SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૬પ૭ બીજું કાંડ सामान्यानामसंबन्धात् तौ विशेष व्यवस्थितौ । __ रूपाभेदाद् विशेषं तमभिव्यङ्कतु न शक्नुतः ॥१०॥ (તેમના સામાન્ય અર્થો વચ્ચે સંબંધ ન હોવાને લીધે વિશેષ અર્થમાં જાણીતા બનેલા તે બે શબ્દો) તેમના સ્વરૂપો જુદાં ન હોવાને કારણે, તે વિશેષ અર્થને વ્યક્ત કરી શકતા નથી. (૧૦) મારિકા નં. ૯ માં જણાવ્યા પ્રમાણે છૂળ શબ્દના દ્રવ્ય અને બંધ થાય છે, પરંતુ જતિને બોધ થતો નથી. બીજી રીતે કહીએ તો કૃષ્ણ શબ્દમાં તિલજાતિની અને તિલશબ્દમાં કૃષ્ણ ગુણવાળ દ્રવ્ય રૂપી વિશેષની વિવેક્ષા છે. આ શો જ્યારે વાક્ય રૂપે ન હોય ત્યારે તેમની વચ્ચે સંબંધ હોતો નથી, પરંતુ કૃm: તિસ્ત્રા: એવા વાકયરૂપે તે પ્રાપ્ત થાય ત્યારે વક્તાના મનમાં કૃષ્ણ શબ્દથી તિલની વિવક્ષા અને તિલ શબ્દથી કૃષ્ણની વિવક્ષા થાય છે. આવી વિવક્ષા અને વાક્યરૂપે રહેલા આ શબ્દોનો પરસ્પર સંબંધ શ્રોતાના મનમાં દઢ બને છે. तावेवं सन्निपतितौ भेदेन प्रतिपादने । अवच्छेदमिवाधाय संशयं व्यपकर्षतः ॥११॥ દ્રવ્યને વિશેષ રૂપે બંધ કરાવવા માટે આ પ્રમાણે સંબધ પામેલા તે બે શબ્દો ભિન્નતાને સ્થાપીને સંશયને દૂર કરે છે. (૧૧) કળાટ અને તિઃ શબ્દનાં સામાન્ય અર્થરૂપોમાં ભેદ હોતું નથી. જ્યારે તેઓ વાક્યરૂપે ન હોય ત્યારે તેઓ તેમના વિશેષ અર્થનું પ્રતિપાદન કરી શકતા નથી. પરંતુ આવા અર્થનું પ્રતિપાદન કરવા માટે જ્યારે વાક્યમાં તે સંબંધ પામે છે ત્યારે કૃષ્ણ અને તિલ વચ્ચેના ભેદને સ્પષ્ટ કરીને તેમને અંગે કઈ પણ પ્રકારની શંકા રહેવા દેતા નથી. બીજી રીતે કહીએ તો અગાઉ તેમની જાતિ, દ્રવ્ય અને ગુણ અંગે જે શંકા રહેતી હતી, તેમને તે દૂર કરે છે. કૃષ્ણ શબ્દ કાળા રંગરૂપી ગુણ અને તેની સાથે રહેલી તિલજાતિને બંધ કરાવે છે. અને તિલ શબ્દ તિલદ્રવ્ય, તિલજાતિ અને કૃષ્ણ ગુણનો બંધ કરાવે છે. વિરવળ વિશળ વહુ ! પા. સ. ૨.૧.૫૭ ઉપરનાં ભાષ્યવચનેને ઝળાતિરાનાलिबध्यमानो विशेषवचन संपद्यते। तथा तिलशब्द: कृष्णशब्देनाभिसंबध्यमानो विशेषवचनः ને હેલારાજે પોતાના વ્યાખ્યાનની પૂતિ રૂપે રજૂ કર્યા છે. द्रव्यात्मा गुणसंसर्गभेदादाश्रीयते पृथक् । . जातिसंबन्धभेदाच्च द्वितीय इव गृह्यते ॥१२॥ (તિલ) દ્રવ્ય, (કૃષ્ણ) ગુગ સાથેના સંસગરૂપી વિશિષ્ટતાને કારણે તેવું) જુદું સમજવામાં આવે છે. (તિલ7) જાતિ સાથેના સંબંધરૂપી વિશેષતાને લીધે જાણે બીજુ હોય એમ તે સ્વીકારાય છે. (૧૨) વા. ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy