________________
ઝથમ કાંડ
ઋતુઓના સારરૂપ તેજવાળે સૂર્ય જેમ ઉનાળાને અંતે વાદળસમૂહને ઉત્પન્ન કરે છે તેમ તે (મહત વગેરેની) પ્રકૃતિ તરીકે રહેલા (પ્રધાન, પરમાણુ વગેરે) વિકારોને ઉત્પન્ન કરે છે. (૪)
(ઉકાપતન જેવા) ઉત્પાત વખતે સમુદ્રનાં જળ જેમ અંગારાંકિત દેખાય છે તેમ તેનું ચૈતન્ય એક હોવા છતાં અનેક પ્રકારે વિભક્ત બને છે. (૫).
પવનથી જેમ વૃષ્ટિ લાવનારાં વાદળે ઉત્પન્ન થાય છે તેમ જાતિરૂપે રહેલા તેનામાંથી વ્યક્તિઓરૂપી વિકારે ઉત્પન્ન થાય છે. (૬)
તે પરમ જ્યોતિ પહેલાં ત્રણ વેદરૂપે જણાય છે. જુદા જુદા દર્શનવિવાદમાં જુદી જુદી પરંપરાઓનું તે કારણ બને છે. (૭)
તે (ચૈતન્ય)નો શાંત અને વિદ્યાત્મિક અંશ, જેનું વિવેચન કરવું સાચે જ શકય નથી એવી અવિદ્યાવડે હમેશાં વીંટળાયેલે છે. (૮)
તે (અવિદ્યા)ના સર્વત્ર (રહેલા) વિકારનું (કેઈ) પરિમાણ નથી, તેની સંસ્કાર પામેલી શક્તિઓનું (પછી) અસ્તિત્વ રહેતું નથી. (૯)
આંખે ઝાંખવાળો માણસ ચાખા આકાશને જેમ અનેક રૂપોથી ઘેરાયેલું માને છે તેમ આ વિકાર વિનાનું નિત્ય બ્રહ્મ, અવિદ્યાથી કલુષિત થયેલું અને ભેદવાળું ભાસે છે. (૧૦.૧૧)
શબ્દરૂપ અને શબ્દશક્તિના કારણરૂપ આ બ્રહ્મ શબ્દમાત્રામાંથી પ્રગટીને તેમનામાં જ વિલીન થાય છે. (૧૨)
यः सर्वपरिकल्पानामाभासेऽप्यनवस्थितः । तांगमानुमानेन बहुधा परिकल्पितः || व्यतीतौ भेदसंसगौ भावाभावी क्रमाक्रमौ । सत्यानृते च विश्वात्मा प्रविवेकारप्रकाशते ॥२॥ अन्तर्यामी स भूतानामाराद्दूरे च दृश्यते । सोऽत्यन्तमुक्तो मोक्षाय मुमुक्षुभिरुपास्यते ॥३॥ प्रकृतित्वमिव प्राप्तान्विकारानाकरोति सः । ऋतुधामेव ग्रीष्मान्ते महतो मेघसंप्लवान् ॥४॥ तस्यैकमपि चैतन्यं बहधा प्रविभज्यते । अङ्गाराक्तिमुत्पाते वारिराशेरिवोदकम् ॥५॥ तस्मादाकृतिगोत्रस्थाद् व्यक्तिग्रामा विकारिणः । मारुतादिव जायन्ते वृष्टिमन्तो बलाहकाः ॥६॥ त्रयीरूपेण तज्ज्योतिः परमं परिवर्तते । पृथक्तीर्थप्रवादेषु दृष्टिभेदनिबन्धनम् ||७||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org