________________
પ૩૪
વાકયપદાય
શાસ્ત્ર પ્રક્રિયામાં પ્રત્યયાર્થનું મહત્વ છે, પરંતુ વ્યવહારમાં તેમ નથી. આખ્યાતને પ્રાપ્ત થતા પ્રત્યય સાધનને અર્થ દર્શાવે છે, પરંતુ આખ્યાતનો પ્રધાન અર્થ સાધન નથી પરંતુ ક્રિયા છે.
સંખ્યા માટે પ્રજાતા વિભક્તિ પ્રત્યે સંવેયને ગૌણ બનીને તેના વાચક બને છે. રિતિ વગેરે માટે નક્કી થયેલા ૪ વગેરે તદ્ધિત પ્રત્યો ક્રિયાવાન એવા કર્તાનું પ્રાધાનપણે અભિધાન કરે છે. પરિણામે પ્રત્યયના આશ્રય એવા પ્રકૃતિના વચન પ્રમાણે કુમાર વગેરે સ્ત્રી પ્રત્યયાત શબ્દોમાં વચનની સિદ્ધિ સમજવી જોઈએ.
આ પ્રમાણે સામાનાધિકરણ્ય અંગે ત્રણ પક્ષ સમજવામાં આવ્યા: (૧) સ્ત્રીત્વવિશિષ્ટ દ્રવ્યનું અભિધાન, (૨) પ્રકૃત્યર્થરૂપ દ્રવ્ય અને પ્રત્યયાર્થરૂપ સ્ત્રીત્વ વચ્ચે અભેદ અને (૩) પ્રકૃત્યર્થરૂપ દ્રવ્યનું પ્રાધાન્ય. આ ત્રણ અંગેની શંકાઓનું નિરસન કરવામાં આવ્યું.
साकाङ्क्षत्वाद्गुणत्वेन सामान्यं वोपदिश्यते ।
व्यक्तीनामात्मधर्मोऽसावेकप्रख्यानिबन्धनः ॥१८८॥ સામાન્ય રૂપ (દ્રવ્ય) સાકાંક્ષ હોવાને કારણે ગુણરૂપે જણાવાય છે. (સામાન્ય અને વિશેષના) એકત્વના જ્ઞાન ઉપર આધારવાળો તે, વિશેષોને પિતાને ધમ (જ) છે. (૧૮૮)
વિશેષાનાં વાકાતે: I સૂત્રમાં પ્રાપ્ત થતી વિશેષણ શદ ગુણને પર્યાય છે. પ્રત્યય વડે વાચ સ્ત્રીત્વવાળું દ્રવ્ય, જેને આપણે સામાન્ય કહ્યું છે તે આ ગુણ છે. આ સામાન્ય પ્રકૃતિ વડે વાચ્ય દ્રવ્યવિશેષ ઉપર આધાર રાખે છે. તેથી તેને સાકાંક્ષ કહેવામાં આવે છે. દ્રવ્યવિશેષથી તે જુદુ નથી.
एवंभूता च सावस्था भागभेदपरिग्रहे । कृते बुद्धव भेदानामाश्रयत्वेच कल्पिते ॥१८९॥ निष्कृष्टेष्वपि भेदेषु व्यक्तिरूपाश्रये ततः ।
लिङ्गप्रत्यवमर्शेन लिङ्गसंख्ये प्रपद्यते ॥१९॥ (પૃથક્કરણરૂપ બુદ્ધિ વડે (પ્રકૃતિપ્રત્યય) વિભાગ રૂપી વિશેષોને સ્વીકાર કરવામાં આવતાં અને તે વિશેષોને સ્વતંત્ર રૂપે નિરૂપવામાં આવતાં છતાં તેમને આશ્રય રૂપે કલ્પવામાં આવતાં, તેમના ત્રીત્વને બંધ થતાં, (સામાન્ય અને વિશેષના મિશ્રણ રૂ૫) તે અવસ્થા, વ્યક્તિરૂપ આશ્રયનાં લિંગ અને સંખ્યાને પ્રાપ્ત કરે છે. (૧૮૯-૧૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org