SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ વા૫રીય अर्थस्य विनिवृत्तत्वाल्लुगादि न विरुध्यते । एकार्थीभाव एवातः समासाख्या विधीयते ।।४।। ભેદના (આધાર રૂપ) વિભકર્ણની નિવૃત્તિ થતી હોવાથી તેના લોપ વગેરેનું વિધાન (શાઅનિયમોનું વિરોધા નથી. તેથી એકા થભાવ હોય ત્યારે સમાસ સંજ્ઞાનું વિધાન કરવામાં આવ્યું છે. (૪૫) સમર્થ: વાવિધિ: ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે વૃતિ બે પ્રકારની છે, એક જહ સ્વાર્થી અને બીજી અજહસ્વાર્થી. જ્યાં ગૌણ પદ પોતાના અર્થને ત્યાગ કરે ત્યાં જહસ્વાર્થ વૃત્તિ પ્રાપ્ત થાય છે. અજહસ્વાથમાં મુખ્ય પદ સાથે ગૌણ પદને એકાથીભાવ પ્રાપ્ત થાય છે. તેનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોવાથી કશો ભેદ પ્રાપ્ત સંબંધ શક્ય નથી તેથી વિભક્તિની નિવૃત્તિ થઈ છે એમ સમજાય છે, વિભક્તિને લેપ થતાં એકાથભાવરૂપ સામર્થ સિદ્ધ થઈને સમાસ બને છે. - વાકયમાં ભેદ અને સંખ્યાની વિવિક્ષા લેવાથી વિભક્તિનું શ્રવણ થાય છે. સમાસમાં અભેદ અને એકત્વસંખ્યાની વિવેક્ષા હોવાથી એકાથીભાવનું સ્વાભાવિક અભિધાન થાય છે. व्यवस्थितविभाषा च सामान्ये कैश्चिदिष्यते । तथा वाक्य व्यपेक्षायां समासोऽन्यत्र शिष्यते ॥४६।। કેટલાક (વૈયાકરણ)ના મનમાં સામાન્ય (સંબંધરૂપ સામર્થ) અંગે વ્યવથિત વિભાષાને ગ્ય માનવામાં આવી છે, જેમકે, થપેક્ષારૂપ સામર્થ્ય હેય ત્યારે વાકયનું અને તેનાથી જુદી સ્થિતિમાં સમાસનું વિધાન કરવામાં આવ્યું છે. (૪૬) કેટલાક વૈયાકરણ માને છે કે સુત્રકારે પોતે જ સામર્થ્યને સમાસમાં અને વાક્યમાં આવશ્યક ગયું છે. આ સ્થિતિમાં વ્યવસ્થિત વિભાષાના સિદ્ધાન્ત પ્રમાણે જ્યાં વ્યાપેક્ષારૂપ સામર્થ્ય હોય ત્યાં સમાસ થશે. આ સ્થિતિ શબ્દશક્તિને અનુસરીને ૯૫વામાં આવી છે. સામર્થ્યના બે પ્રકારે કાત્યાયને રજૂ કર્યા છે. પતંજલિએ તેનો વિસ્તાર કર્યો છે. સન: વિષિઃ સૂત્ર ઉપરના પહેલા વાર્તિક ધાનામwાથમાવઃ સમર્ધવચનમ્ માં વાર્તિકકાર જણાવે છે કે જુદા અથવાળા શબ્દોનું એક અર્થમાં પ્રાપ્ત થવું એટલે સામર્થ્ય. વર્તિક માં જણાવ્યું છે કે કેટલાકના મતમાં સામ એટલે શબ્દના અર્થની પરસપર અપેક્ષા. આવી સ્થિતિ વાકયમાં પ્રાપ્ત થાય છે. વયાકરણ પરંપરામાં વિભાષાના પ્રાપ્ત, અપ્રાપ્ત અને ઉમાત્ર એવા પ્રકારે ઉપરાંત વ્યવસ્થિત વિભાષા એવો પ્રકાર પણ સમજવામાં આવ્યો છે. આ પ્રકાર પ્રમાણે વિક૯૫ અંગેના નિયમનાં બધાં ઉદાહરણેને વિક૯પ લાગુ ન પડતાં અમુકને અવશ્ય લાગુ પડે છે અને બીજાને લાગુ પડતો નથી પાસે ૩.૩.૧૫૬ અને ૭૪.૪૫ ઉપરના ભાગ્યમાં રેવન્નાત, નો પ્રાદઃ, નવલિક અને સંશિતરને વ્યવસ્થિતવિભાષાનાં ઉદાહરણો સમજવામાં આવ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy