SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઇ ૧૧. કોઈ ચોક્કસ કારણને લીધે જ શબ્દ દ્વારા પદાર્થનું અભિધાન થાય છે એમ માનીએ તો વૃક્ષતિ રૂતિ ઋક્ષ: ચિત્ રતિ રૂતિ વધ: ! એવી વ્યુત્પત્તિએ દરેકને લાગુ પડી શકે. રસ ઝરવાનું અને નીચે ફેલાવાનું બન્ને માટે સરખું જ છે. ૧૨. વાર્તિકકારની સામે દલીલ કરી શકાય કે તમારી વાત પ્રત્યક્ષ વ્યવહારની વિરોધી છે. વ્યવહારમાં ક્યાંય પ્લેક્ષ શબ્દ ન્યાધના અર્થમાં વપરાતો નથી. વાર્તિકકાર જણાવે છે કે પ્રક્ષરણ એટલે ચારે બાજુ ફેલાવું અને ન્યમ્ રહણ એટલે પણ નીચેની બાજુએ બધે વિસ્તરવું. આ શબ્દો એકબીજાને બદલે વાપરી શકાય. ૧૩. પણ “પ્લક્ષ લાવો’ એમ કહેતાં કોઈ ન્યધ લાવતું નથી અને અન્યધ લાવે એમ કહેતાં કોઈ પક્ષ લાવતું નથી એનું શું ? વાર્તિકકાર જણાવે છે કે (અ) આ બાબતને ધ% સમાસ પૂરતી સીમિત રાખે. (બ) બીજા પણ આવાં ઉદાહરણ છે. શબ્દના અર્થવિષયો નિયત હોય છે, જેમકે લાલ રંગ સરખો હોય તો પણ ગાયને લેહિત અને ઘોડાને શોણ કહે છે. કાળા રંગ સ હોવા છતાં ગાયને કૃષ્ણ અને ઘોડાને હેમ કહે છે. સફેદ રંગ સરખે હોવા છતાં ગાયને શ્વેત અને ઘોડાને કર્ક કરે છે. ૧૪. પ્લેક્ષ શબ્દ 2ધનો અર્થ દર્શાવતો હોય અને ગ્રોધ પ્લેક્ષનો અથ દર્શાવતો હોય તો એક જ લક્ષ શબ્દ વડે બે અર્થો દર્શાવવામાં આવતાં ગ્રોધ શબ્દનો પ્રયોગ કરવાની જરૂર રહેશે નહિ. આના જવાબમાં વાર્તિકકાર જણાવે છે કે લક્ષ શબદથી ન્યોધનો અર્થ દર્શાવાતે ન હોવાથી અને ગ્રે ધથી પ્લેક્ષને અર્થ દર્શાવાતો ન હોવાથી બને શબ્દો વાપરવા જોઈએ. ૧૫. પ્લેક્ષનો અર્થ ગ્રુધ છે અને ન્યોધને અર્થપ્લક્ષ છે એમ હમણાં જ તમે કહ્યું છતાં હવે આમ કેમ કહો છો ? આના જવાબમાં વાસ્તિકકાર કહે છે કે આ શબ્દ એકસાથે વપરાયા હોય ત્યારે એકબીજાનો અર્થ દર્શાવે છે, જુદા વપરાયા હોય ત્યારે દર્શાવતા નથી. ૧૬. અર્થોનું પ્રતિપાદન શબ્દ ઉપર નિર્ભર હોઈ સ્વાભાવિક છે. પ્લેક્ષ અને ત્યાધના અર્થો કેટલીકવાર મુખ્યપણે દર્શાવવામાં આવે છે અથવા ગૌણપણે ગુણ કે ક્રિયા દ્વારા દર્શાવવામાં આવે છે. આ લક્ષ છે, કારણ કે તે પ્લેક્ષ જેવું છે અને આ ન્યધ છે કારણકે તે ન્યગ્રુધ જેવું છે. તેથી દક્ષ એમ કહેતાં બે પ્લેક્ષ કે એક પ્લક્ષ અને એક ન્યધ એવી શંકા થશે. તેથી લક્ષ અને ગ્રોધ એવા બે શબ્દો વપરાય છે. યુગપદધિકરણવજનતાને સિદ્ધ કરવા માટે વાર્તિકકારે વાતિક રૂપે ઘણી દલીલ કરી છે. પતંજલિએ તેમને સ્પષ્ટ કરી છે. કેટલીક દલીલે પહેલી નજરે અસ્વીકાર્યું, તાર્કિક રીતે અસંગત અને પરસ્પર વિરુદ્ધ લાગે છે. વાવા લામા જેવા વૈદિક પ્રયોગોને ભાષા શબ્દો અંગેની ચર્ચામાં મદદ લઈ શકાય નહિ. અંતે અભિધાનના સ્વાભાવિકપણાની દલીલને આશ્રયે આ સિદ્ધાન્તને ટેકો મળે છે. તેથી જ પતંજલિએ આ સિદ્ધાંતને બુદ્ધિને કષ્ટકારક (ફુવા) અને મુશ્કેલીથી સમથી શકાય એવો (હવા ) કહ્યો છે. તેને પ્રતીતાવું. વારોહતત યુવા પ્રમાળામાવાવ દુધાતા -હેલારાજ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy