SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદાય अबुधान्प्रति वृत्तिं च वर्तयन्तः प्रकल्पिताम् । आहुः परार्थवचने त्यागाभ्युच्चयधर्मताम् ॥१५॥ (નિવિભાગ) વૃત્તિને નહિ સમજનારા અલ્પજ્ઞાનીઓ માટે બીજા પદના અર્થના અભિધાન માટે ગૌણ પદના અને ત્યાગ અને મુખ્ય પદના અર્થમાં વૃદ્ધિને (કેટલાક આચાર્યો) જાહેર કરે છે. (૫) વરાનિધાનં વૃત્તિ: | તથા જહવાર્થી અને અજહસ્વાર્થી વૃત્તિઓ અંગેની સમર્થીબ્રિક (પા. સ. ૨.૧ ૧ ઉપરના ભાષ્ય)માંની ચર્ચાને નિર્દેશ આ કારિકામાં કરવામાં આવ્યો છે. શબ્દ અંગે નૌસ્યશકિઢ: અને કાર્યશાકિw: અર્થાત શબ્દને નિત્ય માનનારા અને શબ્દને કાર્ય અર્થાત્ ઉત્પાદ્ય માનનારા એવા બે પક્ષે છે. કાર્યશાબ્દિકે વાકય ઉપરથી સમાસ પ્રાત થાય છે એમ માને છે. આ પક્ષને માનનારા જણાવે છે કે પર અથર્ મુખ્ય પદના અર્થનું જ્યારે અભિધાન થાય છે ત્યારે વૃત્તિમાં ગૌણ પદ પિતાના અર્થનો ત્યાગ કરે છે (નરહ્યા થાં) અથવા ત્યાગ કરતો નથી (નવા ) એવા બે પક્ષે થશે. આવા બે પક્ષમાંથી કરવાર્યા પક્ષને યોગ્ય માનવામાં આવ્યો છે. જેમ સુથાર હાથનું કામ કરે ત્યારે સુધારીને ત્યાગ કરે છે, તેમ પુરુષ માં ૨૬ પદ પોતાના અર્થનો ત્યાગ કરે છે. આવો ત્યાગ સંપૂર્ણ હોતો નથી, પરંતુ બીજા પદના અર્થના વિરોધી અર્થને જ ત્યાગ ગૌણ પદ કરે છે. अन्वयाद् गम्यते सोऽर्थो विरोधी वा निवर्तते । ब्यर्थमर्थान्तरे वापि तत्राहुरुपसर्जनम् ॥९६॥ (પ્રધાનપદના અર્થ સાથેના) સંબંધને લીધે તે ગૌણ પદનો અર્થ સમજાય છે અથવા (પ્રધાનપદના અથના) વિરોધી અર્થની નિવૃત્તિ થાય છે અથવા (ઉપસજન પદ પ્રધાનપદના અર્થ રૂપ) બીજા અર્થમાં વપરાય છે. ગૌણ પદને (પિતાના અને પ્રધાનપદના એમ) બે અથ જ જણાવતું કહેવામાં આવ્યું છે. (૬) વૃત્તિમાં પ્રધાનપદના સંદર્ભમાં ગૌણ પદના અર્થને અંગે આ કારિકામાં ત્રણ મતો રજૂ કરવામાં આવ્યા છે. એક મત પ્રમાણે સમ સમાં ગૌણ પદનો અથ પ્રધાન પદના અથ સાથેના સંબંધ (અન્વય)ને કારણે સમજાય છે. પુરુષના અર્થ સાથેના સંબંધને કારણે રાજનને અર્થ સમજાય છે. બીજા મત પ્રમાણે ગૌણ પદ પ્રધાન પદના અર્થમાં જ અથત અર્થાન્તરમાં સમજાય છે. ત્રીજા મત પ્રમાણે ગૌણ પદ પિતાને અર્થ અને પ્રધાનપદને અર્થ એમ બે અર્થો (ધ યર્થો) દર્શાવે છે. અન્વય માટે ભાષ્યકારે ધૃતઘટ અને તલવટનાં ઉદાહરણે આવ્યાં છે. ઘીના ઘડામાંથી ઘી અને તેલના ઘડામાંથી તેલ કાઢી લેવામાં આવતાં છતાં તે ઘડાઓને ઘીને ઘડે, તેલને ઘડો એમ કહેવાય છે, કારણકે ઘડો અને તેલને અવય અર્થાત સંબંધ છે. વિરોધી અર્થ માટે સુથારનું ઉદાહરણ આપવામાં આવ્યું છે રાજાના કાર્યમાં લાગેલ સુથાર પિતાનું સુથારી કામ છોડી દે છે. અલબત્ત પ્રધાન પદના અવિરાધી અને ત્યાગ કરતો નથી. સુથાર તેના હાસ્યને, હેડકીને, અને કાન ખોતરવાનો ત્યાગ કરતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy