________________
જપ
વા૫રીય
दृष्ट निमित्त केषाञ्चिज्जात्यादिवदवस्थितम् ।
दृष्टवच्छब्दसंस्कारमात्रं तु परिकल्पितम् ॥२८॥ કેટલાક (પદાર્થોમાં)માં (લિંગનું) ચિહ્ન, (પદાર્થોની) જાતિ વગેરેની જેમ, પ્રત્યક્ષ હાજર હોય છે. (બીજા પદાર્થોમાં), જાણે તે (લિંગચિહ્ન) દેખાતું હોય તેમ, આરોપવામાં આવે છે અને માત્ર શોના (સાધુત્ર માટેના સંસકાર રૂપે કઃપવામાં આવે છે. (૨૮)
લિંગ અંગે ગણવેલા સાત મતામાંથી શaોવાનિતોડમા એવા મતની અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે.
મનુષ્યોમાં અને પશુઓમાં લિંગનાં ચિહ્નો સ્પષ્ટ દેખાઈ આવે છે. આવાં ચિહ્નો તે તે વ્યક્તિઓ અથવા જીવંત પદાર્થોના લિંગને નક્કી કરવા માટે જવાબદાર હોય છે. જ્યાં લિંગનાં નિમિત્ત દેખાઈ આવતાં ન હોય ત્યાં, તેવાં નિમિત્તોને આરોપ કરવામાં આવે છે. આ આરોપ શબ્દના સાધુત્વ-અસાધુત્વરૂપી સંસ્કારને જાણવા માટે હોય છે.
यथा प्रसिद्धेऽप्येकत्वे नानात्वाभिनिवेशिनः ।
नानात्वं जनयन्तीव शब्दा लिङ्गेऽपि स क्रमः ॥२९।। જ્યાં એકવચન જાણીતું હોય ત્યાં પણ બહુવચનના વપરાશવાળા શબ્દ બહુવચન(ને ભાવ) ઉત્પન્ન કરે છે. લિંગ અંગે પણ આવી જ વ્યવસ્થા છે. (૨૯) - પાણી, સ્ત્રી, રેતી, વર્ષાઋતુ, પ્રાણુ વગેરે શબ્દોમાં એકત્વને જ નિશ્ચય હોય છે, પરંતુ આ શબ્દો અર્થાત્ સાપ, તારા, સિક્રતા, વર્ષ અને પ્રાણાઃ બહુવચનના વપરાશવાળા છે, તેથી તે બહુવચનને ભાવ ઉત્પન્ન કરે છે. પરમાર્થપણે તેમનામાં બહુવચનનો અર્થ નથી. તે પ્રમાણે તારા, નક્ષત્રમ્, પુર: વગેરેમાં, વાસ્તવમાં લિંગભેદ નથી. લિંગભેદનાં નિમિત્તો પણ દેખાતાં નથી, પરંતુ તેમના આવા ભિન્ન લિંગના વપરાશને લીધે શબ્દવ્યવહારમાં તે શબ્દો તેવા જુદા જુદા લિંગવાળા પ્રાપ્ત થાય છે.
इदं वेयमयं वेति शब्दसंस्कारमात्रकम् ।
निमित्तदर्शनादर्थे कैश्चित्सर्वत्र वर्ण्यते ॥३०॥ ફરજૂ, રૂચ, કચમ (એવાં જુદાં જુદાં લિંગે) માત્ર શબ્દના સંસ્કાર માટે છે. અર્થમાં આવા કેઈક નિમિત્તને નિહાળીને, કેટલાક (આચાર્યો) લિંગને, સર્વત્ર, માત્ર શબ્દસંસ્કાર રૂપે સમજાવે છે. (૩૦)
$á વસ્તુ, શું કચત્તિ: , અને માં અર્થ: એવા પ્રયોગોમાં ત્રણે લિંગ માત્ર શબ્દસંસ્કાર માટે છે. બાહ્ય અર્થમાં આવા શબ્દસંસ્કારરૂપ નિમિત્તને જોઈને કેટલાક આચાર્યોએ બધે લિંગને એ પ્રમાણે સમજાવ્યું છે. આ કારિકામાં શાકઢંકાર છૂટ્યા . એવા લિંગ અંગેના સાતમા મતને સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org