SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ “પદાર્થોનાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશમાં ક્રિયાવાન કાલ જ નિમિત્ત છે. તે કાલને આ યંત્રનો સૂત્રધાર કહે છે. વિશ્વની વિવિધ ક્રિયાઓ તેનાથી પ્રતિબદ્ધ છે. જેમ દોરી, (નચાવવા માટેનાં) પંખીઓને બરાબર જાણે છે, તેમ તેમને તે બરાબર જાણે છે.” तमस्य लोकयन्त्रस्य सूत्रधार प्रचक्षते ।। प्रतिबन्धाभ्यनुज्ञाभ्यां तेन विश्व विभज्यते ॥ वा.प. ३.९.४ प्रतिबद्धाश्च यास्तेन चित्रा विश्वस्य वृत्तयः તા: pવાનુગાનાતિ યથા તખ્ત: શકુનિતા: 1 વા.વ. ૩.૬.૧પ ૪.૧ ભક્તા એટલે કર્મો કરનાર અને ફળ ભેગવનાર વ્યક્તિ. ભક્તવ્ય એટલે જેના દ્વારા આનંદ પ્રાપ્ત થાય તે વિષય અને ભેગ એટલે સુખદુઃખાદિ અનુભવ. ૫.૧. બ્રહ્મપ્રાપ્તિ એટલે (૧) હું, મારું, એવી અહંકાર ગ્રંથિ(વાસના)નું દૂર થવું, (૨) વિકારોનું મૂળ પ્રકૃતિમાં લીન થવું, (૩) ઈન્દ્રિયોને તેમના કાર્યમાંથી નિવૃત્ત કરવી (ારFા નિયાળાં વૃદ્ધિમનસોશ્વ નિવૃત્તિ –ટૂતિ), (૪) બાહ્ય સાધનો વિનાની આંતરતૃતિ, (૫) આત્મપરિતેષ, (૬) પરમતત્ત્વની ઝંખના, (૭) બાહ્યાથ તરફ અનાસક્તિ, (૮) પરિપૂર્ણ શક્તિનો અનુભવ, (૯) કાલની પ્રતિબંધ (રોકવું) અથવા અનુજ્ઞા (આવકાર) જેવી વૃત્તિઓમાંથી મુક્તિ અને (૧૦) નૈરામ્ય. મેક્ષની આવી દસ સ્થિતિએના ઉલ્લેખમાં બીજી અને નવમી સ્થિતિના ઉલ્લેખો વૈયાકરણમાં વધારે જાણીતા છે. કારિકા ૧.૧૪૩ની વોપજ્ઞતિ માં અને ત્રીજા કાંડના કાલસમુદ્દેશમાં અનુક્રમે તેમને વિષે ચર્ચા મળે છે. ૫.૨. ધમ ( =સત્ય )નો સાક્ષાત્કાર કરનાર મન્નદ્રષ્ટા ઋષિઓએ, સૂક્ષ્મ, નિત્ય અને અતીન્દ્રિય વેદરૂપી વાણીનો સાક્ષાત્કાર કર્યો અને તેમણે ધર્મને જેમને સાક્ષાત્કાર થયો નથી તેવા અન્ય ઋષિઓને મન્ત્રોનો ઉપદેશ કર્યો. ૫.૩. વેદપી શતત્ત્વ એક જ છે. આ શબ્દતત્ત્વ એક છતાં તેનામાં અભિવ્યક્તિના ક્રમ પ્રમાણે અનેકત્વ પ્રાપ્ત થતું હોવાથી, એકત્વને બાધ ન આવે તેમ સંહિતા, પદ, ક્રમ વગેરે વિભાગમાં અને જુદી જુદી શાખાઓમાં તે વિભક્ત બન્યું છે, જેમ આયુર્વેદ એક હોવા છતાં અષ્ટાંગરૂપે વિભક્ત બન્યો છે તેમ. भेदानां बहुमार्गत्वं कर्मण्येकत्र चाङ्गता । शब्दानां यतशक्तित्व तस्य शाखासु दृश्यते ।।६।। તેના (ગ્યદાદિ) ભેદની ઘણી શાખાઓ છે છતાં એક કર્મમાં (જ) તેમનું ઉપકારકત્વ છે. તેની શાખાઓમાં શબ્દોના (અથબધ માટેની) શક્તિઓની ચેકસાઈ છે. (૬) ૬.૧. ચાર વેદમાં દરેકની અનેક શાખાઓ છે, જેમ કે યજુર્વેદની એકસે. એક, સામવેદની એક હજાર, વેદની એકવીસ અથવા પંદર અને અથર્વવેદની નવ. (મામાણ્ય, વઘાદ્ધિ, 9 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy