________________
ત્રીજુ કાંડ
नावश्यं विषयत्वेन निमित्त व्यवतिष्ठते ।
इन्द्रियादि यथादृष्टं भेदहेतुस्तदिष्यते ॥३१।। ઈન્દ્રિયો વગેરે અદષ્ટ હોવા છતાં પદાર્થોને જુદી રીતે સમજવા માટે (એ) કારણરૂપ બને છે. બીજાને સમજવામાં નિમિત્ત બનનાર પદાર્થ પોતે જ્ઞાનનો વિષય બનતો નથી. (૩૧)
નેત્ર વગેરે ઇન્દ્રિો દનને વિષય બનતી નથી. પરંતુ પદાર્થોને નીરખવા માટે અને તેમને જુદા જુદા સમજવા માટે તે જવાબદાર છે. કોઈ નિમિત્તનું બાહ્ય રૂપે દર્શન થતું ન હોય છતાં ફલના આવિકાર માટે તે ઉપયોગી બને છે. આ વાત લિંગને પણ લાગુ પડે છે. પદાર્થોમાં લિંગ દેખાતું ન હોય છતાં ચોક્કસ લિંગવિશિષ્ટ પદાર્થોને સાધુત્વને માટે તે ઉપયોગી અને જવાબદાર છે.
હેલારાજ જણાવે છે કે લિંગ વિષે આવા અનેક મતો ભર્તુહરિએ સ્પષ્ટ ર્યા છે. આ બધામાંથી, મહાભાષ્યમાં પ્રાપ્ત થતો અને ભહરિએ સ્વીકારેલ સત્ત્વાદિ ગુણોની અવસ્થા અંગેનો મત વૈયાકરણ સંપ્રદાયમાં સ્વીકાર્ય બને છે. લિંગ અંગેની સમગ્ર ચર્ચા હેલારાજે પોતાના એક ગ્રંથ વાર્તિકેમેષમાં વિસ્તારથી રજુ કરી છે. કમનસીબે આ ગ્રંથ પ્રાપ્ય નથી.
|| રુતિ સ્ટિલસમુદેશી આ પ્રમાણે લિંગસમુદેશ પૂરે થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org