SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય કરીએ તો ઉપચય ની અનેક ક્ષણેને જયારે એક સળંગ ક્ષણ સમજવામાં આવે ત્યારે આ એકરૂપતાને સ્થિતિ કહે છે, એ પ્રમાણે અપચયની અનેક ક્ષણોને એક ક્ષણ સમજવામાં આવે ત્યારે તે ક્ષણેની એકરૂપતાને સ્થિતિ કહે છે. (૨) ઉપચય અને અપચય એવી બે અવસ્થાએ પદાર્થોના અવસ્થાભેદની અથવા અવસ્થાને ફેરફારની દશા દર્શાવે છે. આ અવસ્થાભેદ વચ્ચેની જે સામ્યરૂપ અવસ્થા તેને સ્થિતિ કહે છે. (૩) ઉપચય અને અપચય એવા ફેરફારની નિરંતર સ્થિતિ હમેશાં ચાલુ રહેતી હોવાથી કેઈપણ એક અવસ્થા પૂર્ણપણે રહેતી નથી. આવી અવસ્થાવિશેષની અપૂર્ણ સ્થિતિને સ્થિતિ કહે છે. સ્થિતિને આવી રીતે સમજાવતાં હેલારાજ જણાવે છે કે તવં સતતરિણામનાં गुणानामध्यवसायवशेन स्वभावैश्य साम्य तिरोभावापर्यवसान चेति प्रकारत्रयेण स्थितिरिह निरूपिता । गुणा इत्येव बुद्धेर्वा निमित्तत्वं स्थितिर्मता । स्थितेश्च सर्वलिङ्गानां सर्वनामत्वमुच्यते ॥१८॥ (અથવા ગુણે અંગે એ) ગુણો છે એવી સમજણન નિમિત્તને સ્થિતિ કહેવામાં આવી છે, અને બધાં લિંગમાં (સમાનપણે) રહેલા લિંગવાચકને સ્થિતિ કહે છે. (૧૮) સત્વ, રજસ, તમસ , એવા ગુણેની અવસ્થાઓ હંમેશાં બદલાતી રહે છે. બદલાતી અવસ્થાઓવાળા ગુમાં સામ્ય સમજવાના કારણરૂપે બીજું કશું નથી, પરંતુ સ્થિતિ અર્થાત નપુંસકલિંગ છે. સ્ત્રીલિંગ અને પુલિંગમાં પણ તે સામ્યવસ્થારૂપે રહેલ છે. જ્યારે કોઈ લિંગવિશેષનો બંધ થતો ન હોય ત્યારે આપણે તેને સ્થિતિ અથવા નપુંસકલિંગ સમજીએ છીએ. ગુણોનું સામાન્ય ગુણરૂપ એટલે સ્થિતિ. આવા ગુણસામાન્યમાં બધા ગુણેને અનભવ થાય છે. તેથી આવિર્ભાવ અને તિરાભાવનો ખ્યાલ પણ આવા ગુણસામાન્ય ઉપરથી આવે છે. પરિણામે સ્ત્રી, પુત્વ વગેરે જુદાં જુદાં લિંગને માટે પણ સ્થિતિ અર્થાત્ નપુસકલિંગ વાપરી શકાશે. લિંગાનાં બધાં નામોમાં નપુંસકલિંગને વ્યવહાર કરી શકાય. स्थितेषु सर्वलिड्-गेषु विवक्षानियमाश्रयः । कस्य चिच्छब्दसंस्कारे व्यापारः क्वचिदिष्यते ॥१९॥ (બધા શબ્દોમાં) બધાં લિંગો છે એવી સ્થિતિમાં, કઈક શબ્દના શુદ્ધ વપરાશમાં વિવક્ષાના નિયમ પ્રમાણે વિંગગ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. (૧૯) બધા પદાર્થોમાં સત્ત્વ, રજસ અને તમસ રૂપી ત્રણ ગુણ હોવા છતાં, જનસમુદાયની કેઈ એક શબ્દને કેાઈક ચક્કસ લિંગમાં વાપરવાની વિવક્ષા તે શબ્દ માટે લિંગ નક્કી કરે છે. તે તે શબ્દમાં આવિર્ભાવ, તિરભાવ અને સામ્યમાંથી કઈ એક અવસ્થાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy