SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ .. संख्यासामान्यरूपेण तदा सोंऽशः प्रतीयते । अर्थस्यानेकशक्तित्वे शब्दनियतशक्तिभिः ॥१०५॥ . અર્થોની અનેક શક્તિઓ હોવા છતાં, નિયત શક્તિઓવાળા શબ્દો દ્વારા, તે (ઉપસર્જન પદ) અંશ તે સમયે સંખ્યા સામાન્યરૂપે સમજવામાં આવે છે. (૧૦૫) अव्ययानां च यो धर्मो यश्च भेदवतां क्रमः । अभिन्नव्यपदेशाहमन्तरालं तदेतयोः ॥१०६॥ અવ્યના જે ધર્મો અને જુદી જુદી વિભક્તિઓવાળા શબ્દના જે સ્વભાવ એ બનેની મધ્યમ સ્થિતિ તે (ઉપસર્જન પદની) અભિન્ન એકત્વ સંખ્યાના નામને રોગ્ય છે. (૧૦૬). અવ્યયોને વિભક્તિના પ્રત્યયો હોતા નથી, કારણ કે, અવ્યયને દ્રવ્ય સમજવામાં આવતું નથી. પરિણામે તેમને સંખ્યા પણ હોતી નથી. જુદા જુદા વિભક્તિ પ્રત્યે વાળા શબ્દ જુદી જુદી સંખ્યા દર્શાવે છે. આમ સંખ્યાનો અભાવ અને ભિન્ન ભિન્ન સંખ્યા એ બન્નેની સ્થિતિ ઉપસર્જન પદ દર્શાવે છે. આ સ્થિતિ એટલે સંખ્યા સામાન્ય અથવા અભેકિત્વ સંખ્યા. अलुकश्चैकवद्भावस्तस्मिन्सति न शिष्यते । स च गोषुचरादीनां धर्माऽस्ति वचनान्तरे ॥१०॥ તે (અભિન્ન એકત્વ) હોય ત્યારે અલુફ સમાસમાં એકવદુભાવનું વિધાન કરવામાં આવતું નથી; જોપુર: વગેરે સમામાં (એક) વચનથી જુદા (બહુ) વચનમાં પણ તે (એકત્વ સંખ્યારૂપ) ધર્મ હોય છે. (૧૦૭) વૃત્તિમાં ઉપસર્જન પદ અભેરૈવ સંખ્યા દર્શાવે છે. આ બાબતમાં વૃત્તિ અને વાક્ય વચ્ચે ભેદ છે. આ વિચાર અંગે વાસ્તિકકારનું સમર્થન ૨જુ કરવામાં આવે છે. મિત્કારવા (૬. ૩. ૧, આ અધિકારસૂત્રમાંના હુપદના સંબંધ વિમા વસૃવસ્થ: ૬. ૩. ૨૪. સુધી છે અને ઉત્તરવયેના સંબંધ આ અધ્યાયના પહેલા પાદના અંત સુધીના છે) મુત્ર ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે અલુફ સમાસ બન્યા પછી તેમાંના ઉપસર્જન પદના પ્રત્યયને અર્થ જે સંખ્યા તેને એકવ સંખ્યા ગણવી, કારણ કે તોwામ્યાં મુn: 1 અથવા તો ખ્યઃ મુક્તઃ ! એવો વિગ્રહ કરવામાં આવે તે પણ તોળામુરતઃ એવું જ સમજાય છે. આવા વિધાનના અનુસંધાનમાં વાર્તિકકાર જણાવે છે કે એકવદુભાવનું વિધાન અનર્થક છે. (gવસૂવવ અનર્થમ્ ). જે આ વાત સ્વીકારીએ તો દ્વિત્વબહુત્વવાળે શબ્દ અલુફ થશે. દ્વિવચનાત અને બહુવચનાતન સમાસ થતો નથી. સામાસિક શબ્દમાં ઉપસર્જન પદની એકત્વસંખ્યા જ હોય છે. જે ધિત્વ કે બહુવની વિવેક્ષા હોય તો દિ, બહુ વી-૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy