SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ બાજુ કાંડ ૫૦૯ આવે છે. આવું લૌકિક વિગ્રહવાકય વૃત્તિથી જુદું જ હોય છે. પરંતુ શાસ્ત્રીય પ્રક્રિયાવાકયના મૂળમાં તે રહેલું છે. બીજી રીતે કહીએ તે પ્રક્રિયાપ્રાપ્ત વિગ્રહવાકયમાં ચોક્કસ સંખ્યાઓનો બોધ થાય છે અને વૃત્તિમાં તેમને લોપ થયે હોવા છતાં નિશ્ચિત વિભક્તિઓની અસર વૃત્તિમાં દેખાય છે. અર્થાત, વૃત્તિમાં ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિ તુમાર્યકારમ્, તાવ જેવા પ્રયોગમાં દેખાય છે. अभावो वा लुको यत्र रूपवान् वा विधीयते । व्यभिचारान्निमित्तस्य तत्रासाधुः प्रसज्यते ॥१३२॥ જ્યાં ઉફનો અભાવ અથવા કોઈક ચેકkસ સ્વરૂપવાળા આદેશનું વિધાન કરવામાં આવે છે ત્યાં નિમિત્તની ગેરહાજરીને કારણે વૃત્તિ શબ્દ અશુદ્ધ કરશે. (૧૩૨) પ્રક્રિયાવાકયમાં જે વિશિષ્ટ સંખ્યા હોય છે તે જ સંખ્યાને વૃત્તિમાં લુફ થાય છે. વિશ્વા : તોwાવિખ્ય;1 (૬.૩.૨, તાવ, અગ્નિ અને ટૂર એવા અથવાળા શબ્દોને અને $ શબ્દનો પંચમી તપુરુષ સમાસમાં લુફ થતો નથી) એવા સૂત્રનિયમથી હતોાખ્યાં મુ| અથવા તો ખ્ય: મુજ: I એવા પ્રયોગે પણ પ્રાપ્ત થશે. પરંતુ આપણે તો માત્ર તમામુત્રત: એવો પ્રયોગ જ જોઈએ છે, કારણ કે તેમાં જ એકત્વ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે વમમwાવને (૪.૩.૩, એકત્વની વિવક્ષા હોય ત્યારે યુદમ ના તવ8: અને અમદ્ ના મમ આદેશ થાય છે) પ્રમાણે તવામાં પણ એકત્વ સમજવામાં આવ્યું છે. હવે વૃત્તિમાં બધા સંખ્યાભેદ દૂર થઈને અભેવિ પ્રાપ્ત થયું છે એ વાત સ્વીકારીએ તે એકત્વની વિરક્ષાને કારણે થતા તવ, મમઝ વગેરે પ્રયોગો અશુદ્ધ કરશે અને તેથી વાપરી શકાશે નહિ. भेदः संख्याविशेषो वा व्याख्यातो वृत्तिवाक्ययोः । सर्वत्रैव विशेषस्तु नावश्यं तादृशो भवेत् ॥१३३॥ વૃત્તિમાં (અભકત્વ) સંખ્યા અને (વાકયમાં) એક્કસ સંખ્યા (પ્રાપ્ત થાય છે) એવો ભેદ સમજવામાં આવ્યું છે, છતાં, બધે આવ (વિશિષ્ટ સંખ્યા)ભેદ હંમેશાં તો નથી (૧૩૩) અભેકિd સંખ્યા વિષે બે મત રજુ થયા. ચોક્કસ સંખ્યાવાળી એકત્વ સંખ્યા અને જેમાં બધી સંખ્યાએ રૂપી ભેદને દૂર કરવામાં આવ્યો છે તેવી અભેરૈક સંખ્યા. હવે આ અંગે અંતિમ સિદ્ધાન્તની સ્પષ્ટતા કરે છે. આ શબ્દોની અભિધાનશક્તિઓ જુદી જુદી હોય છે. તે બધીને સમજાવી શકાતી નથી. તેથી સામાન્ય નિયમો દ્વારા તેમને સમજાવવામાં આવે છે. વૃત્તિમાં એકાથીભાવ અને વાક્યમાં વ્યાપેક્ષા એવા બે સ્પષ્ટ ભેદે જણાવવામાં આવ્યા છે. વૃત્તિમાં એ કવ અને વાકયમાં સંખ્યાવિશેષ પ્રાપ્ત થાય છે. પરંતુ વૃત્તિમાં હમેશાં એકત્વ હોય જ છે એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy