________________
ત્રીજ' કાંડ
૬.૩.૩૪ પ્રમાણે કુંવભાવ થશે. આવા પુંવભાવના પ્રતિષેધ માટે જુદું કથન કરવું જોઈએ. યુગપદધિકરણવચનતાના સિદ્ધાન્ત સામેની પતંજલિએ રજૂ કરેલી આ પહેલી મુશ્કેલી છે. હવે જે સમુદાયના અવયવ સમુદાયાથે દર્શાવતા હોય તો પુંવભાવના પ્રતિષેધની જરૂર નહિ પડે, કારણ કે યુગપદધિકરણવચનને સમુદાય સાથે સંબંધ નથી. ૧ી અને પૃથ્વી એવા બે શબ્દો બે જુદા અર્થો દર્શાવશે. તેથી પુંવભાવનો પ્રતિષેધ કરવાની જરૂર નહિ પડે. નીયામાતા એવા સમાસનું ઉદાહરણ આપીને પંતજલિએ આ બાબતે સિદ્ધ કરી છે.
પ્રોફે. રાઉના સંપાદનમાં આ કારિકા એક વધારાની કારિકા તરીકે મળે છે. હસ્તપ્રતમાં તેના અસ્તિત્વ સિવાય તેને સ્વીકારવાના કશા પુરાવા નથી.
अनुस्यूतेव भेदाभ्यामेका प्रख्योपजायते ।
यदा सहविवक्षां तामाहुद्वन्द्वकशेषयो : ॥ २९ ॥ અવય વડે વ્યાપ્ત એવા એક (સમુદાય)નું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેને શ્રદ્ધા અને એકશેષમાં પ્રાપ્ત થનારી સહવિવક્ષા કહે છે. (૨)
આ કારિકાથી શરૂ કરીને કારિકા ૩૫ સુધીમાં સહવિક્ષા અને યુગપદધિકરણવચનતાના સિદ્ધાંતો અંગે વિચાર કરવામાં આવ્યો છે. સહવિવક્ષા અર્થાત્ “અર્થોનું એક સાથે અભિધાન કરવાની ઇચ્છા ને મહાભાગ્યકારે એકશેષની ચર્ચાના અનસંધાનમાં સમજાવી છે. નાગેશ સહવિક્ષાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે “બધા અર્થોને એક સાથે બધા શબ્દ વડે જાણવાની ઇચ્છા ' એટલે સહવિવક્ષા (વામર્થાનાં : : યુપટ્વોનેછા ) સહવિવલાનો વિચાર એકશેષના સંદર્ભમાં કરવાને બદલે ધન્ડના સંદર્ભમાં કરો વધારે ગ્ય છે, કારણ કે દ સમાસમાં બે અથવા વધારે શબ્દોના સમુદાયને જાણવાની આપણી ઇચ્છા હોય છે. યુગ પદધિકરણવચનતાને મુદ્દો જેને વાર્તિકકારે અને ભાષ્યકારે 4%ના સંદર્ભમાં સમજાવ્યો છે તેને એકશેષના સંદર્ભમાં સમજાવો વધારે યોગ્ય થશે.
જ્યારે બે અથવા વધારે અને એક ક્રિયા સાથે જોડવા માટે વિચારીને તેમને શબ્દો દ્વારા એક સાથે પ્રજવામાં આવે છે ત્યારે દઅને એકશેષ સમાસે પ્રાપ્ત થાય છે. આ સમાસમાં સમુદાય તેના અવયથી જુદો નથી. સમુદાયને અભિધાનની સાથે સાથે અવયવોનું અભિધાન થાય છે. આમ દ% અને એકશેષમાં સમુદાયનું અવયવવાચિત્વ નિયત છે. જ્યાં આવા સમુદાયે તેમના અવયવોથી જુદા હોય ત્યાં સમુદાયનું અભિધાન કરનાર શબ્દ અવયવોનું અભિધાન કરનાર શબ્દો કરતાં તદ્દન જુદી હોય છે. જેમકે ચૂથમ, મૂવને ઇન્દ્રસમાસમાં આમ બનતું નથી. તેમાં અવયવોની સહવિવક્ષા પ્રાપ્ત થાય છે.
इतरेतरयोगस्तु भिन्नसङ्घाभिधायिनाम् ।
प्रत्येक च समूहोऽसौ समूहिषु समाप्यते ॥३०॥ અવયરૂપી ભિન્નતાવાળા સમુદાયનું અભિધાન કરનારા શબ્દોનો ઇતરેતરગ (દ્વ) સમાસ થાય છે. આ સમુદાય દરેક અવયવમાં રહેલું છે. (૩૦)
વા-પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org