SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય પદમાં કેઈ ચાકકસ સંખ્યાને બંધ થતા નથી. તેથી એમ માનવું જોઈએ કે બધી ચક્કસ સંખ્યાઓના સમુચ્ચયરૂપ અર્થાત્ સામાન્ય સંખ્યા આ ગણ પદના અર્થમાં રહેલી છે. यथौषधिरसाः सर्वे मधुन्याहितशक्तयः । अविभागेन वर्तन्ते तां संख्यां तादृशीं विदुः ॥१०१।। જેમ મધમાં બધી ઔષધિઓના રસે પિતાની (ઔષધિ) શક્તિઓને સ્થાપી ને તેમાં અભિન્ન પણે, ઓળખ યા વિના રહે છે, તેવી રીતે તે (અભિન) સંખ્યાને સમજવામાં આવે છે. (૧૦૧) અનેક ફુલોના રસે પિતાનાં સ્વરૂપને મધમાં સ્થાપે છે. એ બધાં સ્વરૂપને મધમાં એક સાથે અવિભક્તપણે રહે છે અને મધમાં એકરૂપ થઈ જાય છે. ઉપસર્જનપદની સંખ્યા પણ આવી છે. બીજી અનેક સંખ્યા છે તેમાં સમાયેલી છે. ગgs: / એવા સમાસમાં ઉપસર્જન પદ રનનમાં રાજ્ઞ: એવું એકવચન, રાણો: એવું દ્વિવચન અને રાજ્ઞાન્ એવું બહુવચન એકત્ર અને અભિન્નપણે રહેલાં છે भेदानां वा परित्यागात्संख्यात्मा स तथाविधः । व्यापाराज्जातिभागस्य भेदापोहेन वर्तते ॥१०२॥ અથવા તેના વ્યક્તિરૂપ) ભેદે દૂર કરીને, તે સંખ્યા, તેને જાતિરૂપ ભાગ કાર્યશીલ બન્યા પછી, ભેદના ત્યાગ દ્વારા કાર્યવાન બને છે. (૧૨) अगृहीतविशेषेण यथा रूपेण रूपवान् । प्रख्यायते न शुक्लादिभेदरूपस्तु गृह्यते ॥१०३॥ भेदरूपसमावेशे तथा सत्यविवक्षिते । મારા પ્રતિ શિકાર ગૃહ્યસ્ત રકા જેમ (કઈ પદાર્થ) તેને જુદે (સફેદ) રંગ દેખાતે ન હેવા છતાં રંગવાળો કહેવાય છે, પરંતુ સફેદ વગેરે જુદા રૂપવાળે તે સમજાતું નથી; તે પ્રમાણે જયારે (ગૌણ પદ દ્વારા) કોઈ ચક્કસ (જુદી સંખ્યા (વિવક્ષિત ન હોય ત્યારે તેની સાથે સંબદ્ધ) ચેકકસ (સંખ્યારૂપી) ભાગ સ્પષ્ટ થતાં, શાસ્ત્રમાં તેને (વ્યાખ્યાનના) આધાર તરીકે સ્વીકારવામાં આવે છે (૧૦૩, ૧ ૦૪) પદાર્થને રંગ દૂરથી સ્પષ્ટપણે દેખાતો હોય અને અસ્પષ્ટ રૂપે કાંઈક રંગ દેખાતો હોય તો પણ આપણે તે પદાર્થને રંગવાળો કહીએ છીએ, કેમ ઉપસર્જન પદ દ્વારા કોઈ ચોક્કસ સંખ્યા વિવલિત ન હોવા છતાં, તે ઉપસર્જન પદના અર્થ સાથે જોડાયેલો કોઈ સંખ્યારૂ૫ ભાગ પ્રાપ્ત થતો હોય તો તેને શાસ્ત્રીય : વ્યાખ્યાનના અંગ તરીકે સ્વીકારવામ. આવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy