________________
ત્રીજુ કઠ
शुक्लादिष्वाश्रयद्रव्यं प्राधान्येनाभिधीयते । ।
स्त्रीत्वं तु प्रत्ययार्थत्वादभिधाविषयो यतः ॥१८६॥ શુકલ વગેરે (ગુણુ વાચક) શબદોમાં (તેના) આશ્રય રૂપ દ્રવ્યને પ્રધાન રૂપે જણાવવામાં આવે છે. પરંતુ સ્ત્રીત્વ, પ્રત્યયને અથ હેવાને કારણે અભિધાને વિષય બને છે. (૧૮૬)
સામાનાધિકરણ્યના સમર્થનમાં કારિકા ૧૮૭, ૧૮૪, ૧૮૫ માં દલીલો રજૂ કરવામાં આવી.
સંત્યાન અર્થાત સ્ત્રીત્વ, પ્રત્યાયનો અર્થ છે એવા પક્ષમાં બે રીતે સામાનાધિકરણ્યનું સમર્થન કરવામાં આવ્યું. સ્ત્રી પ્રત્યાયાન્ત શબ્દો ગુણ શબ્દો છે અને સ્ત્રીત્વ સાથે તેમને અભેદસંબંધ હોવાથી સ્ત્રીત્વના આશ્રય એવા દ્રવ્ય સાથે સમાન અધિકરણ અને સંખ્યાબેદ થાય છે. આ એક પક્ષ હતા. બીજા પક્ષમાં પ્રકૃત્યર્થ અને પ્રત્યયાર્થી સામાન્ય વિશેષભાથે રહ્યા હોવાથી ભેદને આધારે સામાનાધિકરણય સિદ્ધ થયું. હવે આ સ દર્ભમાં એક શંકા રજ કરવામાં આવે છે.
સુર૪ વગેરે ગુણશબ્દો પિતાના આશ્રય એવા દ્રવ્યને દર્શાવે છે. આશ્રય પ્રધાન હેવાથી આશ્રયનાં લિંગ અને સંખ્યા પ્રમાણે જીવ શબ્દનાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે. સ્ત્રીત્વ અંગે એમ કહી શકાય કે ટા વગેરે પ્રત્યો દ્વારા વાચ્ય બનતુ તે મુખ્ય છે. આ વાત સ્વીકારીએ તે દ્રવરૂપ પ્રકૃત્યથ ગૌણ બને છે. તેથી પ્રધાન એવું સ્ત્રીત્વ ગૌણ એવા પ્રકૃત્યર્થનાં લિંગ અને વચનને કેવી રીતે અનુસરશે એવી શંકા થાય છે. વળી વિશાળાનાં વા નાતે; / સૂત્રોનયમ પ્રમાણે વિશેષણોનાં લિંગ અને વચન વિશેષ પ્રમાણે થવાં જોઈએ. વિશવનાં લિંગ અને વચન પ્રમાણે વિશેષનાં લિંગ અને વચન થશે નહિ. કુમાર શબ્દમાં, સ્ત્રીત્વ પ્રત્યયાર્થી હોવાથી પ્રાધાન્ય ભલે રહ્યું પરંતુ કુમાર વગેરે શબ્દો પિતાની અભિધાશક્તિ પ્રમાણે સ્ત્રીત્વને જ દર્શાવતા હોવાથી, તે પ્રમાણે લિંગ અને વચન સિદ્ધ થશે.
सोऽयमित्यभिसंबन्धादाश्रयं प्रतिपद्यते ।
स्त्रीत्व स्वभावसिद्धो वा गुणभावविपर्ययः ॥१८७॥
આ તે છે એના (તાદામ્ય) સંબંધને કારણે સ્ત્રીત્વ, તેના આશ્રય સાથે જોડાયેલું છે, અથવા મુખ્યત્વ અને ગણત્વનું વિપરીતપણુ (શબ્દોની શક્તિને કારણે) સ્વાભાવિક છે. (૧૮૭)
પ્રત્યયના અથ રૂપે રહેલું સ્ત્રીત્વ હમેશાં પ્રધાન હોય છે એમ બનતું નથી. પ્રકૃતિના અર્થરૂપે રહેલું દ્રવ્ય પણ હંમેશાં પ્રધાન હેતું નથી. બન્નેના ગુણપ્રધાન ભાવમાં વિપર્યય થાય છે, તેથી ઉપર જણાવી તે શંકા થગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org