________________
૪૪૪
વાકયપદીય વૃક્ષ:, વિદ્યા વગેરેમાં લિંગની સિદ્ધિ પ્રમાણથી સમજાતી હોય તો શબ્દ ઉપરથી તેને અંગે અનુમાન કરવું વ્યર્થ છે, અને જે આવી કિંગસિદ્ધિ થતી ન હોય તે ટાપૂ વગેરે પ્રયોના ઉપાદાનના નિમિત્ત તરીકે હા વગેરે શબ્દોને સ્વીકારવા એ અપ્રમાણ અને તેથી અગ્ય છે. આમ આ બાબત અન્યોન્ય સંશ્રય અર્થાત્ ઈતરેરાશ્રય દોષથી દૂષિત બને છે. માટે લિંગનાં લેકવ્યવહારમાં પ્રસિદ્ધ લક્ષણોને બાજુએ મૂકીને વયાકરણાએ લિંગ અને પિતાની વ્યાખ્યા રજૂ કરવી જોઈએ. (ન રાધ તૈયારબૈઃ શ્રૌધિ છિન્નમાલ્યાતુમાં અવશ્ય ચિ૯ઢતાત માથેરા: I-મહાભાષ્ય)
વૈયાકરણોની લિંગ વિશેની વ્યાખ્યા રજૂ કરતાં પતંજલિ જણાવે છે કે પિતાના સિદ્ધાના સંદર્ભમાં સંસ્થાન અને પ્રસવને લિંગ અંગે સ્વીકારવાં જોઈએ. હવે આ સંત્યાન અને પ્રસવ શું છે તે અંગે સ્પષ્ટતા કરતાં, હેલારાજ સંગ્રહકાર વ્યડિના એક ગદ્ય ફકરાને, રજૂ કરે છે. સ્ત્રીત્વ એટલે અપચય, ક્ષીણતા, તમોનિવૃત્તિ, અશક્તિ, નિષ્ક્રિયતા, પ્રવૃત્તિને પ્રતિબંધ, અને તિરોભાવ: પુત્વ એટલે પુષ્ટતા, સર્વભાવ, વૃદ્ધિશક્તિ, વૃત્તિલાભ, ઉત્સાહ, પ્રવૃત્તિ અને આવિર્ભાવ, વિવેક્ષા ન હોય તે તે કારણથી પ્રાપ્ત થતું સામ્ય, સ્થિતિ, સુનિવૃત્તિ, અપદાર્થત્વ અંગાંગિભાવનિવૃત્તિ અને કેવલ્ય એટલે નપુંસક.
(तथाहि संग्रहकारः पठति। संस्त्यानं संहनन तमोनिवृत्तिरशक्तिरुपरतिः प्रवृत्तिप्रतिबन्धस्तिरोभावः स्त्रीत्वम् । प्रसवो विष्वग्भावो वृद्धिशक्तिवत्तिलाभोऽभ्युदेकः प्रवृत्तिराविर्भावः इति पुंस्त्वम् । अविवक्षातः साम्यं स्थितिरौत्सुक्यनिवृत्तिरपरार्थत्वमङ्गाङ्गिभावनिवृत्तिः कैवल्यमिति नपुंसकम् । )
आविर्भावस्तिरोभावस्थितिश्चेत्यनपायिनः ।
धर्मा मूर्तिषु सर्वासु लिङ्गत्वेनानुदर्शिताः । १३।। બધા પદાર્થોમાં આવિર્ભાવ, તિભાવ અને સ્થિતિ એવા અવિનાશી ધર્મો રહેલા છે. (આ ધર્મોને) લિંગરૂપે સમજવામાં આવ્યા છે. (૧૩) - सर्वमृात्मभूतानां शब्दादीनां गुणे गुणे ।
त्रयः सत्त्वादिधर्मास्ते सर्वत्र समवस्थिताः ॥१४॥ બધા પદાર્થોમાં તેમના તવરૂપે રહેલા શબ્દ, (સ્પશ) વગેરે દરેક ગુણમાં, સત્વ, વગેરે ત્રણ ધર્મો સર્વત્ર રહેલા છે. (૧૪).
ભાષ્યકાર જણાવે છે કે જગતમાં સઘળા પદાર્થો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધવાળા હોય છે. તેમાંથી રસ અને ગંધને બાદ કરતાં શબ્દ, સ્પર્શ, અને રૂપ સર્વત્ર રહેલાં છે. (સર્વાશ્વ પુનર્તય ઇવમરિમા શારદારસાંધવચઃ ) આ શબ્દ વગેરે, સત્વ, રજસ્ તમસ એવાં લક્ષણાવાળા ગુગે હોવાથી દરેક ગુણમાં તેમની હાજરી હોય છે.
પ્રકાશ, પ્રસવ અને આવિર્ભાવ, સત્ત્વગુણના ધર્મો છે, પ્રવૃત્તિ અને ક્રિયા રજના ધર્મો છે. આ પ્રમાણે ત્રણેય લિંગને ત્રણ ગુણો સાથે સર્વત્ર સંબંધ જ ણાવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org