સમુચ્ચયવાળા અને વાચક (સમુચિત શબ્દ તેના) નિમિત્તને અનુસરતો નથી. તેથી તેનો અર્થ તેના (લિંગ, સંખ્યા વગેરે) ધર્મો સાથે જોડાય છે (૨૭)
દ્વન્દ સમાસનો વાચક એવો સમુચ્ચિત શબ્દ સમુચ્ચયરૂપ ઉપાધિ અર્થાત નિમિત્તનું અભિધાન કરીને અથને વાચક બને છે. પરંતુ તે સમુચ્ચિતનાં લિંગ અને સંખ્યા સમુચ્ચયને અનુસરતાં નથી. ર૪ શબદ તેના નિમિત્તને અનુસરે છે કારણકે તેમાંથી આપણને નિમિત્તી અર્થાત શુક્લ પદાર્થને બોધ થાય છે.
આમ ઇન્દના અર્થને સમુચિત સમજવામાં આવતાં તે ધન્ડનાં પદોનાં લિંગ અને સંખ્યા સ્વભાવસિદ્ધ હોય છે. સમુચ્ચયને પ્રધાન સમજવામાં આવતાં વિશેષળાનાં વાકાતે.. (૫. સ. ૧.૨.૫૨) જેવા સૂત્ર પ્રમાણે લિંગ અને સંખ્યા અંગે નિયમ સમજવાને છે.
बाह्यो नास्त्याश्रयो द्वन्द्वे विशेषौ तत्र हि श्रुतौ ।
समुच्चयस्तदाधारस्तद्धमैर्व्यपदिश्यते ॥२०८।। દ્વન્દને બાહ્ય આશ્રય હોતું નથી. તેના બે વિશેષોનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેમને આધારે પ્રાપ્ત થતો સમુચ્ચય તેમના ગુણધર્મો વડે ઓળખાય છે. (૨૦૦૮)
સુર૪: વ8: એવા પ્રયોગમાં શુક્ર એવા ગુણ માટે : એ બાહ્ય આશ્રયરૂપ સ્વતંત્ર શબ્દ છે તેવો બાહ્ય આધાર દ્વન્દ્રમાં હોતો નથી. - સમાસનાં લિંગ અને વચનને આધાર આવો કોઈ બાહ્ય શબ્દ નથી, પરંતુ તેનાં પિતાનાં પદો જ છે. આ પદો અંગે લિંગ અને સંખ્યાની દષ્ટિએ વિરોધ હોય ત્યારે પશ્વિમ દ્વતપુરા: 1 (૨.૪.૨ ૬ ધન્ડ અને તપુરુષ સમાસનું લિંગ તેના પર અર્થાત છેલ્લા પદ પ્રમાણે હાય છે) એવા સૂત્ર નિયમને આધાર લેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org