SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કાંડ પરંતુ વૈયાકરણમતમાં લિંગ વસ્તુધર્મ નહિ પરંતુ વસ્તુનું અભિધાન કરનાર શબ્દને ધર્મ મનાય છે. પુષ્યઃ, તારા, નક્ષત્રમ એમાં વસ્તુ એક જ છે, છતાં લિંગભેદ છે, કારણ કે એક જ પદાર્થને જણાવનારા શબ્દો ત્રણ લિંગમાં વપરાયા છે. તેથી એમ કહી શકાય , यत्र शब्दान्यत्व तत्र लिङ्ग त्रयम् । हिमारण्ये महत्त्वेन युक्त स्त्रीत्वमवस्थितम् । हस्वोपाधिविशिष्टायाः कुट्याः प्रसवयोगिता ॥२५।। હિમ અને અરણ્ય જ્યારે મહત સાથે જોડાય ત્યારે તેને સ્ત્રીત્વ પ્રાપ્ત થાય છે; હસ્વ એવા વિશેષ અથથી જોડાતા કુટી(શબ્દ)ને પુલિંગ સાથે સંબંધ થાય છે. (૨૫) દિમ શબ્દનો સંબંધ મદત સાથે થાય ત્યારે તેને સ્ત્રીલિંગ થાય છે, જેમ કે માન એ પ્રમાણે મદૃઢ કરવું એવો અર્થ દર્શાવતા મરણાનિ શબ્દને પણ સ્ત્રીત્વ પ્રાપ્ત થાય છે યુરી (ધર) શબ્દ સ્ત્રીલિંગ છે, પરંતુ નાનું ઘર એવા અર્થવાળા બુટી શબ્દને બદલે કુટીર એ પુલિંગ શબ સમજવામાં આવે છે. शब्दान्तराणां भिन्नेऽर्थे उपायाः प्रतिपत्तये । एकतामिव निश्चित्य लध्वर्थमुपदर्शिताः ॥२६॥ અર્થો જ્યારે જુદા હોય ત્યારે શબ્દો પણ જુદા જુદા હોય છે. (પરંતુ) તે (શબ્દો) એક જ છે એમ માનીને, લાધવને માટે, તેમની એકતાની કલપના કરીને તેમને જણાવવાના ઉપાયો જવામાં આવે છે. (૨૬) દિલ અને દિમાની, કરી અને કુટીર, શમી અને શમીર, તથા સુત્તા અને સુકાર એવા શબ્દો વાસ્તવમાં સરખા નથી. અર્થો જુદા હોય તે શબ્દોને પણ જુદા જ સમજવા પડે, પરંતુ વ્યાકરણશાસ્ત્રમાં લાધવથી તેમને સરળ ઉપદેશ થઈ શકે એટલા માટે તે શબ્દ એક જ છે, એવી કલ્પના કરવામાં આવી છે. આવી કલ્પના શબ્દો અને તેમના અર્થોને જાણવાના ઉપાયરૂપે છે. ઉત્પત્તિ: કવોડજેવાં નારા સંસ્થાનમિાકિ .. आत्मरूपं तु भावानां स्थितिरित्यपदिश्यते ॥२७॥ બીજા કેટલાકના મતમાં ઉત્પત્તિ પ્રસવ છે, નાશ સંસ્થાન છે, અને પદાર્થો ના સ્વાભાવિક સ્વરૂપને સ્થિતિ કહેવામાં આવે છે. (૨૭) અત્યાર સુધી સાંખ્ય દશનને આશ્રય કરીને સંત્યાન, પ્રસવ વગેરેને સમજાવવામાં આવ્યાં. હવે આ સંત્યાન વગેરેને વશેષિક સિદ્ધાન્તના અનુલક્ષામાં સમજાવવામાં આવે છે. વૈશેષિક મતમાં પ્રસવ એટલે જન્મ અર્થાત્ ઉત્પત્તિની પહેલાં જેનું અસ્તિત્વ ન હતું તેવા અવયવીનો જન્મ. આને પુર્વ કહેવાય છે. સાંખ્ય દર્શનમાં તેને આવિર્ભાવ કહે છે. એ પ્રમાણે સંસ્થાન એટલે અપચય અથવા વિનાશ. સાંખ્ય દર્શનમાં તેને તિરાભાવ કહે છે. નિત્ય અને અનિત્ય તરોનું પોતાનું સ્વાભાવિક રૂપ, તેને રિથતિ કહે છે. વા-૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy