SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પરં વાકયપદીય તમજૂ અને છ પ્રત્યય અંગે અતિશાયને તેમવિઝન ! (૫. ૩. ૫૫) સૂત્ર ઉપરના ભાગ્યમાં પ્રાપ્ત થતી ચર્ચાના મુખ્ય મુદ્દાઓને વિચાર કરવામાં આવ્યું આ સૂત્ર ઉપરનાં વાર્તિકે ૧ થી ૩માં પ્રાપ્ત થતી ચર્ચા પ્રક્રિયા અંગે હોવાથી ભહરિએ તેને રજૂ કરી નથી. કારિકાઓ ૧૬૯ થી ૧૯૦ સુધીમાં, પા. સૂ. ત્રિવાર્ (૪.૧.૩) ઉપરના ભાગ્યમાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પતંજલિની પહેલાં વપરાતા અને સ્ત્રીત્વને અર્થ દર્શાવતા સંસ્થાન શબ્દને કેન્દ્રમાં રાખીને આ કારિકા સમૂહમાં ચર્ચા રજૂ કરવામાં આવી છે. સ્ત્રીત્વની ચર્ચા ત્રીજા કાંડના લિંગ સમુદ્રામાં મળે છે. स्त्रीशब्दो गुणशब्दत्वात्तुल्यधर्मा सितादिभिः । गुणमात्रे प्रयुज्येत संस्त्यानवति वाश्रये ॥१७०॥ સ્ત્રી એવો શબ્દ, ગુણ (દર્શાવતો) શબ્દ હોવાથી પિત્ત વગેરે શબ્દોના જે છે. તે માત્ર (સ્ત્રીત્વરૂપ) ગુણના અર્થમાં વપરાય છે, અથવા સ્ત્રીત્વ ગુણવાળા આશ્રયના અર્થમાં વપરાય છે. (૧૭) ત્રિવાન્ (જ. ૧. ૩) એવા અધિકાર સૂત્ર પ્રમાણે બગાવતરાન્ (૪.૧.૪) માં વિહિત થયેલા કાજૂ પ્રત્યયથી તૈયાજ્ઞિવિક્ષિણામુદ્રિાવિત્તિોડગતરસ્યામ્ ! (૪.૧.૮૧) માં વિહિત ઘટૂ. પ્રત્યય સુધી પ્રત્યયો સ્ત્રીત્વ અર્થના વાચક પ્રત્યયો છે. આ સૂત્ર ઉપરનાં વાર્તિક અને ભાષ્યમાં સ્ત્રી શબ્દ કયા અર્થમાં પ્રયોજાય છે એ અંગે ત્રણ પક્ષનો નિર્દેશ થયો છે. એ ત્રણ પક્ષોને ત્રિયામિતિ થર્થીમિયાને વેઢાવાયો વિવનટુવવનાનેnત્યાવપત્તિ: 1 ઉપરના ભાષ્ય ઉપરના કૈટના વ્યાખ્યાનમાં પ્રત્યાર્થ પક્ષ, સ્ત્રી સમાનાધિકરણપક્ષ અને પ્રકયર્થવિશેષણ પક્ષ એ રીતે જણાવવામાં આવ્યા છે. કારિકા ૧૭૦ ઉપરના હેલારાજના વ્યાખ્યાનમાં પ્રત્યાર્થ પક્ષ અને પ્રત્યર્થવિશેષણપને સમજાવામાં આવ્યા છે. ત્રિયાનું | સૂત્રમાં સ્ત્રી શબ્દને સ્ત્રીત્વના વિશેષણ તરીકે સમજવામાં આવે તો સ્ત્રીત્વની વિવક્ષા માટે દામ્ વગેરે પ્રત્યયો દ્રવ્યનું અભિધાન કરનાર પ્રકૃતિને લગાડવામાં આવે છે. આ થયો પ્રત્યયાર્થ પક્ષ. આ પક્ષમાં સ્ત્રીત્વને પ્રત્યય સ્ત્રીત્વને વાચક બને છે. જે સૂત્રમાં સ્ત્રી શબ્દને સ્ત્રોત્વવિશિષ્ટ પ્રકૃતિને વાચક માનીએ તો, પ્રકૃતિના પોતાના અર્થમાં અર્થાત સ્વાર્થ પ્રત્યે લગાડવામાં આવે છે. આ થયો પ્રત્યર્થવિશેષણપક્ષ. જે આ સૂત્ર પ્રમાણે સ્ત્રી સાથે સમાન અધિકરણમાં રહેલા પ્રકૃતિ શબ્દને (જેમ કે ગ્રાહ્મળ દત્રી) ટાર્ વગેરે પ્રત્યય લગાડવામાં આવે તો પ્રકૃતિ માત્ર દ્રવ્યનો અર્થ દર્શાવશે અને તે અર્થ સ્ત્રીત્વ સાથે સબંધમાં છે એમ થશે. આને સ્ત્રી સમાનાધિકરણ પક્ષ કહેવાય છે. स्त्र्यर्थः संस्त्यानवद् द्रव्यं प्रकृत्यर्थश्च यद्यसौ । द्रव्योपलक्षणार्थत्वं संस्त्यानस्य तथा सति ॥१७१॥ સ્ત્રી શબ્દનો અર્થ સ્ત્રીત્વવાળું દ્રવ્ય હોય અને જે તે પ્રકૃતિનો અર્થ હોય, તે તેમ હોવાથી, સ્ત્રીત્વ (પ્રકૃત્ય એવા) દ્રવ્યનું બાહ્ય લક્ષણ બનશે. (૧૭૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy