SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ રજુ કાંઠ ૪૪૭ વિશેષ રૂપે દર્શન થાય છે. આવું વિશેષ દર્શન અને તે પ્રમાણે નક્કી થતો તે શબ્દનો ચેકસ લિંગમાં વપરાશ, વિવક્ષાને અધીન છે. વ્યાકરણના નિયમો આખરે તે શબ્દના વપરાશ માટેની વિવક્ષાને આધારે રચાય છે. सन्निधाने निमित्तानां किञ्चिदेव प्रवर्तकम् । यथा तक्षादिशब्दानां लिङ्गेषु नियमस्तथा ॥२०॥ જેમ તક્ષા (સુથાર) વગેરે શબ્દમાં રહેલ અનેક લિંગધર્મોમાંથી એક ધમ (જ) તે શબ્દના લિંગને નક્કી કરે છે તેમ, શબ્દમાં લિંગના નિમિત્તો રૂપે રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મ)જ તેમના લિંગનો વાચક બને છે. (૨૦) શબ્દોના અર્થોના વાચક અનેક હેતુઓ હોય છે. પરંતુ એવાં અનેક નિમિત્તોમાંથી એક નિમિત્ત શબ્દના ચોક્કસ પ્રકારના વપરાશનું નિમિત્ત બને છે. તલા એટલે સુથાર, લાકડાં કાપે છે, તેમને માપે છે, છોલે છે, તેમાંથી અનેક આકૃતિઓ બનાવે છે તો તજ્ઞ અર્થાત્ છેલવું એવા એક જ નિમિત્તને લીધે સુથારને તક્ષા કહેવાય છે, સુભદ્વાર અર્થાત્ કુંભાર માટી લાવે છે. તેને સાફ કરે છે, પણ લાવે છે, એવાં અનેક કાર્યો કરે છે, પરંતુ ઘડે બનાવવારૂપી કાર્યના નિમિત્તને લીધે જ તેને કુંભકાર કહેવાય છે. તે પ્રમાણે કોઈપણ વસ્તુમાં ત્રણ લિંગધર્મો રહેલા હોવા છતાં, વિવક્ષાના નિયમથી પ્રાપ્ત થતા વપરાશમાં એક જ લિંગ તે શબ્દના ચોક્કસ લિંગ માટે કારણભૂત બને છે. માવતરૂદશઃ શિષ્ટ શાથેg સચવસ્થિતઃ | यद्यद् धमे ऽङ्गतामेति लिङ्ग तत्तत्प्रचक्षते ॥२१॥ પદાથના તરવને સમજનારા અને શબ્દોના અર્થોના ચોક્કસ જ્ઞાનવાળા શિટે, ધર્મના જ્ઞાનરૂપે જે લિંગ પ્રાપ્ત થતું હોય તેને જ લિંગ તરીકે જાહેર કરે છે. (૨૧) ત્રિયા ! (પા.સ. ૪.૧૩) સૂત્ર ઉપરના ભાગ્યમાં પ્રાપ્ત થતા કવાર્તિક ૭ના વચન તાત ઢાઢતો નામ I (ભાષામાં પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગની વ્યવસ્થા લૌકિક પ્રગ ઉપરથી સમજવી)માંના શ્રેષ્ઠ શબ્દને અર્થ ભર્તુહરિશિષ્ટ કરે છે. આવા શિષ્યોને પદાર્થોના પરમાર્થને સાક્ષાત્કાર થતો હોવાથી, શબ્દાર્થોમાં સ્ત્રીલિંગ વગેરે લિંગમાંથી જે લિંગ ધર્મસાધનરૂપ બને તે લિંગને જ પોતાના વપરાશ દ્વારા પ્રસિદ્ધિ આપે છે. તેથી અહીં વિવક્ષાને શિષ્ટોના પ્રયોગ ઉપરથી પ્રાપ્ત થતી (પ્રાકૃત્રી) સમજવાની છે, સામાન્ય લેકવ્યવહાર ઉપરથી પ્રાપ્ત થનારી (લૌકિકી, છારૂપ) નહિ. स्वरभेदाद् यथा शब्दाः साधवो विषयान्तरे । लिङ्गभेदात् तथा सिद्धात्साधुत्वमनुगम्यते ॥२२॥ જેમ સ્વરના ફેરફારને કારણે, શબ્દો બીજા (અર્થ)વિષયે દર્શાવવામાં (વ્યાકરણદષ્ટિએ) શુદ્ધ મનાય છે, તેમ શિષ્ટ પ્રગથી સિદ્ધ થયેલા નિશ્ચિત લિંગને કારણે (શબ્દના) સાધુત્વનું જ્ઞાન થાય છે. (૨૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy