SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય ચોક્કસ સ્વર પ્રમાણે ઉચ્ચારાતા શબ્દોને ચોક્કસ અર્થ હોય છે. સ્વરને ફેરફાર શબ્દને અસાધુ ઠરાવતો નથી, પરંતુ તે શબ્દ બીજા અર્થમાં શુદ્ધ મનાય છે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે. લિંગ અંગે પણ આવી જ સ્થિતિ છે. શિષ્ટાનો વપરાશ ઉપરથી જાણીતા લિંગવાળા શબ્દો અમુક અર્થ દર્શાવે છે. એ શબ્દ જે બીજા લિંગમાં પ્રાપ્ત થતા હોય તેમ બીજો અર્થ દર્શાવશે. અક્ષ (ધરી) શબ્દ આવ્રુદાત્ત છે, પરંતુ તેને સ્વર બદલાતાં અર્થાત અન્તાદાત્ત થતાં પક્ષનો અર્થ પાસા થશે. નપુંસકલિંગમાં વપરાતો મર્ધ૬ શબ્દ સરખે અર્ધો ભાગ એવો અર્થ દર્શાવે છે, પરંતુ, પુલિંગમાં વપરાતે મર્ધ શબ્દ એક ભાગ એવો અથ દર્શાવે છે. प्रयोगो विप्रयोगश्च लोके यत्रोपलभ्यते । શાસ્ત્રમાં તે તત્ર ન બચોવિપર્ધચે ૨ રૂા. લોકમાં જ્યાં શુદ્ધ પ્રવેગ અને અશુદ્ધ પ્રયોગ પ્રાપ્ત થતા હોય ત્યાં શાસ્ત્રનિયમ રજૂ થાય છે, અશુદ્ધ પ્રાગ ન હોય ત્યાં નહિ. (૨૩) ગલિળી ને નીચે છે (મારાં બે નેત્ર સુન્દર છે.), વાવો કુમારતો (મારા બે પગ અત્યંત કમળ છે) એવા શુદ્ધ પ્રયોગોને બદલે ક્ષોભ નીયાનિ ! અને વાહા સુનારતર : એવા અશબ્દ પ્રયોગ જોવા મળે છે. આવા અશુદ્ધ પ્રાગાની નિવૃત્તિ માટે વ્યાકરણશાસ્ત્રમાં વહુ9 ટુવચનમ્ ! (પા સુ.૧.૪.૨૧, ઘણી વસ્તુઓ માટે બહુવચન વપરાય છે) જેવાં નિયમવચને રચવામાં આવ્યાં છે. જ્યાં અશુદ્ધ પ્રયોગ પ્રાપ્ત થતા ન હોય ત્યાં શાસ્ત્રના નિયમોની કશી જરૂર નથી. પાણિનિનાં તે વાઘાતો : (પા.સુ.૧.૪.૮૦, ગતિ અને ઉપસર્ગને ધાતુની પહેલાં જવા) અને ૩પસર્ગને પૂર્વમ્ (પા.સૂ ૨.૨.૩૦, ગૌણ પદ પહેલું મૂકાય છે) સુત્રોનું વાર્તિકકારે વાનિદૃારનાઢ (અયોગ્ય પ્રયોગો મળતા ન હોવાથી આવા નિયમ કરવાની જરૂર નથી) એવા શબ્દોથી પ્રત્યાખ્યાન કર્યું છે. વ્યવહારમાં પ્રવતિ ને બદલે પ્રવતિ એ પ્રયોગ કે ગgs: ૫ ને બદલે પુરુષન: ! એ પ્રયોગ મળતો નથી. उपाधिभेदादथेषु गुणधर्मस्य कस्यचित् । निमित्तभावः साधुत्वे विवक्षा च व्यवस्थिता ॥२४॥ પદાર્થોમાં તેમનાં વિશિષ્ટ લક્ષણને કારણે (સત્ત્વાદિ) ગુણમાં કઈ એક ધર્મ, (શબ્દના) લિંગના સાધુત્વનું નિમિત્ત અને વિવક્ષાનો વિષય બને છે. (૨૪) સત્ત્વાદિ ગુણેથી પ્રાપ્ત થતા રૂપાદિ ધર્મો લિંગ માટે જવાબદાર બને છે. સામ્યાવસ્થામાં રહેલા સત્તાદિ ગુણો સમ હાઈને, લોકવ્યવહારમાં પ્રાપ્ત થતા નથી. તેથી તેમના પરિણામરૂપ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગધ વગેરેની આવિર્ભાવ અને તિરાભાવ રૂપ અવસ્થાઓ સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ એવા લિંગભેદ માટે જવાબદાર બને છે. આવું લિંગ શબ્દમાં નિયત હોય છે. આ વિચાર પ્રમાણે લિંગ વસ્તુપમ થયો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy