________________
વાકયુપદીય
આવતી હતી પરંતુ વૈયાકરશો એ તમને બદલે નર્ધ શબ્દ પસંદ કર્યો, કારણ કે પાણિનિએ સન વિવિઃ | સૂત્રમાં તેનો ઉલ્લેખ કર્યો છે. આ કારિકા જણાવે છે કે સંબંધી શબ્દો અંગે “સાપેક્ષ અસમર્થ છે” એવો નિયમ લાગુ પડશે નહિ.
समुदायेन संबन्धो येषां गुरुकुलादिना ।
संस्पृश्यावयवांस्तेऽपि युज्यन्ते तद्वता सह ॥४९॥ (દેવદત્ત વગેરે) જે શબ્દોને ગુરુકુલ વગેરે સમુદાય સાથે સંબંધ છે, તે, (સમુદાય)ના અવયવ સાથે (પહેલા) સંબંધ પામીને જ, અવયવાળા તેની સાથે જોડાય છે. (૪૯)
જેમ પ્રસિદ્ધ દાસી ગૃહ અંગે કોઈ પૂછતું નથી કે “કમી દાસીનું ઘર' તેમ ગુરુકુલ પણ પ્રસિદ્ધ છે અને તેને વિષે પણ કોઈ પૂછતું નથી. તેથી વૈવઢતઘ ઇન્ ! એવા પ્રણમાં ૬ એવા ઉપસર્જન પદને રેવાર સાથે સંબંધ થાય છે. આમ તેવરહ્ય પહેલાં ગુરુ એવા અવશ્ય શબ્દ સાથે જોડાઈને પછી અયવી એવા જુદg[ સાથે સંબંધને પામે છે.
अबुधान्प्रत्युपायाश्च विचित्राः प्रतिपत्तये ।
शब्दान्तरत्वादत्यन्त भेदो वाक्यसमासयोः ॥५०॥ અજ્ઞાનીઓને (સમાસ અને વાકય વચ્ચેના ભેદનું) જ્ઞાન થવા માટે વિવિધ ઉપાય જવામાં આવ્યા છે. જુદા શબ્દ(પ્રાગ) હોવાથી, વાકય અને સમાસ અત્યંત ભિન્ન છે. (૫૦)
એકાથભાવરૂપ સામર્થવાળા રાગપુરુષ: વગેરે સમાસે પરમાર્થ દૃષ્ટિએ નિરંશ છે, પરંતુ, તેના અવયવોને જુદા પાડીને જ્ઞ: પુa: એમ સમજવામાં આવે છે. મંદબુદ્ધિવાળા એ બનેમાં ઉચ્ચારણસાગ્ય નિહાળીને તેમની વચ્ચે અભેદ સમજે છે. વાસ્તવમાં બને જુદા છે. ચિત્રમાં દોરેલ ગાય અને ગવય નામનું પ્રાણી, બહારના દેખાતા સાગ્યને કારણે એક સમજાતું હોવા છતાં જુદું છે. તે પ્રમાણે એકાધીભાવ રૂપ સામર્થ્યવાળો સમાસ અને વ્યાપેક્ષારૂપ સામર્થ્યવાળું વાકય જુદાં છે.
असमासे समासे च गोरथादिष्यदर्शनात् ।
युक्तादीनां न शास्त्रेण निवृत्त्यनुगमः कृतः ॥५१।। કોથઃ વગેરે પ્રયોગોમાં, તે સમાસ હોય કે વાક્ય હોય પરંતુ ગુજd વગેરે શબ્દ તેમની સાથે દેખાતા ન હોવાથી, તેમના લેપનું વિધાન કરવામાં આવ્યું નથી. (૫)
મારથ: (બળદો વડે ખેંચાતો થ) વોન: (દહીં છાંટેલે ભાત) વગેરે પ્રયોગોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org