________________
ત્રીજુ કાંઠ
જાતિવાચક શબ્દથી જુદું અને લુબત્તને સમાનાધિકરણ એવું વિશેષણ તે લુબતમાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત કરે છે. વાઢાઃ રિયાતિય: સ્વામિનાઃ વિનીતષા: વૈધ્રુવન્ના: ગઢ: I (પંચાલ નામે જનપદના લેકે આતિથ્યપ્રિય, સ્પષ્ટ બોલનારા, સાદા વેષવાળા અને ધણું અન પેદા કરનારી છે.) ઉદાહરણમાં નવ : જાતિચક શબ્દ છે. ઘવા: શબદ લબત્ત છે. પ્રિયાતિય: વગેરે વિશેષણો વશ્વાઈ: નાં લિંગ અને વચનને ધારણ કરે છે.
જાતિવાચક શબ્દનાં લિંગ અને સંખ્યા નિયત છે એમ નકકી થયું. તેનાથી જુદુ તેનું વિશેષણ તેના લિંગ અને સંખ્યાને અનુસરે છે, એ બાબત ઉપરના ઉદાહરણ ઉપરથી સિદ્ધ થઈ. વિશેષળાનાં સૂત્ર કુળવવનાનામાબતે વિવાન મવતિ | (ગુણવચન શબ્દોનાં લિંગ અને વચન તેમના આશ્રયો પ્રમાણે પ્રાપ્ત છે.) એવા કન્યાયને અનુસરીને રજૂ કરવામાં આવ્યું છે.
આ સૂત્રના પ્રયોજન અંગે બીજી કલ્પના થઈ શકે. ગુણ કદાપિ આશ્રય વિનાનો હેતો નથી, તેથી જ્યારે તેના આશ્રય સાથે અર્થાત્ દ્રવ્યસામાન્ય સાથે તેને જોડવામાં આવે ત્યારે તે દ્રવ્યસામાન્યનાં લિંગ અને વચન તેને પ્રાપ્ત થશે અને તેથી નપુંસક એકવચનની પ્રાપ્તિ થતાં વિશેષાનાં છે. સૂત્રનો ૨જ આત યોગ્ય બને છે.
આ ઉપરાંત એમ પણ કહી શકાય કે વિશેષણવિશેષ્યભાવ વક્તાની ઈચ્છા મુજબ પ્રયોજાય છે. જ્યારે શુક્ર૪ વગેરે ગુણને વિશેષ્યરૂપે સમજવામાં આવે ત્યારે તે અવસ્થામાં તેનું પ્રાધાન્ય હોવાથી પોતાનાં લિંગ અને સંખ્યા તેને પ્રાપ્ત થાય. તેવી સ્થિતિમાં ગુણેનાં લિંગ અને વચનની સિદ્ધિ માટે વિશેષાનાં સૂત્ર જાયું છે એમ કહી શકાય.
नसमासबहुव्रीहिद्वन्द्वस्त्र्यतिशयेषु ये ।
भेदा भाष्यानुरूपेण वाच्यास्ते लिङ्गसंख्ययोः ॥१५९।। નસમાસ, બહુવીહિ, દ્વન્દ્ર તેમજ સ્ત્રીલિંગવાળા અને પ્રકર્ષવાચક શબ્દમાં પ્રાપ્ત થનારા લિંગ અને વચનના ભેદને હવે ભાષ્યને અનુસરીને ચર્ચવામાં આવશે. (૧૫૯)
૧૬૦ થી ૧૬૮ સુધીની કારિકાઓમાં પ્રકર્ષવાચક શબ્દનાં લિંગ અને વચન અંગે, ૧૬૯ થી ૧૯૦ સુધીની કારિકામાં સ્ત્રીલિંગવાળા શબ્દોનાં લિંગ અને વચન અંગે, ૨૧૨થી ૨૪૮ સુધીની કારિકાઓમાં બહુવ્રીહિ સમાસમાં લિંગ અને વચન અંગે અને ૨૪૯થી૩૧૬ સુધીની કારિકાએામાં ન સમાસમાં લિંગ અને વચન અંગે ચર્ચા કરવામાં આવી છે. પ્રકર્ષવાચક શબ્દોનાં લિંગ અને વચનની ચર્ચા પ્રમાણમાં ઓછી હોવાથી, તેને શરૂઆતમાં લેવામાં આવી છે.
यदि षष्ठीद्वितीयान्तान्निकृष्टात् तमबादयः ।
न्यक्कारिणि स्युरुत्कृष्ट प्रकृतेः स्याद् विलिङ्गता ॥१६०॥ જો નિકૃષ્ટ અર્થને વાચક વયન્ત અને દ્વિતાયાન્ત શબ્દ પછી રજૂ વગેરે પ્રત્યય લગાડવામાં આવે તો, નિકૃષ્ટ (પ્રકૃતિ)ને ઉત્કૃષ્ટ (સમજવામાં આવતાં) : પ્રકૃતિના સંદર્ભમાં લિંગને ફેરફાર થશે. (૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org