SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૩ ત્રીજુ કાંડ विधिभिः प्रतिषेधैश्च भेदाभेदनिदर्शनम् । कृत द्वन्दैकवद्भावे संघवृत्त्युपदेशवत् ॥४३॥ દ્વન્દ(સમાસ)માં એકવભાવ પ્રાપ્ત હોય ત્યારે સમુદાયનું વિધાન હેય છે તેમ વિધિનિયમથી) અને પ્રતિષેધનિયમ)થી (વ્યપેક્ષારૂપ) ભેદ અને (એકાથીભાવરૂપ) અભેદ જણાવવામાં આવ્યા છે. (૪૩) - ઇન્દ સમાસના ઇતરેતરોગ અને સમાહાર એવા બે વિભાગો છે. પ્રાળિસૂર્યસેનાજાનામા (૨.૪,૧) સૂત્રનયમ પ્રમાણે પ્રાણીઓનાં શરીરના અંગે, જુદા જુદા વાઘવાદક અને સેનાના અંગેના અર્થવાળા શબ્દોનો દસમાસ એકવભાવ અર્થાત્ એકવચન વાળે હોય છે. આ સમાસ સમાહાર 6% છે. અહીં સમાસના અવયવોને એક સમુદાયમાં અયીત સમૂહમાં સમાહાર છે. આવા જુદા જુદા અવયવોને જ્યાં સમાહાર ન હોય ત્યાં ઇતરેતરણ દ્વન્દ સમાસ થાય છે અને એકવચન થતું નથી પરંતુ પદોની સંખ્યા પ્રમાણે વચન પ્રાપ્ત થાય છે ન ધપમાનિ (૨ ૪.૧૪ વિપક્ષી વગેરે સમાસો એકવચનશબ્દો નથી) સૂત્ર પ્રમાણે રવિપાસી, મધુવચલી, વગેરે સમાસામાં સમાસનાં પદોનો સમાહાર થયા નથી. વિમાષા વૃક્ષમૃતૃળયાખ્યાખ્યાન સુવુશ્વત્રરત્રપૂર્વાપરયરોત્તરાળાનું . (પ.સૂ. ૨.૪.૧૨, વૃક્ષા, પશુઓ, ઘાસ, ધાન્ય, મસાલા, પાળેલાં પશુપંખીઓનાં નામે, અને અશ્વવઢવમ (શ્વરકat:), પૂર્વાપર (પૂર્વાપરે), અને રોરમ (ધરો) જેવા સમાસો વિકલ્પ એકવચન સમાસો છે) પ્રમાણે એકવભાવવાળા સમાસે વિકલ્પ દ્વન્દ સમાસે થાય છે. આવા વિધિ, પ્રતિષેધ અને વિભાષા અર્થાત વિકલ્પના વિધાનોને આધાર શબ્દની પિતાની શક્તિ અને તે પ્રમાણે તેમને વ્યવહારમાં વપરાશ છે. આવી સ્થિતિ ન હોય તો વ્યાકરણશાસ્ત્રનાં સેંકડે વચનો પણ કશું કરી શકતા નથી (ન ચલતા શાનાં શાવનરસેનાપ તું વર્ચસ્તાહેલા રાજ सामर्थ्यमविशेषोक्तमपि लोकव्यवस्थया । वृत्त्यवृत्त्योः प्रयोगशैविभक्त प्रतिपत्तृभिः ॥४४॥ સામર્થ્યનું સામાન્યપણે વિધાન થયું હોવા છતાં પ્રયોગને જાણનારા અભ્યાસીઓએ, વ્યવહારમાં વપરાશ પ્રમાણે તે (સામર્થ્ય)ને સમાસ અને વાકયમાં જુદું રહેલું સમજાવ્યું છે. (૪૪) સમર્થઃ ૧વિધિ: (પા મૂ. ૨.૧.૧ પદસંબંધી બધાં કાર્યો સામર્થ્ય ઉપર આધાર રાખે છે. એવા સામાન્ય નિયમ સમાસ અને વાકયનાં પદો વચ્ચે સામર્થની આવશ્યકતા જણાવે છે. સત્રકાર પાણિનિએ આવો સામાન્ય નિયમ ર છે. વ્યવહારમાં શબ્દોના વપરાશને જાણનારા અભ્યાસીઓ જેવા કે વાર્તિકકાર અને ભાષ્યકારે આ સામર્થ્યને સમાસમાં એકાથીભાવ રૂપે અને વાકયમાં વ્યાપેક્ષા રૂપે એમ બે પ્રકારે જુદું સમજાવ્યું છે. તેમણે તેમની વ્યાખ્યાઓ અને તેમની વિશિષ્ટતાઓ સાથે વઢવિધિ: | ઉપરના ભાષ્યમાં ચચી છે. તેમણે જણાવ્યું છે કે સમાસમાં એકાથીભાવરૂપ સામર્થ્ય છે અને વાકયમાં વ્યાપેક્ષારૂપ સામથર્ય છે. વા-૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy