SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ બાહ્ય અસ્તિત્વ પ્રમાણસિદ્ધ ન હોવાથી અને તેથી તેમને અંગે ચક્કસ લિંગનો નિર્દેશ કરી શકાતો ન હોવા છતાં જેમ સ્ત્રીતા, વીવ, સ્ત્રીમાવ: માં લિંગનો એક્કસ નિશ છે તેમ તેમનામાં લિંગભેદની કલ્પના કરવામાં આવે છે. व्यक्तेषु व्यक्तरूपाणां स्तनादीनां तु दर्शनात् । अव्यक्तव्यञ्जनाव्यक्तेर्जातिर्न परिकल्प्यते ॥१०॥ ચેતન પદાર્થોમાં સ્પષ્ટ દેખાતાં સ્તન વગેરે (લિંગચિહ્નો)ને જોઈને, આવા ચિહ્નો વિનાના પદાર્થોમાં લિંદજાતિની કલ્પના કરવી જોઈએ નહિ. (૧૦) જીવંત પદાર્થોમાં લિંગચિહ્નો જેવાં કે સ્તન, કેશ વગેરે, સામાન્ય રીતે દેખાય છે અને તેમના ઉપરથી તેમની જાતિ નક્કી થાય છે. યુવા જેવા અચેતન પદાર્થોમાં આવાં લિંગચિહ્નો દેખાતાં નથી. તેથી તેમના અસ્તિત્વ અંગે કહપના થઈ શકતી નથી. હેલારા જણાવે છે કે પ્રમાણથી જેની પ્રતીતિ થાય તેની જ સ્થાપના થઈ શકે. સૂર્યની ગતિ અન્ય સ્થળે પ્રાપ્ત થાય છે, તેથી તેનું અનુમાન થઈ શકે છે. વસ્ત્રમાં ઢકિલી વસ્તુ તે વસ્ત્રને દૂર કરવામાં આવતાં પ્રત્યક્ષ દેખાય છે. વટવા વગેરેમાં લિંગજાતિ કદાપિ પ્રાપ્ત થતી નથી. તારી, પુણ: નક્ષત્રમ વગેરે શબ્દોમાં, તેમના વડે જણાવાતા પદાર્થોમાં લિંગભેદ પ્રાપ્ત ન હોવા છતાં, લિંગભેદ વાળા શબ્દની જેમ, લિંગભેદો સમજાય છે. अस्तित्वं च प्रतिज्ञाय सदादर्शनमिच्छतः । अत्यन्तादर्शने न स्यादसत्त्वं प्रति निश्चयः ॥११॥ (લિંગના) અસ્તિત્વને જાહેર કરીને તે કદી દેખાતું નથી એમ જાહેર કરનારને (શશશૃંગ વગેરેન) અત્યંત અભાવ હોવા છતાં તેમના અસત્પણું અંગે નિર્ણય થતો નથી. (૧૧) હવા અને વૃક્ષ: માં લિંગ છે એમ કહીને પછી કહેવું કે તે દેખાતું નથી એ તો સામાન્ય સમજણની વિરુદ્ધ છે. આવી વ્યક્તિઓને જે કહેવામાં આવે કે શશશૃંગ કે આકાશકુસુમને અત્યંત અમાવ છે તે પણ તેઓ તેમના અસત્પણું વિષે સંદેહ રાખશે. તેથી એમ કહેવું જોઈએ કે હવા અને વૃક્ષમાં લિંગ છે પરંતુ કેઈક માણસને કઈક કારણસર તે દેખાતું નથી. ભાગ્યમાં શબ્દ વાળ વિહતેા ને આ કારિકામાં આ રીતે સમજાવવામાં આવ્યા છે. न चालमनुमानाय शब्दोऽदर्शनपूर्वकः । सिद्धे हि दर्शने किं स्यादनुमानप्रयोजनम् ॥१२॥ જેમાં (લિંગનાં લક્ષણો) જવામાં આવ્યાં નથી એ શબ્દ, (લિંગના) અનુમાન માટે પર્યાપ્ત નથી અને જે (લિંગનાં લક્ષણ પ્રત્યક્ષ) જવામાં આવતાં હોય તે (લિંગ વિષે) અનુમાનનું પ્રયોજન શું રહે? (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy