________________
વાકથપોય જેમ અનેક વર્ગોને સમુદાય એટલે પદ, અનેક પદોને સમુદાય એટલે ડ્યા અને અનેક
ચાઓને સમુદાય એટલે સૂક્ત કહેવાય છે તેમ, એક વર્ષનું પદ, એક પદની ઋચા અને એક ચાનું પણ સૂક્ત કહેવાય છે. લોકવ્યવહારની જેમ વ્યાકરણશાસ્ત્રમાં પણ ભેદક૯૫ના અને અભેદક૯પના હોવાથી વ્યવશિવસ્મિન એવું સૂત્ર કરવાની જરૂર નથી.
વાર્તિકકારે કરેલી ચર્ચા ઉપરથી ભતૃહરિ પિતાના વિચાર અંગે પુષ્ટિ મેળવે છે. અને જણાવે છે કે બુદ્ધિમાં પ્રાપ્ત થતા ભેદવ્યવહાર અને અભેદ વ્યવહારને કારણે એક જ વસ્તુની અનેક અવસ્થાએ સમજાશે અને એક જ અર્થાત્મા અનેક રૂપે વ્યક્ત થશે.
क्रियाभेदेन दृष्टानामश्मादीनां पुन: पुनः ।
किञ्चिद् दर्शनमन्येन दर्शनेनापदिश्यते ॥१७॥ જુદી જુદી ક્રિયાઓમાં વારંવાર જોવામાં આવેલા ઘટીના પથરા વગેરેના એક (ચકાસ) કાનું દર્શન તેના બીજા (કાર્યના) દર્શનના સંબંધમાં ભિન્ન રૂપે જણાવાય છે. (૧૭)
ઘંટીનું પડ દળવું, ભરડવું એવી અનેક ક્રિયાઓ કરતું હતું. હવે તે દળવાની એક ક્રિયા કરે છે. આમ ક્રિયાઓમાં ભિન્નતા અર્થાત અનેકત્વ દર્શાવાય છે. આ અનેકવ અને એકત્વ બુદ્ધિપ્રકપિત છે (નાનાશિવારંવનિઘન: શિયાપુત્રક્રાસંધિ પ્રતિનિયત શરીરનિતિ –હેલારાજ)
प्रयोगभेदाद् धातूनां प्रकल्प्य बहुरूपताम् ।
भेदाभेदावुपादाय क्वचिदेकाच्त्वमुच्यते ॥१८॥ ધાતુ(રૂપ)ના જુદા જુદા વપરાશ ઉપરથી તેમનાં અનેક સ્વરૂપની કલ્પના કરીને, ભેદ અને અભેદને આધારે કઈવાર તેમને એક સ્વરવાળા કહ્યા છે. (૧૮)
gwાવ: તે પ્રથમઘ I (૬.૧.૧. એક સ્વરવાળા પદના પહેલા ભાગનું ધિત્વ કરવું) સૂત્રમાં ; શબ્દને, જેમાં એક સ્વર છે એ ધાતુ' એમ બહુવધિ સમાસ
નવામાં આવ્યો છે. હવે શું (જવું) ધાતુમાં એક જ સ્વર હાઈ તેને એકાચું કેવી રીતે કહે? બહુત્રી હિમાં અન્ય પદાર્થો કોને સમજ? તિ, વયનમ, રતા, ઉત્ત, એવાં ? ધાતુનાં જુદાં જુદાં રૂપે પ્રયોગમાં હોવાથી ૩ માં એકાગ્રત્વની કલ્પના કરવામાં આવી છે. અહીં પ્રયોગભેદને લીધે ભેદ૯૫ના સમજવામાં આવી છે. વાસ્તવમાં ભેદ નથી. આવી ભેદકપના બુદ્ધિ પ્રાપ્ત છે.
अन्वयव्यतिरेकाभ्यामर्थवान्परिकल्पितः ।
एको धात्वर्थविगमाद् वर्णत्वेनोपचर्यते ॥१९॥ અન્વય અને વ્યતિરેક વડે તે (૬) ધાતુને અર્થવાન માનવામાં આવ્યો છે. (બુદ્ધિવડે) ધાતુના અર્થની પ્રાતિને લીધે એક સ્વરવાળે તે વર્ણ તરીકે જણાવાય છે. (૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org