________________
૪
ત્રીજુ કાંઠ
वृत्तौ विशेषवृत्तित्वाद् भेदे सामान्यवाचिता । .
उपमानसमासादौ श्यामादीनामुदाहृता ।३८॥ (શ્રીરામ) જેવા ઉપમાન સમારોહમાં શ્યામા શબ્દને સમાસમાં વિશેષ ધર્મ દર્શાવનારા અને વાક્યમાં સામાન્ય ધર્મ દર્શાવનારા ઉદાહરણ તરીકે જણાવવામાં આવ્યા છે. (૩૮)
- ૩૧માનાનિ સામાન વચૌ: (પ , ૨.૧.૫૫, ઉપમાવાચક શબ્દને સામાન્ય ધમ વાળા શબ્દ સાથે સમાસમાં યોજવામાં આવે છે)ના ઉદાહરણ તરીકે શન્નશ્યામા (છરી જેવી કાળી) જેવો પ્રયોગ છે. રાત્રી સ્વ શ્યામ | જેવા વિગ્રહવાકયમાં શ્યામા શબ્દ સામાન્ય ધર્મ શ્યામવ દર્શાવે છે.
ભાષ્યકારે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બીજા શબ્દ સાથે યોજાતો શબ્દ વિશેષવચન બનશે. બીજા શબ્દ સાથે સંબ ધમાં આવ્યા પહેલાં અર્થાત વાક્યમાં જે સામાન્યવચન શબ્દ હેાય તેની સાથે ઉપમાનવાચક શબ્દનો સમાસ થાય છે. (અથવા સામાવરિયુગેરે सर्वश्च शब्दोऽन्येन शब्देनामिसंबध्यमानो विशेषवचन: संपद्यते स एवं विज्ञास्यमानः प्रागभिसबन्धाद्या सामान्यवचन इति ।)
वृत्तिरन्यपदार्थ या तस्या वाक्येष्वसंभवः ।
चार्थे द्वन्द्वपदानां च भेदे वृत्तिर्न विद्यते ॥३९॥ અન્ય પદના અર્થમાં જે સમાસકાર્ય છે તે (અર્થ)નો વિગ્રહવાકયમાં સંભવ નથી. કદ્ધ સમાસમાં જોડાતાં પદોનું વાકયમાં “અને ”ના અર્થમાં અભિધાન થતું નથી. (૩૯)
દિનuસ (વનસ્વતિ સુદર કુંપળવાળું વૃક્ષ) એવા સમાસમાં અન્ય પદાર્થનું જે રીતે અભિધાન થાય છે તે રીતે નિધાનિ સિવાનિ સર્ચ . એવા વિગ્રહવાકયમાં થતું નથી. વિગ્રહવાકયમાં આવું અભિધાન શબ્દ વડે થાય છે. સમાસમાં તેનાં પદ એકાર્થ બનીને તેમના સંબંધી એવા અન્ય પદાર્થનું પ્રતિપાદન કરે છે.
રૂદ્ધ સમાસમાં સમાજના ભાગ રૂપે ૨ (અને) પ્રાપ્ત થતો નથી છતાં વને અર્થ દર્શાવાય છે, પરંતુ વિગ્રહવાકયમાં ૬ શબ્દ અને અર્થના વાચક તરીકે પ્રયોજાય છે.
અગાઉની કારિકાઓમાં મે અને વિમાને શબ્દો વાકય માટે પ્રયોજાયા છે અને વૃત્તિ શબ્દ સમાસ માટે પ્રયોજાયો છે. આ કારિકામાં પહેલી પંક્તિમાં વૃત્તિ શબ્દનો અર્થ સમાસ થશે અને બીજી પંક્તિમાં વૃત્તિ શબ્દનો અર્થ શક્તિ અથવા અભિધાન થશે.
भेदे सति निरादीनां क्रान्ताद्यर्थेष्वसंभवः ।
प्राग्वृत्तर्जातिवाचित्व न च गौरखरादिषु ॥४०॥ વાકયમાં હોય ત્યારે નિફૂ વિગેરેનો “બહાર ગયેલો એવો અર્થ સંભવત નથી. નૌરવર વગેરે સમાસમાં જોડાય તે પહેલાં જાતિનો અર્થ દર્શાવતા નથી. (૪૦)
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org