SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય निमित्ते प्रत्ययः पूर्वा नानुप्राप्तो निमित्तिना । निमित्तवति बुद्धश्च न निमित्तसरूपता ॥१०॥ संस्कारसहितोद् ज्ञानान्नोपश्लेषः स्मृतिरपि । व्यापारे तन्निमित्तानां न ग्राह्यं स्यात् तथाविधम् ॥९॥ નિમિત્તવિષયક પહેલું જ્ઞાન નિમિત્ત વડે પ્રાપ્ત કરાતું નથી અને નિમિત્તવિષયક જ્ઞાન નિમિત્તના જેવું હોતું નથી. (પૂર્વ) સંસકાર સાથેના (ઉત્તર) જ્ઞાનથી ઉત્પન્ન થયેલી) સૃતિ દ્વારા તેમનું સ યોજન પણ થતું નથી. (મૃતિ)નાં નિમિત્તો રૂપી શક્તિઓનો ઉપગ થતાં તે (વિશેષણવિશેષ્યરૂપ સંબંધ) વાસ્તવિક બનશે નહિ. (૯૦-૯૧) અહીં નિમિત્ત એટલે વિશેષણ અને નિમિત્તિ એટલે વિશેષ્ય સમજવાનાં છે, સમાસમાં એકાથી ભાવ હોય તો વિશેષણવિશેષ્યભાવ કેવી રીતે સંભવે એવી શંકાના એક જવાબ એ આપવામાં આવ્યો છે કે વિશેષણ અને વિશેષ્યને અભિધાન અને અભિધેયના ક્રમમાં સમજવાં અર્થાત વિશેષણના બધ પછી વિશેષ્યનો બંધ થાય છે એમ સમજવું. બન્નેને એકાથી ભાવ થતાં વિશેષણની નિવૃત્તિ થાય છે. આ પ્રમાણે વૃત્તિમાં વિશેષણ વશેષ્યભાવ સમજે. આ જવાબ બરાબર નથી એમ આ કારિકામાં જણાવવામાં આવ્યું છે. નિમિત્ત એટલે વિશેષણ અને નિમિત્તિ એટલે વિશેષ્ય. પહેલાં વિશેષણ વિષયક જ્ઞાન થાય છે. આવું જ્ઞાન નિમિત્ત અર્થાત વિશેષ્ય સાથે જોડાતું નથી કારણ કે વિશેષણવિષયક જ્ઞાન વિશેષ્યને જ્ઞાન વખતે નિવૃત્ત થયું હોય છે. વળી વિશેષ્યવિષયક જ્ઞાન વિશેષજ્ઞાન જેવું હેતું નથી કારણ કે દરેકનું જ્ઞાન એકબીજાથી સ્વતંત્રરૂપે થયું હોય છે. તેથી વિશેષણવિશેષ્યભાવરૂપ સંબંધ પ્રાપ્ત થતો નથી, હવે જે કઈ એમ કહે કે વિશેષણવિશેષ વિષયક અનુભવથી પ્રાપ્ત થયેલ વાસનાથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ વિશે ઘણુવિશેષ્યભાવને જાહેર કરે છે તો તેના જવાબમાં એમ કહી શકાય કે સ્મૃતિ પણ વિશેષણ અને વિશેષ્યનો ઉપલેષ અર્થાત સંજન કરતી નથી, કારણ કે સ્મૃતિને કાર્ય માટે જવાબદાર શક્તિઓના ઉપયોગથી પ્રાપ્ત થતો વિશેષણવિશેષ્યમાત્ર વાસ્તવિક નથી, પરંતુ, તે પૂર્વ અનુભવની વાસના વડે ઉત્પન્ન થયેલ છે, અર્થાત અસત્ છે. આમ વાસ્તવિક વિશેષણવિશેષ્યભાવ સિદ્ધ થતું નથી. अन्तःकरणवृत्तौ च व्यर्था बाह्यार्थकल्पना । तस्मादनुपकारो वा ग्राह्यं वा न तथा स्थितम् ॥९२।। (વિશેષણવિશેષ્યભાવને પોતાના) અન્તઃકરણના કાર્યરૂપે સ્વીકારતાં બાહ્ય પદાર્થની કપના વ્યર્થ થશે. તેમ થતાં તે બંનેને પરસ્પર) ઉપકાર પણ થતો નથી અથવા અનુભૂત વિષય તે (વાસ્તવિક) નથી (૯૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy