SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૫૦૩ ૩મય વચ્ચેનું સમાનાર્થ, બન્ને શબ્દો દ્વારા નિર્દિષ્ટ બાબત, સમાન હોવાને કારણે છે (વઢવાશ્રયેળ તુષારવા) પરંતુ સમય શબ્દ સમુદાયનું અભિન્ન એકત્વ દર્શાવે છે, ૩મી શબ્દ ભેદ દર્શાવે છે. ૩મ અને સમયને તુત્યાર્થ માનતાં બન્ને બે અવયવોવાળા સમુદાયનું અભિધાન કરશે, એટલે એકબીજાને વિકલ્પ તેમનો પ્રયોગ થઈ શકે એવી મુશ્કેલી દૂર કરવા સૂત્રમાં નિએ શબ્દ વાપર્યો છે એમ માનવું બરાબર નથી. પરંતુ શબ્દશક્તિની સ્વાભાવિકતાને કારણે માત્ર સમય શબ્દ જ સમુદાયનું અભિધાન કરશે. તેથી નિત્ય શબ્દ વાપરવામાં આવ્યો છે. आपि के चापरार्थत्वान्नाभेद उपजायते । उभे इति ततः स्वाथे भेदे वृत्तिः प्रयुज्यते ॥११९॥ (કમ શબ્દ પછી પ્રત્ય) સન્ અથવા (સ્વાર્થે) આવે ત્યારે (પ્રકૃતિને અથ) બીજા (અર્થાત પ્રત્યય) ના અર્થનું ગીણત્વ પ્રાપ્ત કરતું ન હોવાથી અભેદ ઉત્પન્ન થતા નથી. તેથી સ્વાર્થે ભેદદશક ઉમે શબ્દ પ્રયોજાય છે. (૧૯) રૂમ શબ્દને સ્ત્રીલિંગમાં મા (અર્થાત ટા૫, ૩૬ અને વાન્ પ્રત્યયો, અષ્ટાધ્યાયી અધ્યાય ૪, પાદ ૧), દ્વિવચનને પ્રત્યય અને ૨ પ્રત્યય લાગે ત્યારે જ પ્રગમાં તે પ્રાપ્ત થાય છે. સ્ત્રી પ્રત્યય અને પ્રત્યય પ્રકૃતિના અર્થમાં જ પ્રાપ્ત થાય છે. તેથી પ્રકૃતિનો અથ પ્રત્યયાર્થીનું ઉપસર્જન બનતો નથી. ગૌણભાવ પ્રાપ્ત થતો ન હોવાથી અભેદ પણ થતો નથી. તેથી ભદદર્શક રમે અને રૂમ એવા શબ્દો વાપરી શકાય છે. પરંતુ પ્રત્યય, જ્યારે તેના પિતાના અર્થમાં પ્રાપ્ત થતો હોય અથવા પછી ઉત્તર પદ આવતું હોય ત્યારે પર એટલે પ્રત્યયને અર્થ પ્રધાન બને છે, અને પ્રકૃતિનો અર્થ તેના ગૌણુભાવે હોય છે, તેથી અભેદંકવ થતાં સમ શબ્દનો પ્રયોગ થતો નથી. પરિણામે સમય શબ્દનો પ્રયોગ થાય છે. स्त्रीत्वाभिधानपक्षेऽपि गुणभावविपर्ययः । स्वभावादापरार्थत्वात् तत्र भेदो न हीयते ॥१२०॥ સ્ત્રીલિંગનો પ્રત્યય સ્ત્રીત્વનું અભિધાન કરે છે એવા મતમાં, શબ્દોની સ્વાભાવિક શક્તિને કારણે ગુણ અને ગુણીના સંબંધમાં અદલબદલ થાય છે. કમનો અર્થ બીજા શબ્દના અર્થનું ગૌમુત્વ પ્રાપ્ત ન કરતા હોવાથી, ભેદ (રૂપ સ્વાથ દૂર થતો નથી. (૧૦) - સ્ત્રી પ્રત્યયાન્ત શબ્દોમાં પ્રત્યયને અર્થ સ્ત્રીત્વવિશિષ્ટ પદાર્થનું અભિધાન કરે છે. જર્ચ: જેવા શબ્દોમાં ગુણ અને ગુણ વચ્ચે ગુણગુણસંબંધ અર્થાત ગૌણપ્રધાનભાવ પ્રાપ્ત થાય છે. અહીં પ્રકૃત્યર્થ ગુણ અર્થાત ગૌણ છે અને પ્રત્યયાય ગુણ અર્થાત્ મુખ્ય છે. પરંતુ સમ શબ્દમાં ગુણ અને ગુણીનો અદલબદલ થાય છે, ૭મ શબ્દમાં પ્રકૃત્યર્થ ગુણ છે અર્થાત પ્રધાન છે અને પ્રત્યયાર્થી ગુણ અર્થાત ગૌણ છે. આમ થવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy