SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વાકયપતીય समुदायान्तरत्वाच्च तादृशोऽर्थो न लौकिकः । अन्वयव्यतिरेकाभ्यां शास्त्राथोऽपि न दृश्यते ॥३४॥ સમાસ વડે દર્શાવાતો સમુદાય જુદે હવાથી આવો (અવયવ પ્રાપ્ત) અર્થ લોકપ્રસિદ્ધ નથી, અન્વયવ્યતિરેક વડે પણ તે શાસ્ત્રીય અથરૂપે દેખાતું નથી, (૩૪) કાત્યાયને રજૂ કરેલા યુગપટ્ટના નિયમ મુજબ ઇન્દ સમાસના અવયવોને આવા પ્રકારને અર્થ લોકમાં જાણતો નથી. શાસ્ત્રીય પદ્ધતિથી અન્વય અને વ્યતિરેક દ્વારા પણ આ અર્થ જાણું શકાતું નથી. તેથી આ સિદ્ધાન્ત સ્વીકારવા યોગ્ય નથી. दुःखा दुरुपपादा च तस्माद् भाष्येऽप्युदाहृता । युगपद्वाचिता सा तु व्यवहारार्थमाश्रिता ।।३५।। તેથી યુગપદધિકરણુવચનતાને ભાષ્યમાં દુઃખકારક અને સમથવામાં મુશ્કેલ કહી છે પરંતુ (દ્રદ્ધના) વ્યવહાર માટે તેને આશ્રય કરવામાં અાવ્યા છે. (૩૫) યુગ પદધિકરવચનતા અંગેના કાત્યાયનના મતની પતંજલિએ વિસ્તારથી સ્પષ્ટતા કરી હોવાથી ભર્તુહરિએ આ સિદ્ધાતની વિસ્તૃત ચર્ચા કરી નથી. તેથી આ સિદ્ધાન્ત સ્વીકારવા યોગ્ય નથી. समुदायमुपक्रम्य पदं तस्यां प्रयुज्यते । विभागेन समाख्याने ततस्तद् द्वयर्थमुच्यते ॥३६॥ તે (યુગપદધિકારણુવચનતા)માં સમુદાયને ધ્યાનમાં રાખીને ( ક) પદને પ્રયોજવામાં આવે છે, તેથી વાકય વડે જણાવવામાં આવતાં તે (પદ) બે અર્થોવાળું છે એમ કહેવાય છે. (૩૬) હૃક્ષન્યગ્રોથ એવા સમુદાયનો % સમાસ થયો છે. વિગ્રહ વાક્યમાં તેનું હૃક્ષ પદ લક્ષ અને ગ્રોધ એવા બે અર્થ અને યોધ: પદ ન્યગ્રોધ અને લક્ષ એવા બે અથ જણાવે છે. તેથી હૃક્ષ ૧ ચોથી હૃક્ષો એવું વિગ્રહ વાક્ય થશે. वाक्येऽपि नियता धर्माः केचिद् वृत्तौ द्वयोस्तथा । ते त्वभेदेन सामर्थ्यमात्र एवोवर्णिताः ॥३७॥ કેટલાક અર્થભેદ વાક્યમાં નિયત હોય છે, કેટલાક સમસમાં અને કેટલાક બનેમાં નિયત છે) સામર્થ્યને ધ્યાનમાં રાખીને તેમને અભિન્નપણે જણાવ્યા છે.(૩૭) સમર્થ પવિધિ: (૨.૧.૧. પદ સંબંધે કાર્ય સમર્થ શબ્દમાં જ થાય છે) એવા સૂત્ર ઉપરના ભાગ્યમાં સમાસ અને વાક્યમાં બનેમાં પદોના પરસપર સામાથ્યને મહત્વ આપવામાં આવ્યું છે. સામને વાકયમાં પ્રાપ્ત થતું અર્થાત વ્યાપેલારૂપ સામર્થ્ય અને સમાસમાં પ્રાપ્ત થતું અર્થાત એકાથીભાવરૂપ સામર્થ્ય એમ બે પ્રકારે સમજાવવામાં આવ્યું છે. બનેની વિશેષતા એ ભાગ્યકારે જણાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy