SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ વાકયપદીય સમાધાન વાસ્તિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે વીર: પુઠT: માં પ્રતિપાદિકા ઉપરાંત જે વિશેષ અર્થ મળે છે તે, તે શબ્દના પરસપર સાનિધ્યને કારણે પ્રાપ્ત થતો વાકષાર્થ જ છે. विशेष्यं स्यादनितिं निर्मातार्थो विशेषणम् । परार्थत्वेन शेषत्वं सर्वेषामुपकारकम् ॥७॥ (દ્રવ્યરૂપ) વિશેષ જાણતું નથી અને ગુણ, ક્રિયા, વગેરે બરાબર જાણીતા અર્થો વિશેષણ છે. (ગુણ, ક્રિયારૂપી) બધાં પોતાના આશ્રય ઉપર ઉપકાર કરનારાં વિશેષણે બીજાને (અર્થાત વિશેષ્યને) અથે હેવાથી શેષરૂપે છે. (૭) વિશેષણ અને વિશેષ એવા શબ્દો અવર્થ છે. વિશેષણ ભેદક અર્થાત એક વિશેષ્યને બીજા વિશેષ્યથી જુદું દર્શાવનારું છે અને વિશેષ્ય વિશેષણ દ્વારા ભેદ્ય છે. વિશેષ્ય જે જ્ઞાપ્ય છે તે પ્રધાન છે અને વિશેષણ જે જ્ઞાપક છે તે અપ્રધાન છે દ્રવ્યને ક્રિયા સાથે સંબંધ બીજા કેઈની મદદ વિના થાય છે. પરંતુ ગુણનો ક્રિયા વગેરે સાથે સંબંધ બીજા દ્રવ્ય દ્વારા અર્થાત પરોક્ષ છે. આમ જ્ઞાયજ્ઞાપકભાવ અને ભેદભેદકભાવ ઉપરથી વિશેષ્યવિશેષણભાવ પ્રાપ્ત થાય છે. विभक्तिभेदो नियमाद् गुणगुण्यभिधायिनोः । सामानाधिकरण्यस्य प्रसिद्धिर्द्रव्यशब्दयोः ॥८॥ (ગૌણ) ગુણ અને પ્રધાન) ગુણનું અભિધાન કરનારા (શબ્દો)ની જુદી વિભક્તિ નિયત છે. સમાન વિભક્તિમાં હોય ત્યારે તે શબ્દ દ્રયના વાચક બને છે. (૮) વાઘ શુક8: એવા પ્રયોગમાં વહ્ય શબ્દ દ્રવ્યનું અભિધાન કરે છે. અને સુપર ગુણનું અભિધાન કરે છે. આ પદો વચ્ચે ગુણપ્રધાનભાવ શાબ્દિક છે, અહીં ગૌણ પદ વટહ્ય પ્રધાન પદ સુવ8: ના ઉપકાર માટે તૈયાર થયેલું હોઈ તેને ગૌણુપદની વિભક્તિ અર્થાત્ ષષ્ઠી વિભક્તિ પ્રાપ્ત થાય છે. પ્રધાનપદ શુર ૪ વરચના ઉપકાર માટે હાઈ તેને પ્રથમા લાગે છે. આમ બંને વચ્ચે વિભક્તિભેદ નિયત છે. સમાનાધિકરણ પદ વીરઃ પુરુષમાં બંને પદ દ્રવ્યશબ્દો છે. તેથી ત્યાં પ્રથમ પ્રાપ્ત થાય છે. द्रव्येऽनितिजातीये कृष्णशब्दः प्रयुज्यते । अनितिगुणे चैवं तिलशब्दः प्रवर्तते ॥९॥ કૂળ (કાળું) શબ્દ (કૃણત્વરૂપી) જાતિના જ્ઞાન વિનાના દ્રવ્યના અર્થમાં પ્રયોજાય છે, એ પ્રમાણે તિરા (તલ) શબ્દ તે (ગુણ)ને જ્ઞાન વિનાના દ્રવ્યના અર્થમાં વપરાય છે. (૯) કૂળતા: પ્રવેગમાં થઈ શબ્દ કૃષ્ણ ગુણ દ્વારા દ્રવ્યને બંધ કરાવે છે પરંતુ તે દ્રવ્ય (તલ)ની જાતિને બંધ કરાવતો નથી. બીજો શબ્દ ઉતા: દ્રવ્યવાચક છે. આ દ્રવ્યને બેધ તિલત્વ જાતિ દ્વારા થાય છે, પરંતુ તેના કૃષ્ણ ગુણનો બધ થતો નથી. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy