SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ પ૩૯ જ્યારે સમુચ્ચય પામેલ પદાર્થોનું પ્રાધાન્ય હોય ત્યારે તેમનાં લિંગ અને સંખ્યા લગભગ સ્વભાવસિદ્ધ હોય છે, જ્યારે સમુચ્ચયનું પ્રાધાન્ય હોય ત્યારે શાસ્ત્ર(નિયમે લિંગ અને સંખ્યાનું) પ્રતિપાદન કરશે. (૨૦૦૦) દ્વન્દ સમાસનાં પદો સત્વભૂત અર્થ દર્શાવતો હોવાથી તેમનાં લિંગ અને સંખ્યા સ્વભાવસિદ્ધ હોય એ પક્ષ વિષે વિચાર કરવામાં આવ્યો. બીજે પક્ષ એ છે કે શબ્દોનાં લિંગ અને વચન તેમના આશ્રયનાં લિંગ અને વચનને આધારે શસ્ત્રનિયમો નક્કી કરે છે. ભાષ્યકારે આ બાબતનો ઉલ્લેખ વિશેષળાનાં વાકાતે: (૧.૨.૫૨) સૂત્ર ઉપરના તેમના વિધાન અથવાશ્રયનો ત્રિદ્વવન નિ મવનિતા માં કર્યો છે. સમુચ્ચય પામેલાં અર્થાત સમુચ્ચિત પદે દ્રવ્યરૂપ અર્થ દર્શાવતાં હોવાથી તેમનાં લિંગ અને વચન શાસ્ત્રનિયમના આધારે નહિ પરંતુ સ્વભાવસિદ્ધ હોય છે. સમુચ્ચયરૂપ અર્થનું વિધાન જે શાસ્ત્રનિયમ કરતા હોય તે તેનાં લિંગ અને વચનનું વિધાન પશુ શાસ્ત્રનિવમે જ કરશે. समुच्चयवतोऽर्थस्य प्राधान्येऽप्यपरे विदुः । निमित्तानुविधायित्वादसिद्धि लिङ्गसंख्ययोः ॥२०१॥ સમુચ્ચય પામેલાં પદોના અર્થનું જ્યારે પ્રાધાન્ય હોય ત્યારે પણ બીજા કેટલાક આચાર્યો જણાવે છે કે લિંગ અને સંખ્યા (સ્વભાવથી) સિદ્ધ બનતાં નથી કારણકે (દ્વન્દ્રમાં પ્રાપ્ત થતો અર્થ) તેના નિમિત્ત એવા સમુચ્ચયને અનુસરે છે. (૨૧) સમુચ્ચિત અર્થાત્ સમુચ્ચય પામેલાં પદોને અર્થનું પ્રાધાન્ય હોય ત્યારે પણ શાસ્ત્રનાં વિધાનો ઉપયોગી છે એવું કેટલાક આચાર્યોનું માનવું છે, કારણ કે, દ્વન્દ સમાસનું નિમિત્ત એ સમુચ્ચય સમુચિત પદોને ઢાંકી દે છે (પતિરોધાન ). તેથી તેવાં પદોને લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ સ્વાભાવિક હતી નથી. આવી સ્થિતિમાં પણ શાસ્ત્રનિયમે ઉપયોગી છે. આમ સમુચ્ચયનું પ્રાધાન્ય હોય કે સમુચ્ચિત પદનું પ્રાધાન્ય હાય, શાસ્ત્ર તો આવશ્યક समुच्चयो निमित्त चेत्स्यानिमित्तानुवर्तनम् । अन्वयव्यतिरेकाभ्यां चार्थो द्वन्द्वनिबन्धनः ॥२०२॥ . સમુચ્ચય જે નિમિત્ત હોય તે તેનું અનુસરણ થાય, પરંતુ અન્વય અને વ્યતિરેક વડે પ્રાપ્ત થતું જ (અને) ને અર્થ દ્વ૮ માટે કારણરૂપ છે. (૨૦૨). કારિકા ૨૦ માં દર્શાવેલ મતાન્તર સ્વીકારવા યોગ્ય નથી. ઇન્દ્રને અર્થ કોઈક ક્રિયા સાથે સમાન રીતે જોડાયેલાં પદોના સમુચ્ચય રૂપે છે, તેથી સમુચ્ચયને દ્વન્દનું નિમિત્ત બનાવી શકાય નહિ, અન્વય અને વ્યતિરેક વડે પ્રાપ્ત થતા અને ૨ વડે પ્રાપ્ત થતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy