________________
१४ वृत्तिसमुद्देशः
વૃત્તિસમુદેશ
कुत्साप्रशंसातिशयः समासार्थं तु युज्यते ।
पदं स्वार्थादयः सर्वे यस्मात् कुत्सादिहेतवः ॥१॥ પરિપૂર્ણ અવાળા પદને જ નિદા, પ્રશંસા અને પ્રકર્ષને દર્શાવતા પ્રત્ય સાથે જવામાં આવે છે. કારણ કે (પદના) પિતાના બધા અર્થો નિન્દા વગેરેના કારણ રૂપે હોય છે. ()
પદકાંડને કદમાં સૌથી મટે ૬૨૫ કારિકાઓવાળે વિભાગ વૃતિસમુદેશ, હવે શરૂ થાય છે. અત્યાર સુધીમાં અસમસ્ત અથોત એકલા પદન
અસમસ્ત અર્થાત એકલા પદના અર્થો જેવા કે દ્રવ્ય, કાલ. લિંગ. સંખ્યા, ઉપગ્રહ વગેરે વિષે ચર્ચા કરવામાં આવી. હવે સમસ્ત પદ અર્થાત વૃત્તિગત અર્થોને વિચાર કરવામાં આવે છે.
વૃત્તિને કૃદન્ત, તદ્ધિતાત, સમાસ, એકશેષ અને ધાતુ એમ પાંચ પ્રકારે સમજવામાં આવે છે. આ વિભાગમાં આ બધાની ક્રમબદ્ધ, વ્યવસ્થિત અને બધા મુદ્દાઓને આવરી લેતી ચર્ચા ભતૃહરિએ કરી નથી. પાંચ પ્રકારની વૃત્તિઓ અંગે વાર્તિકકાર અને ભાગ્યકારના વચનાનો પાખ્યાન રૂપે ભતૃહરિએ કારિકાઓ દ્વારા પોતાના વિચારોને રજૂ કર્યો છે. તેમાં વિષયના સંદર્ભ માં એકસૂત્રતા કે ક્રમબદ્ધ રજુઆત નથી, પરંતુ પ્રકીર્ણ મુદ્દાઓનું અર્થધટન છે; સમગ્ર વિભાગ વાર્તિક અને ભાષ્યમાંનાં તે તે સ્થળેની ચર્ચાના નિષ્કર્ષ રૂપે છે એમ પણ નથી; પરંતુ તે ચર્ચાના કેટલાક મુદ્દાઓને પસંદ કરીને તેમને વિષે વિગતથી વિચાર કરવામાં આવ્યું છે. શરૂઆતમાં સમાનાધિકરણ પદવાળી તદ્ધિત વૃત્તિને વિચાર કરવામાં આવ્યો છે.
પ્રાતિપાદિક રૂપે રહેલ શબ્દ હંમેશાં પાંચ અર્થો -સ્વાથ, દ્રવ્ય લિંગ, સંખ્યા અને કર્મ દર્શાવે છે. આ અંગે કેટલાક મતભેદો છે અને તેમને વિષે પ્રાચીન સમયથી સૂક્ષ્મ ચર્ચા પ્રચલિત છે. કેટલાક વૈયાકરણે શબ્દના સ્વાથ, દ્રવ્ય અને લિંગ એવા ત્રણ અર્થો છે એમ જાહેર કરે છે. પહેલા મતને વશ્વ વિદિશા કહે છે. બીજા મતને ત્રિ: કાતિવાિર્થ: મત કહે છે. વાદ: ઘાતિ વિર્થઃ પક્ષમાં સ્વાર્થ, દ્રવ્ય, લિંગ અને કમ એવા ચાર અર્થે મળે છે. ત્રિક પક્ષ કાશિકાકાર અને તેમના બે ટીકાકાર, જિનેન્દ્રબુદ્ધિ અને હરદત્તને માન્ય હતો. સામાન્ય રીતે વૈયાકરણે ત્રણેય પક્ષોને સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org