SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું કાંડ સ્વાર્થને જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ તરીકે સમજવામાં આવ્યો છે, શબ્દ સૌથી પહેલાં સ્વાર્થ દર્શાવે છે જે જાતિ, ગુણ, ક્રિયા અથવા સંબંધ હોઈ શકે. પા. સુ. કુરિતે . (૫.૩.૭૪, નિન્દાની વિવેક્ષા હોય ત્યારે પ્રાતિપાદિકને સ્વાર્થમાં પ્રત્યય લાગે છે) ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે : स्वार्थमभिधाय शब्दो निरपेक्षो द्रव्यमाह समवेतम् । समवेतस्य च वचने लिई वचन विभक्ति' च ॥ अभिधाय तान्विशेषान् अपेक्षमाणश्च कृत्स्नमात्मानम् । प्रियकुत्सनादिषु पुनः प्रवर्ततेऽसौ विभक्त्यन्तः ॥ શબ્દ બીજા કશાની અપેક્ષા રાખ્યા વિના, સૌથી પહેલાં, પોતાના અર્થનું અર્થાત સ્વરૂપ, જાતિ, ગુણ, ક્રિયા અથવા સંબંધનું અભિધાન કરે છે. (શબ્દ) ત્યારબાદ આ સ્વાર્થ જેમાં રહેલો છે એવા કથનું અભિધાન કરે છે. અને તે દ્રવ્યનાં લિંગ, વચન અને વિભક્તિનું અભિધાન કરે છે, ત્યારબાદ તે વિભકત્યન્ત શબ્દ પિતાનું સ્વરૂપ પૂર્ણ પણે જાહેર કરીને, નિન્દા, પ્રશંસ, અને પ્રકઈ રૂપી બાહ્ય અર્થો સાથે સંબંધ પામે છે. સક્ષેપમાં, સ્વાર્થનું અભિધાન કરનાર વિભઢ્યન્ત પદને જ નિન્દા, પ્રશંસા અને પ્રાર્થના પ્રય, જેવા કે અથવા ન લાગે છે. देवदत्तादिकुत्सायां वर्तते कुत्सितश्रुतिः । कुत्सितस्था तु या कुत्सा तदर्थः को विधीयते ॥२॥ દેવદત્ત વગેરેની નિન્દા દર્શાવવા માટે કુત્સિત શબ્દ વાપરવામાં આવે છે. કુત્સિત શબ્દમાં રહેલી જે નિન્દા, તેને દર્શાવવા માટે પ્રત્યયનું વિધાન થયું છે.(૨) લિત: aad: I (દેવદત્ત નિત્વ છે) એવા પ્રયોગમાં ઉત્સા અર્થાત નિન્દાનો અર્થ દર્શાવવા માટે દેવદત્ત શબ્દની સાથે કસિત શબ્દ વાપરવામાં આવે છે. લિંગ, સંખ્યા, વગેરે ઉપાધિવાળા દ્રવ્યનું અભિધાન કરનારા દેવદત્ત રૂપી પ્રાતિ પદિક સાથે આ કુત્સિત શબ્દ વપરાય છે. વરસત કે અનુતિ શબ્દ પિતે જ નિન્દા અને અનુકશ્માનો ભાવ દર્શાવે છે તો પછી સિત, મનુવિતા: જેવા પ્રયોગ કેવી રીતે સમજી શકાશે ? આવા પ્રયોગોમાં પ્રત્યય તિલત શબ્દ સાથે જોડાતાં પ્રત્યયાર્થ કલ્લા અથાત નિન્દાનું અભિધાન કરશે. તિલત: શબ્દ દર્શાવે છે કે કેઈકને ખોટી રીતે નિશ્વ ગ છે અથવા નિઘ હોવાથી તે નિદાને પાત્ર છે; અર્થાત નિન્દાના ભાવ પ્રત્યેની નિન્દા વ પ્રત્યય દર્શાવશે. હેલારાજ આ કુસાને બાહ્ય કુત્સા કહે છે. તેમના જણાવવા પ્રમાણે કૃતિ: માં કુત્સાનો અર્થ પ્રાતિ પદિક વડે વાચ બને છે. ગુજરાતમાં બાહ્ય કુત્સાનો અર્થ % પ્રત્યય વડે દર્શાવાય છે. प्रकृष्ट इति शुक्लादिप्रकर्षस्याभिधायकः । प्रकृष्टस्य प्रकर्षे तु तरबादिविधीयते ॥३॥ પ્રકૃષ્ટ શબ્દ, સફેદ વગેરે ગુણેમાં રહેલ પ્રકર્ષનું અભિધાન કરે છે. પ્રકૃષ્ટને પ્રકમાં દર્શાવવા માટે તાડૂ વગેરે (પ્રત્યયો) લગાડવામાં આવે છે. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy