SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વાકય ૫દીય #તિઃ પ્રગમાં વિશેષ વિશેષ્યભાવરૂપ સંબંધની ચર્ચા કર્યા પછી હવે આ ચર્ચાના સંદર્ભમાં સામાનાધિકરણની ચર્ચા કરવામાં આવે છે. સામાનાધિકરણ્ય બે પ્રકારનું છે. જુદા અર્થનિમિત્ત માટે વપરાતા શબ્દોનું એક અર્થમાં અવસ્થાન-આ એક પ્રકાર છે. આ પ્રકાર સ્વીકારવામાં આવે તો જુદાં પ્રવૃત્તિનિમિત્ત માટે વપરાતા શૃંગાર અને ઉતા શબ્દોનો વિશેષણવિશેષ્યભાવ સંબંધ થાય નહિ (કિ સમાનામિક્ષ તવા વિશે માવોર્થાર: તા: નવપરના મેયવાત -હેલારાજ). સામાનાધિકરણયને બીજો પ્રકાર છે, બે અર્થોનું એક આશ્ચયવાળા હોવું અર્થાત અધિકરણમાં પ્રાપ્ત થવું. આ પ્રકાર સ્વીકારવામાં આવે તે ગુણ અને દ્રવ્ય એવા કૃષ્ણ અને તિલ માટે કોઈક બીજુ અધિકરણ ન હોવાથી, તે બે વચ્ચે સામાનાધિકરણ્ય પ્રાપ્ત થશે નહિ, કારણકે વિશેષણવિશેષભાવ તો ગુણ અને દ્રવ્ય વચ્ચેનો જ હોય છે. હવે ગુણ અને દ્રવ્યજાતિ માટે આવું એક અધિકરણ સ્વીકારીએ તે વિશેષણવિશેષ્યભાવ થશે નહિ, કારણકે દ્રવ્યને ગુણ અને જાતિરૂપે જુદા સમજાવનારા તે કૃતિ: પ્રયોગમાં તે અને તિરુ શબ્દો વચ્ચે સંબંધ થશે નહિ. એકલું દ્રશ્ય વ્યવહારમાં શબ્દ દ્વારા વપરાશને યોગ્ય બનતું નથી. તેની ગુણ કે જાતિરૂપ ઉપાધિઓ સાથેનું હોય ત્યારે તે વ્યવહારમાં વપરાય છે. તેથી કૃષ્ણ ગુણ સાથે સંબંધવાળું તિ નામે એક દ્રવરૂ૫ વપરાય છે. તિલત્વ જાતિ સાથે સંબંધવાળું બીજું દવ્યરૂપ સમજાય છે. એક જ નિરશ દ્રવ્યને તેની ગુણ અને જાતિરૂપ ઉપાધિ સાથે જુદી રીતે સમજાતું કપવામાં આવ્યું હોવાથી, કારિકામાં ફ4 શબ્દ વપરાય છે. निमित्तैरभिसंबन्धाद् या निमित्तसरूपता । तस्यैकस्यापि नानात्वं रूपभेदात्प्रकल्पते ॥१३॥ (જાતિ, ગુણ, વગેરે) નિમિત્તો સાથે સંબંધથી (દ્રવ્ય)નું નિમિત્તો સાથેનું જે સરખાપણું દેખાય છે, તે સર ખાપણને લીધે એક (દ્રવ્ય)નું અનેક જુદાં રૂપને કારણે ક૨વામાં આવે છે. (૧૩) ગુણ અને જાતિ રૂપી નિમિત્તો સાથેનું દ્રવ્ય તેમના જેવું દેખાય છે. આમ થતાં એક નિરંશ દ્રવ્ય જણે જુદું જુદું હોય તેવી શ૯૫ના થાય છે. दुव्यावस्था तृतीया तु यस्यां संसृज्यते द्वयम् । तयोरवस्थयोर्भेदादाश्रयत्वे नियुज्यते ॥१४॥ જેમાં બે (જુદાં દ્રવ્યરૂપ) સંસગને પામે છે તે, દ્રવ્યની ત્રીજી અવસ્થા છે. બે અવસ્થાએથી જુદી હોવાને કારણે તે (ત્રીજી) તેમના આશ્રય તરીકે યોજવામાં, આવે છે. (૧૪) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy