SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ શીજુ કાં 1િ ) विशेष एव सामान्यं विशेषाद्भिद्यते यतः । अभेदो हि विशेषाणामाश्रितो विनिवर्तकः ॥१४२॥ સામાન્ય પણ વિશેષ જ છે કારણકે તે વિશેષથી જુદું પડે છે. અભેદ (રૂપ સામાન્ય)ને આશ્રય કરવામાં આવતાં તે વિશેની નિવૃત્તિ કરનાર બને છે.(૧૪૨) સામાન્ય અને વિશેષ અંગે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવે છે કે વિશેષ હમેશાં એક બીજાથી જુદું પાડનાર અર્થાત વાવર્તક છે. ચોકકસ વિશેષને સવીકારતાં તે બીજા વિશેષની નિવૃત્તિ કરે છે. તે પ્રમાણે અભેદરૂપ સામાન્ય પણ વિશેષની નિવૃત્તિ કરે છે. તેથી સામાન્ય પણ વિશેષ જ કહેવાય. ભતૃહરિએ આ વિચાર અને વમવદ્યા (પા. સ. ૨. ૨. ૨૪, અનેક પદો અન્ય પદના અર્થમાં સમાસમાં જોડાય છે અને તે સમાસ બહુવ્રીહિ થાય છે) ઉપરના વાર્તિક ૬ ઉપરના ભાષ્ય સામાન્યાવિ વિશેવસ્તર્વત્ : ઉપરથી લીધો છે. એક વિશેષ બીજા વિશેષની નિવૃત્તિ કરે છે તેમ સામાન્ય પણ વિશેષની નિવૃત્તિ કરતું હોવાથી વિશેષ કહેવાશે. કેટનાં વ્યાખ્યાનવચનો ભતૃહરિની આ કારિકા અને હેલારાજના વ્યાખ્યાનને આધારે છે. यद् यदाश्रीयते तत् तदन्यस्य विनिवर्तकम् । भेदाभेदविभागस्तु सामान्ये न निरूप्यते ॥१४३॥ જેને જેનો આશ્રય કરવામાં આવે છે તે તે બીજાની નિવૃત્તિ કરતારું થાય છે. સામાન્યની બાબતમાં ભેદ અને અભેદ એવા વિભાગે સમજવામાં આવતા નથી.(૧૪૩) કઈક કાર્યને ઉદ્દેશીને જે જે સામાન્ય અથવા વિશેષોને આધાર લેવામાં આવે છે તે તે પોતાનાથી જુદા અર્થાત્ બીજાની નિવૃત્તિ કરે છે. વિશેષનું આવું વ્યવકત્વ સામાન્યમાં પણ સમજવામાં આવે છે. તેમ છતાં સામાન્યમાં ભેદ અને અભેદ એવા વિભાગ માની શકાય નહિ. એક શબ્દનો પ્રયોગ બીજા શબ્દની નિવૃત્તિ કરે છે એ ન્યાય સ્વીકારીએ તો વિશેષનો પ્રયોગ સામાન્યની નિવૃત્તિ કરશે. આમ નિવૃત્તિકાય વિશેષ અને સામાન્ય બનેમાં સમાન છે. સામાન્યને ભેદરૂપ માની શકાય નહિ, કારણ કે તે બીજું સામાન્યોની નિવૃત્તિ કરીને પિતાના આશ્રયમાં દઢ રહે છે. સામાન્યને અભેદ પણ કહેવાય નહિ, કારણ કે ચોક્કસ વિશેષોવાળાં બીજાં સામાન્યથી તે જુદું પડે છે. આવી દલીલ સ્વીકારતાં નૌઃ શબ્દમાં, ગોત્ર વાહીદ માં આરોપવામાં આવે તેમ સામાન્ય અર્થમાં સંસ્કાર પામેલ શુક8 શબ્દ વાકયમાંના બીજા વિશેષ દર્શાવતા શબ્દો સાથે જોડાતાં લિંગ અને સંખ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. તેવી સ્થિતિમાં ચેકસ લિંગ અને સંખ્યાની સિદ્ધિ માટે વિરોષણાનાં વાકાતેઃ . (૧.૨.૫૨) સૂત્ર રજૂ કરવામાં આવ્યું છે, વા-૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy